- હોમ
- Web Stories
- ગુજરાત
- મનોરંજન
- બિઝનેસ
- વીડિયો
- ફોટો ગેલેરી
- હેલ્થ
- જીવનશૈલી
- અજબ ગજબ
- જનરલ નોલેજ
- જમ્મુ કાશ્મીર
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Atul Rathod
સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષો દ્વારા વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવી રહ્યા છે. એ જ કડીમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી મહાનગરપાલિકા માટે “વિઝન નવસારી” રજૂ કરવામાં આવ્યું છે. આ વિઝન ડોક્યુમેન્ટ મહાનગરપાલિકાના અંદાજિત 1207 કરોડના વાર્ષિક બજેટને આધાર બનાવી તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં નવસારી શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અને સંકલ્પો રજૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને નવસારી અને સુરતને જોડીને “ટ્વીન સિટી” તરીકે વિકસાવવાનો ઉલ્લેખ આ ડોક્યુમેન્ટનું મુખ્ય આકર્ષણ બની રહ્યો છે. શહેરના વિકાસને સાંસ્કૃતિક વારસાથી આધુનિક સુવિધાઓ સુધી આગળ ધપાવવાનો સંકલ્પ પણ રજૂ કરવામાં આવ્યો છે. “સ્માર્ટ,…
નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થતાં રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપે તમામ વોર્ડમાં જીત હાંસલ કરવાની વ્યૂહરચના સાથે અનુભવી તેમજ નવા ચહેરાઓને તક આપી છે. એક મહાનગરપાલિકા, એક જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયત અને એક નગરપાલિકા માટે ઉમેદવારોના નામ જાહેર થયા છે. નવસારી મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડ માટે 52 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત માટે 30 ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. તાલુકા પંચાયત હેઠળ નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાઓના ઉમેદવારો જાહેર થયા છે. કુલ 132 ઉમેદવારોને તક આપવામાં આવી છે. ગણદેવી નગરપાલિકાના…
નવસારી શહેરનો એક પૂર્વ કોર્પોરેટર છે કે જેણે યુવતી સાથે અડપલા કર્યા ની ચર્ચા જાગી હતી અને મોટી રકમ ચૂકવીને સમગ્ર કેસને દબાવી દીધો હતો. એવા બે શરમ નવસારી શહેરના પૂર્વ કોર્પોરેટરે ફરી ટિકિટ માંગી છે. ખાઈ પીને કસરત કરીને તગડા થઈને ફરતા આ નેતાએ નિર્લજ્જ કર્યું હતું તેમ છતાં હવે ફરીથી મહાનગરપાલિકામાં ટિકિટ માંગીને કોર્પોરેટર બનવાના સપના જોઈ રહ્યા છે… નવસારીના એક વોર્ડમાં તો એવા પરિવાર છે કે જેણે માત્ર ઘરકામ કરવાવાળા બેનને જ બાકી રાખ્યા છે બાકી આખા પરિવારને ટિકિટ માંગી છે લાજ શરમની પણ હદ હોય છે રાજકીય લાભ લેવાની પણ મર્યાદા હોય છે આ તો સમગ્ર…
બોલો… નવસારી મહાનગર પાલિકામાં ટિકિટ માટે પરિવારોના પરિવારો ઉમટ્યા, હવે કામવાળી બાઈ જ બાકી રહી ગઈ !!!
સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે ભાજપ કોંગ્રેસ બંને પક્ષે ઉમેદવારોની વરણીની શરૂઆત કરવામાં આવી છે રાજકીય પક્ષો દ્વારા સારા ઉમેદવારો અને જીતી શકે એવા ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયાથી માંડીને પસંદગી પ્રક્રિયા ની શરૂઆત કરી છે એમાં નવસારી ભાજપમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે ઘરે ઘરેથી બે ચાર અને આખું પરિવાર પણ ટિકિટ માંગી રહ્યું છે. નવસારી મહાનગરપાલિકામાં માંગેલી ટિકિટો… વોર્ડ નંબર 1 . કુલ 26 વોર્ડ નંબર 2.. કુલ 27 વોર્ડ નંબર 3.. કુલ 32 વોર્ડ નંબર ચાર.. કુલ 23 વોર્ડ નંબર 5.. કુલ 33 વોર્ડ નંબર 6. કુલ ૩૩ વોર્ડ નંબર સાત. કુલ 22 વોર્ડ નંબર 8.…
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવસારી વિજલપોર શહેરમાં ‘અનુસૂચિત જનજાતિ મોરચા’ના પ્રમુખ તરીકે હિરેનભાઈ જયંતીભાઈ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. આ નિયુક્તિ ભા. જ. પા. નવસારી જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, જિલ્લા સંગઠન પ્રભારી તેમજ પ્રદેશ મંત્રી શ્રી શંકરભાઈ આમલીયાર, ધારાસભ્ય શ્રી આર. સી. પટેલ અને ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ સાથે ચર્ચા-વિચારણા બાદ કરવામાં આવી છે. હિરેન પટેલ પાર્ટીના સક્રિય અને સમર્પિત કાર્યકર તરીકે જાણીતા છે. તેમની નેતૃત્વ ક્ષમતા અને સંગઠન પ્રત્યેની લાગણીને ધ્યાનમાં રાખીને તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂંકથી નવસારી વિજલપોર શહેરમાં ભાજપના અનુસૂચિત જનજાતિ…
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે અને હવે ચૂંટણીનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. રાજ્યમાં ચૂંટણીની તારીખો જાહેર થતા જ રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બની ગઈ છે. આવનાર 26 એપ્રિલ, 2026ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે, જેને લઈને રાજકીય પક્ષો સક્રિય બની ગયા છે. ચૂંટણી પ્રક્રિયા મુજબ સત્તાવાર નોટિસ 6 એપ્રિલ, 2026 (સોમવાર)ના રોજ જાહેર કરવામાં આવશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ (શનિવાર) રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 13 એપ્રિલ, 2026 (સોમવાર)ના રોજ હાથ ધરવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ, 2026 (બુધવાર) નક્કી કરવામાં આવી…
NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ
નવસારીમાં ક્રિકેટનો ઉત્સાહ ફરી એકવાર શિખરે પહોંચવા જઈ રહ્યો છે. શહેરના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર છે કે નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (NDCA)ના આયોજન હેઠળ ‘નવસારી પ્રીમિયર લીગ’ (NPL)ની ચોથી સીઝન ભવ્ય રીતે યોજાવાની છે. આ વખતે ટુર્નામેન્ટમાં અનેક નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે, જે ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ વધારી રહ્યા છે. આ સીઝન 21મી એપ્રિલથી શરૂ થશે અને તમામ મેચો નવસારીની ઐતિહાસિક ગાંધી કોલેજના મેદાનમાં રમાશે. ખાસ વાત એ છે કે આ વખતે પ્રથમ વખત ડે-નાઈટ મેચોનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લડ લાઈટ્સ હેઠળ રમાનાર આ મેચો ખેલાડીઓ અને દર્શકો બંને માટે અનોખો અનુભવ સાબિત થશે. ટુર્નામેન્ટના સફળ સંચાલન માટે રાજેશ…
નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ બીજા વર્ષનું બજેટ આજે ટાઉન હોલ ખાતે યોજાયેલી વિશેષ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું. વર્ષ 2026-27 માટે ₹1286 કરોડનું આ ભવ્ય બજેટ જાહેર કરાયું છે. ગત વર્ષના ₹847 કરોડના બજેટની સરખામણીએ આ વખતે નોંધપાત્ર વધારો થયો છે. ખાસ વાત એ છે કે આ બજેટમાં શહેરના નાગરિકો પર કોઈ નવો ટેક્સ લાદવામાં આવ્યો નથી, જેના કારણે સામાન્ય જનતાને મોટી રાહત મળી છે. આ બજેટમાં ‘ગ્રીન નવસારી’ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ઈલેક્ટ્રિક વાહનો (E-Vehicles) પર કોઈ ટેક્સ નહીં લગાડવાની જાહેરાત કરવામાં આવી છે, જે પર્યાવરણને અનુકૂળ પરિવહનને પ્રોત્સાહન આપશે. સાથે જ રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ અને…
નવસારી શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું દુઃખદ મૃત્યુ થયું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. મળતી માહિતી અનુસાર, નવસારી કૃષિ યુનિવર્સિટી સામે આવેલા સરગમ એપાર્ટમેન્ટ નજીક આ દુર્ઘટના બની હતી. મૃતક યુવતીનું નામ આયુષી દીપકભાઈ નાયકા (ઉંમર 16 વર્ષ) હોવાનું સામે આવ્યું છે. આયુષી રાત્રિના સમયે પોતાના ઘરેથી નજીકની દુકાને નાસ્તો લેવા માટે નીકળી હતી. તે દરમિયાન રસ્તામાં આવેલા વીજ થાંભલામાંથી અચાનક કરંટ ઉતરતા તે તેની ઝપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સની મદદથી યુવતીને હોસ્પિટલમાં…
નવસારી જિલ્લાના જલાલપોર અને નવસારી તાલુકામાં ભાજપ સંગઠનને લઈને ઊભેલા અસંતોષ વચ્ચે મહત્વપૂર્ણ રાજકીય વળાંક આવ્યો છે. જિલ્લા અને તાલુકા સ્તરના કુલ 58 જેટલા કાર્યકર્તાઓએ અન્યાયની લાગણી વ્યક્ત કરી રાજીનામા આપ્યા હતા. તેમાંમાંથી 25 કાર્યકર્તાઓએ પોતાના રાજીનામા પરત ખેંચ્યા છે, જ્યારે 35 હોદ્દેદારોના રાજીનામા પ્રદેશ સંગઠનની સૂચનાથી સત્તાવાર રીતે સ્વીકારી લેવામાં આવ્યા છે. માહિતી મુજબ, જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલ સાથે અન્યાય થયો હોવાની લાગણી વ્યક્ત કરતા તેમના સમર્થક તરીકે ઓળખાતા કેટલાક હોદ્દેદારોએ સંગઠનમાંથી રાજીનામા આપ્યા હતા. છેલ્લા પંદર દિવસથી આ મુદ્દે ચર્ચા અને અંદરની સ્તરે ચર્ચાઓ ચાલી રહી હતી. અંતે પ્રદેશ સ્તરે નિર્ણય લઈ રાજીનામા સ્વીકારવામાં આવ્યા છે. ભારતીય જનતા…