નવસારીમાં એક સભા પ્રેમચંદ લાલવાણીના કછોલ ફાર્મ હાઉસ ખાતે મળી હતી. જેમાં ધારાસભ્ય રાકેશ દેસાઈ તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આ અતિ રુદ્ર મહાયજ્ઞ વિશે માહિતી આપવામાં આવી હતી. તારીખ 22 મી ને બપોરે પરમ પૂજ્ય મોરારીબાપુ નું આગમન થશે તેમ જ કૃષ્ણ ભગવાનના રાષ્ટ્રીય સ્તરે જાણીતા પ્રથમ પંક્તિ ના ભજનીક નિકુંજબેન કામરા વિશેષ ઉપસ્થિત રહીને ભજનોની રમઝટ બોલાવશે.
વિવિધ ધામોના અતિ વિધવાન 350 બ્રાહ્મણોણી હાજરી
નવસારીમાં છ દિવસના મહાયજ્ઞ સોમયાગ યોજાઈ ચૂક્યા પછી પ્રથમ વાર એક જ પરિવારના સૌજન્યથી અતિ રુદ્ર મહાયજ્ઞ નવસારી ના ઇતિહાસમાં પ્રથમવાર આકાર લેશે. દેશભરના ઉજ્જૈન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, વારાણસી, કાશી વગેરેના ધામોના અતિ વિધવાન અતિ પવિત્ર બ્રાહ્મણો અંદાજે 350 જેટલા ઉપસ્થિત રહેશે. મહાલક્ષ્મી મંદિર એરુના મુખ્ય પૂજારી કમલકુમાર પ્રમોદભાઈ દ્વારા પ્રાસંગિક માહિતી આપવામાં આવી હતી. પ્રેમ ચંદ લાલવાણીએ જણાવ્યું હતું કે મારા પરિવારનું સૌજન્ય છે ખરું પણ સમગ્ર નવસારી માટેનો આ યજ્ઞ છે આપણા સૌનો આ યજ્ઞ છે.
સારવાર અને દવા પણ મફત
આઈ એન એસ હોસ્પિટલ નવસારી ના મુખ્ય સંચાલક રાજ દેસાઈએ હોસ્પિટલ ની ટીમ આ યજ્ઞ પ્રસંગે તમામ રીતે ખડે પગે સેવાઓ આપશે ઉપરાંત આ યજ્ઞ દરમિયાન જરૂરત મનને સારવાર અને દવા પણ મફત આપવામાં આવશે એમ જણાવ્યું હતું. રોટરી આઈ હોસ્પિટલ મંત્રી યોગેશભાઈ ખડે પગે સેવાઓ આપશે એમ જણાવ્યું હતું.
આ દરમ્યાન અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. આઠ વર્ષથી અખંડ ચાલતી રામ રોટી અને એકલા હાથે રોજના 20 25 હજાર માણસોને જમાડી મોરારીબાપુની રામકથા કરવી એ પ્રેમચંદભાઈના પરિવારને આગવી ઉપલબ્ધ છે અને દોઢ વર્ષ પહેલાં આ મહા કથા પછી દક્ષિણ ગુજરાતની ધરતી પર અતિ રુદ્ર મહાયજ્ઞ યોજાવા જઈ રહ્યો છે. જેમાં સૌજન્ય પ્રેમચંદભાઈ લાલવાણીનું પરિવાર છે