- હોમ
- Web Stories
- ગુજરાત
- મનોરંજન
- બિઝનેસ
- વીડિયો
- ફોટો ગેલેરી
- હેલ્થ
- જીવનશૈલી
- અજબ ગજબ
- જનરલ નોલેજ
- જમ્મુ કાશ્મીર
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Atul Rathod
પહેલા દિવસનો રોજ નક્કી કરવા માટે મિનિમમ વેજીસ નક્કી કરવામાં આવતું હતું હવે નવું સંશોધન કર્યું છે જેમાં વી ડી એ સંશોધન કર્યું છે જે લાગુ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી છે દિવાળી પહેલા આને લાગુ કરવા માટેનો પ્રયાસ કેન્દ્ર સરકાર કરી રહી છે શું હતું મિનિમમ વેજીસ નો કાયદો ? મિનિમમ વેજીસ એટલે કે લઘુતમ વેતન ધારો રાજ્ય અને કેન્દ્ર સરકારે લાગુ કરવાનો રહેતો હોય છે જેમાં સંશોધન કરીને દર વખતે એનું નિરીક્ષણ પરીક્ષણ અને અધ્યયન કર્યા બાદ વધારો કરવામાં આવતો હતો મિનિમમ વેજીસ પ્રમાણે છૂટક મજૂરોને ચૂકવવામાં આવતું હતું હવે એ કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. નવો “વી…
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ શિક્ષણ મંત્રી અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાના માર્ગદર્શન હેઠળ નવી યોજના બનાવી છે અને તેનો વ્યાપ વધારવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે “નમો સરસ્વતી વિજ્ઞાન સાધના” શું છે જાણો.. જે વિદ્યાર્થીનીઓ ધોરણ 10 ની બોર્ડ પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી અનુદાનિત સ્વનિર્ભ શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તેવી વિદ્યાર્થીને દર વર્ષે ₹25 હજાર રૂપિયા સહાય તરીકે ચૂકવવા માટેની નવી યોજના છે. નમો સરસ્વતી યોજના ના પૈસા બેંક ખાતામાં જમા થશે જે વિદ્યાર્થીનીઓ 11 12…
નવસારી ખાતે યોજાયેલાવિશ્વ હૃદય દિનના કાર્યક્રમ વિશેષ રીતે હૃદય રોગ નિવારણ માટે સાવચેતીના પગલાં લેવા જોઈએ અને યોગ દ્વારા હૃદય રોગનું નિવારણ,રન અને રાઈડ મેરેથોન નુ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ૨૨૦૦ થી વધુ લોકો એ ભાગ લીધો હતો. તમામ સ્પર્ધકને ટી શર્ટ અને રીફ્રેશમેન્ટ, મેડલ , સર્ટીફીકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, ડી એસ ડી ઓ શ્રી અલ્પેશભાઈ પટેલ, નિરાલી હોસ્પિટલના સીઈઓ જેલસન કવલાકટ સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. યોગ શિબિરનું સંચાલન ઝોન કો ઓર્ડીનેટર શ્રી પ્રીતિબેન પાંડે અને નવસારી જિલ્લા યોગ કો ઓર્ડીનેટર શ્રી ગાયત્રીબેન…
Sસંયમના માર્ગે ચાલી નીકળવું એ શૂરવીરનો માર્ગ છે. ધર્મ કાજે અને સમાજ રક્ષા કાજે સંયમના માર્ગે નીકળવું ખૂબ અઘરું થઈ પડે છે. 93 વર્ષની જીવન તપસ્યા બાદ જૈન ભગવાન પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યશ્રી હેમ પ્રભુ સૂરીશ્વરજી મહારાજ કાળ ધર્મ પામ્યા છે અને દેશભરમાં જૈનોના માનિતા ભગવંત ના કાળ ધર્મને પગલે જૈન સમાજમાં શોખની લાગણી આપી છે. 93 વર્ષની ઉંમરે દેહ છોડનાર હેમ પ્રભુ સૂરીશ્વરજી મહારાજ 65 વર્ષનો દીક્ષા પર્યાય હતો તેમણે જીવનભર જૈન સમાજના લોકોની પ્રગતિ અને દેશ દુનિયાના લોકો માટે વિવિધ જાગૃતિ માર્ગો શોધ્યા હતા. આચાર્ય ભગવાનના મહત્વના કામો. આચાર્ય ભગવાનથી 350 જેટલી દીક્ષાઓ કરાવી છે જે તેમની ગૌરવવંતી અને…
તનવસારી જિલ્લામાં રાજયકક્ષા વન અને પર્યાવરણ ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ઢોડીયા સમાજની વાડી, સુરખાઈ, ચિખલી ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. નવસારી જિલ્લાના ગરીબ કલ્યાણ મેળા દરમિયાન આદિજાતિ વિભાગ,આરોગ્ય, કૃષિ,પશુપાલન, ગ્રામવિકાસ, મહિલા અને બાળ કલ્યાણ, ફિશરીઝ ,જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સમાજ કલ્યાણ, સમાજ સુરક્ષા, શિક્ષણ વિગેરે જુદા જુદા વિભાગના લાભાર્થીઓને સ્ટેજ ઉપથી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે ૧૭૪૧ લાભાર્થીઓને રૂ.૦૮ કરોડની સાધન- સહાયના લાભો હાથોહાથ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ ગરીબ કલ્યાણ મેળામાં અધ્યક્ષ સ્થાનેથી ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગરીબ કલ્યાણ…
લ્યો કરો વાત, સરકારની નીતિ રીતિ સામે નવસારી જિલ્લામાં એક કોથળો ભરીને ફરિયાદ ! જાણો આખરે સમસ્યા શું ?
