આજરોજ ભગવાન બિરસા મુંડા જીના જન્મ દિવસ નિમિતે ફુલહારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. નવસારી વિજલપોર નગરપાલિકા દ્રારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જીલ્લા સંગઠન મહામંત્રી જીગ્નેશ ભાઈ નાયક, નવસારી વિજલપોર નગરપાલિકા પ્રમુખ મિનલબેન દેસાઈ આ કાર્યક્રમ દરમ્યાન હાજર રહ્યા હતા. ખાસ કરીને ST મોરચા જિલ્લા મહામંત્રી હર્ષદ પટેલ તેમજ મંત્રી પ્રકાશ પટેલ પણ હજાર રહ્યા હતા.
નગરસેવકો ચેતન ભાઈ પટેલ, વિજયભાઈ રાઠોડ, ઉશાબેન પટેલ, પ્રિતિબેન અમીન હાજર રહ્યા હતા.
st મોરચા નવસારી વિજલપોર શહેર પ્રમુખ સુનીલ કુંકણા, કિરણ તલવ્યા તેમજ નવસારી શહેર સંગઠન ઉપપ્રમુખ રાકેશ પટેલ હજાર રહ્યા હતા. આદિવાસી સેવા સમિતિના પ્રમુખ હિરેન પટેલ, મિનેષ પટેલ, વિરુભા પટેલ, મિહિર પટેલ, રાહુલ પટેલ સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
તથા આદિવાસી ઘેરીયા નૃત્ય ને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. અહીં સ્થળ પર ઘેરીયા નૃત્ય કરવામાં આવ્યું. ભગવાન બિરસા મુંડા જી ની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી સન્માન કરી છુટા પડ્યા હતા.