- હોમ
- Web Stories
- ગુજરાત
- મનોરંજન
- બિઝનેસ
- વીડિયો
- ફોટો ગેલેરી
- હેલ્થ
- જીવનશૈલી
- અજબ ગજબ
- જનરલ નોલેજ
- જમ્મુ કાશ્મીર
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Atul Rathod
શહેર અને તેના ગલીઓમાંથી શરુ થતાં ગુનાખોરીના ભયાનક પ્રવાહો દેશવિરોધી અને આતંકી પ્રવૃત્તિઓ સુધી પહોંચી શકે છે — અને આવી જ એક ગુનાખોર ગેંગ સામે નવસારી પોલીસે ઉગ્ર કાર્યવાહી હાથ ધરી છે. નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં ઓળખાતી “તીસરી ગલી ગેંગ”ના 6 આરોપીઓને પકડીને શહેરમાં રીકન્સ્ટ્રક્શન કરાયું હતું, જેમાં તેઓએ ગુનાઓ અંજામ આપેલા સ્થળોએ લઈ જઈને પોલીસ કાર્યવાહી કરી. તીસરી ગલી: ગુનાખોરીનો અડ્ડો! બીલીમોરાની તીસરી ગલી લાંબા સમયથી એક ગુનાખોરીના હબ તરીકે ઓળખાતી હતી. આ ગેંગના મુખ્ય સૂત્રધાર આમિન શેખ અને તેના સાગરિતોએ આપહરણ, હત્યા, ખંડણી, દારૂની હેરાફેરી, મારામારી સહિત કુલ 42 ગુનાઓ કરી નાખ્યા છે. આરોપીઓ અને તેમના ગુનાઓની વિગત:…
નવસારીમાં મુલાકાતે આવેલા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી તથા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલએ ગણેશ ચતુર્થીને લઈને મંચ પરથી મહત્વપૂર્ણ ટકોર કરી છે. તેમણે જણાવ્યું કે, “ગણપતિની પ્રતિમા નાની હોય તો પણ પૂજા થાય છે, આસ્થા મહત્વની છે, મોટી મૂર્તિ નહીં.” મૂર્તિ સ્થાપન વખતે વિવાદો ઉભા થવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે એમણે અધિકારીઓને અગાઉથી તૈયારી કરવા માટે કડક સૂચના આપી. સાથે જ એમણે એટલું પણ જણાવ્યું કે, “મૂર્તિ નિર્માણના કામ માટે વિસર્જન થયા પછીના બીજા જ દિવસે જ મૂર્તિકારોને સૂચના આપવામાં આવે તો મૂર્તિની ઊંચાઈ પર નિયંત્રણ આવી શકે.” બીજી તરફ નવસારી જિલ્લાના લોકોમાં વંદે ભારત ટ્રેનના નવા…
નવસારી: જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખતી પોલીસે આજે ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરના તીસરી ગલી વિસ્તારમાંથી એક મોટી ક્રિમિનલ ટોડકી સામે GUJCTOC એક્ટ હેઠળ ગંભીર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ ટોડકી વર્ષોથી જિલ્લામાં ઓર્ગેનાઇઝ ક્રાઈમ સિન્ડિકેટ ચલાવી રહી હતી, જેમાં તેઓ જમીનોના બળવાખોરી કબજા, ધાક-ધમકી, અપહરણ અને હત્યાના પ્રયાસ જેવા ગુનાઓમાં સંડોવાયેલા હતા. કુલ 6 આરોપીઓની ધરપકડ GUJCTOC હેઠળ દાખલ થયેલા ગુના કેસમાં પોલીસે નીચેના 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે… અમીન અનવર શેખ રોનક છોટાલાલ પટેલ કેવીન નાનુભાઈ પટેલ મનોજ ઉર્ફે શિવાજી ગોવિંદા ગૌરવ રાજેશ ચોટલીયા માઝ ફકરૂદીન શેખ આ તમામ આરોપીઓ સંગઠિત…