સરકારી વિભાગની આબરૂના ધજાગરા ઉડાવતા હોય છે. નવસારી જિલ્લામાં કોંગ્રેસ ચીથરેહાલ હાલતમાં આવી ગઈ છે, અને પોતાનું અસ્તિત્વ તલાસી રહી છે. એમાં વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દક્ષિણ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા હતા નવસારી જિલ્લા સહિત વલસાડ અને નવસારી જિલ્લાના કાર્યકરો માટે જનમંચ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં લોકોની સમસ્યાઓ સાંભળી હતી. જનમંચ કાર્યક્રમ દ્વારા કોંગ્રેસ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે અને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે ગ્રામ પંચાયતથી માંડીને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કલેકટર ઓફિસ જમીન, વીજળી, પાણી અને તમામ વિભાગોને લગતા પ્રશ્નો બાબતે લોકો પાસે પ્રશ્નો જાણી રહી છે, અને જરૂર પડે મદદ કરવા…
દક્ષિણ ગુજરાતની મહત્વની ગણતરી પૂર્ણા, અંબિકા, કાવેરી, ખરેરા, તાપી ઓરંગા મિઢોળા જેવી નદીઓના કાંઠે દીપડાઓની વસ્તી જોવા મળી રહી છે. જે માનવ જીવન માટે ખતરા રૂપ સાબિત થઈ રહી છે. નવસારી જિલ્લામાં ખાસ કરીને શેરડી મોટા પ્રમાણમાં થાય છે અને એમાં પણ સૌથી વધુ નદીઓ નવસારી જિલ્લામાંથી પસાર થાય છે મીંડોળા પૂર્ણ અંબિકા અને કાવેરી નદીઓના તટવિસ્તારમાં શેરડીનો પાક મોટા પાયે લેવામાં આવે છે, અને દીપડાઓ માટે રહેણાંક માટેનું પ્રતિકૂળ વાતાવરણ હોવાના કારણે સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. અંદાજે વન વિભાગની ગણતરી મુજબ 90 થી વધારે દીપડાઓ નવસારી જિલ્લામાં હોવાનું પ્રાથમિક વસ્તી ગણતરીમાં બહાર આવ્યું હતું. યુવતીને પગમાં ગંભીર…
દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ ડાંગ અને તાપી જિલ્લો હોટ જિલ્લાઓ માનવામાં આવે છે ત્યાંથી દારૂની થાય છે અને દક્ષિણ ગુજરાતમાંથી સમગ્ર ગુજરાતમાં દારૂના દુષણને ઘુસાડવાનો પ્રયાસ થતો હોય છે જેમાં નવસારી જિલ્લાના અલગ અલગ ત્રણના ગુનામાં ગણના પત્રક કેસમાં નાસ્તા ફરતા આરોપીને વાપી ખાતેથી ઝડપી ગણદેવી પોલીસે મહત્વની કામગીરી કરી છે. આરોપીનું નામ હુસેનભાઇ કાદરભાઈ શેખ. અનાવલ મસ્જિદ પડ્યું તાલુકો મહુવા જીલ્લો સુરત. નવસારી જિલ્લાના ત્રણ જેટલા ગુનાઓમાં વોન્ટેડ હતો જેમાં ગણદેવી પોલીસ સ્ટેશન નવસારી રૂરલ પોલીસ સ્ટેશન અને મરોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની 65 એઈ 116 બી 98 2 81 મુજબ ત્રણ ગુનાઓમાં વોન્ટેડ હતો એ આરોપીને બાદમીના આધારે…
નવસારી એસોજી બાતમી મળી હતી કે આટ ગામમાં મેટલ વર્ક શોપના પાછળના ભાગે ગુપ્ત રીતે ગાંજાનો છોડનું ગેરકાયદેસર રીતે વાવેતર કરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીવાય ચિત્તે અને તેમના સ્થાપના માણસો દ્વારા બાતમીના આધારે ચોક્કસ જગ્યાએ રેડ કરી હતી. તે દરમિયાન સંદીપભાઈ છોટુભાઈ પટેલનાઓની આઠ ગામની અંજલ જતા રોડ ઉપર સૈનિકો મેટલ વર્કસ નામના કારખાનાની પાછળના ભાગે ગેરકાયદેસર રીતે વનસ્પતિ જન્ય ગાંજાના છોડનું વાવેતર કરેલ હતું. જે બાતમીના આધારે મળી આવ્યું હતું. ગાંજાના છોડ આશરે છ થી સાત ફૂટ આઠ ફૂટ 9 ફૂટ જેટલા ઊંચા હતા એવા આઠ છોડ મળી આવતા પોલીસે અટકાયત કરી છે.…