રક્ષા બંધન—ભાઈ-બહેનના નિર્મળ પ્રેમ અને અટુટ બંધનનું પાવન પર્વ. આ તહેવાર માત્ર ઐતિહાસિક અને ધાર્મિક પરંપરાનું પ્રતિનિધિત્વ કરતો નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિમાં લાગણી અને કળાની સુંદર અભિવ્યક્તિ પણ છે. આવી એક ભાવનાત્મક અને કલાપ્રેમી અભિવ્યક્તિ જોવા મળી રહી છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેર માં રહેતી યુવતી જીનલ પટેલ તરફથી. જીનલ પટેલ, જેમણે ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે, એમનું જીવનશૈલીમાં ભવિષ્ય ઘડવા માટેનું વિજ્ઞાનભર્યું અભ્યાસ તેમની કરિયરનો માર્ગ નિર્ધારિત કરે છે. પરંતુ, તેમનો એક જુદો શોખ પણ છે—હેન્ડમેડ રાખડી બનાવવાનો. શોખ તરીકે શરૂ થયેલું આ કાર્ય હવે તેમની ઓળખાણ બની ગઈ છે. રક્ષાબંધન આવે તેટલેથી જીનલ પોતાના હાથોથી બનાવેલી વૈવિધ્યસભર…
નવસારી જિલ્લાના રેલવે મુસાફરો માટે આનંદના સમાચાર આવ્યા છે. ભારત સરકારના રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી સાથે નવી દિલ્હીમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ અને નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહની આગેવાની હેઠળ નવસારી ખાતે વંદે ભારત ટ્રેનના સ્ટોપેજ ની માંગણી કરવામાં આવી. મંત્રાલય તરફથી આ મહત્વપૂર્ણ માંગણી પર સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થવાની અપેક્ષા છે.. આ બેઠક દરમિયાન નવસારી જિલ્લાના રેલવે વિકાસ સાથે જોડાયેલા અનેક લાંબા સમયથી બાકી પ્રશ્નો પર પણ ચર્ચા થઈ. સ્ટેશનના આધુનિકીકરણ, પ્લેટફોર્મ વિસ્તરણ, પાર્કિંગ સુવિધા, મુસાફરો માટે આધુનિક સુવિધા કેન્દ્ર, વિવિધ એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ અને લોકલ…
સુરત-નવસારી માર્ગ પર આવેલા વિરાવળ ગામ નજીક આવેલ પૂર્ણા નદીના જૂના બ્રિજ પર ચિંતાજનક ઘટના સામે આવી છે. જર્જરીત હાલતમાં હોય તેવા આ બ્રિજ પર, બે દિવસ અગાઉ જ તંત્ર દ્વારા સાવધાનીના ભાગરૂપે લગાવવામાં આવેલા લોખંડના એંગલ અજાણ્યા શખ્સો દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. એવું કૃત્ય કરનાર સામે હવે તંત્ર ચોક્કસ લાલ આંખ કરશે. પ્રજાના જીવને નુકશાન ન થાય તે માટે પૂર્ણા નદીનો બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો હતો. જોકે આ ગર્ડર તોડી પડયો છે. આ એંગલ્સ ખાસ કરીને ભારે વાહનોને બ્રિજ પરથી પસાર થવાથી રોકવા માટે લગાવવામાં આવ્યા હતા. પરંતુ હવે એંગલ તૂટી જતા ભારે વાહનો વિના કોઈ…
શ્રાવણ મહિનાની આજથી શરૂઆત થતાં, ભક્તોમાં શિવપૂજનની લાગણી ઊંડાઈ છે. આજે શ્રાવણના પ્રથમ સોમવારે, બીલીમોરાના મીની સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારે જ ભક્તોની ભીડ ઉમટી હતી. “હર હર મહાદેવ” ના જયઘોષ વચ્ચે મંદિર પરિસર શિવમય બન્યું હતું. મંદિરના દ્વાર વહેલી સવારે ખુલી જતા ભક્તો મંગળા આરતીમાં જોડાયા અને ભગવાન શંકરના આશીર્વાદ મેળવ્યા. આ પૌરાણિક મંદિરનું વિશેષ મહત્વ એ છે કે અહીં ભગવાન ભોળાનાથ સ્વયંભુ શિવલિંગ સ્વરૂપે બિરાજે છે. દક્ષિણ ગુજરાતમાં આ મંદિર શ્રદ્ધાળુઓ માટે શ્રદ્ધાનું મોટું કેન્દ્ર માનવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન દરેક સોમવારે મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના તથા ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર મંદિર પરિસરમાં ભક્તોની ભક્તિ,…
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ફરીથી એક જંગલી પ્રાણીની હાજરીથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. વાંસદા તાલુકાના નાનીવાલઝર વિસ્તારમાં આવેલી પટેલ વાડીના એક રહેણાંક ઘરમાં દીપડો ઓટલામાં ફરતો નજરે પડ્યો હતો. આ ઘટના ગઈ કાલે શુક્રવાર બાદ રાત્રે આશરે ૧૨ વાગી ને ૧૫ મિનિટે બની હતી, જ્યારે ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં દીપડો સ્પષ્ટ રીતે કેદ થયો હતો. દૃશ્યોમાં જોઈ શકાય છે કે દીપડો ઘરના ઓટલાની આસપાસ આંટા મારી રહ્યો છે અને કદાચ શિકારની શોધમાં આસપાસ શોધખોળ કરી રહ્યો છે. રહેણાંક વિસ્તારમાં અચાનક આ રીતે દીપડો દેખાતા સ્થાનિક રહીશોમાં ભય ફેલાયો છે. લોકોમાં ચિંતા છે કે દીપડો કોઈ નુકસાન ન…
નવસારી શહેરના રેલવે સ્ટેશન નજીક ફરી એકવાર રખડતા ઢોરનો પ્રશ્ન બહાર આવ્યો છે. સ્ટેશન નજીક આવેલા ઓવરબ્રિજ પર શહેર તરફ આવતી અલ્ટો કાર અને ઢોર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત સમયે કારના આગળના ભાગને ભારે નુકસાન થયું છે અને ઢોરને પણ ઈજા પહોંચી છે. કરુણા રથ દ્વારા ઢોરને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યું છે. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વ્યવસ્થાને સરળ બનાવી. મુખ્ય રસ્તા પર અકસ્માત થતાં થોડી વાર માટે ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાથી ફરી એકવાર સ્પષ્ટ થાય છે કે શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરની સમસ્યા સામે તંત્ર ક્યારેય કડક પગલાં…
ગંભીરા બ્રિજ ગોઝારી ઘટનાને લઈને નવસારી પ્રશાસન એક્શન મોડ માં આવ્યું ત્યારે પૂર્ણા નદીના પુલનું સ્ટ્રક્ચર ટેસ્ટિંગની કામગીરી શરૂઆત કરવામાં આવી સાથે જ માર્ગ મકાન દ્વારા ટાટા સ્કૂલ જુના બસ ડેપો પાસે ડાયવર્જન લગાવાયું છે. વડોદરા જિલ્લાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાને ધ્યાનમાં રાખી હવે નવસારી જિલ્લો પણ સાવચેતીના ભાગરૂપે પગલા લઈ રહ્યો છે. નવસારી શહેર નજીક આવેલ પૂર્ણા નદી બ્રિજ, જે વિરાવળ-નવસારી રોડ પર આવેલ છે અને વર્ષ ૧૯૭૮માં બનાવાયો હતો, હવે તેની હાલત ખુબ જ જુની અને નબળી હોવાથી જિલ્લા પ્રશાસન દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માર્ગ મકાન વિભાગ દ્વારા આ પુલનું સ્ટ્રક્ચર ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે…