- હોમ
- Web Stories
- ગુજરાત
- મનોરંજન
- બિઝનેસ
- વીડિયો
- ફોટો ગેલેરી
- હેલ્થ
- જીવનશૈલી
- અજબ ગજબ
- જનરલ નોલેજ
- જમ્મુ કાશ્મીર
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Atul Rathod
નવસારી-વિજલપોર નગરપાલિકામાં વરસાદના વિરામ બાદ તાત્કાલિક ધોરણે ભરાયેલા પાણીનો નિકાલ થાય તે માટે રોડ રસ્તા ગળનાળા સહિતના વિસ્તારોમાં યોગ્ય સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. લોકોના આરોગ્ય માટે શેરીઓ તેમજ રસ્તાઓ પર સાફ-સફાઈ અને દવા છંટકાવ સહિતની કામગીરી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આજે નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવા માટે નગરપાલિકા અને આરોગ્ય વિભાગની વિવિધ ટીમોની રચના કરી સાફસફાઇ અને દવા છંટાકાવ કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા રોડ રસ્તાઓ પર ફેલાયેલા ગંદકીના પડ દૂર કરી રસ્તાને ચોખ્ખા કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત આરોગ્યની ટીમ દ્વારા રસ્તા પર દવા છંટકાવ તેમજ ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી…
દક્ષિણ ગુજરાતમાં દિમાગ વરસાદના કારણે નવસારી જિલ્લાએ ભયંકર પૂરનો સામનો કરવો પડ્યો હતો. નવસારી અને બીલીમોરા શહેરને પૂર્ણ અંબિકા અને કાવેરી નદીએ પાણીમાં તરબોલ કરી દીધા હતા 20 કલાક જેટલા સમય નવસારી શહેર અને બીલીમોરા શહેરને પાણીમાં ડુબાડી દીધા હતા. એક લાખ લોકો પ્રભાવિત થયા હતા. હાલ પૂરના પાણી ઉતરી ગયા છે પરંતુ નવસારી જિલ્લા પંચાયત હસ્તકના 11 જેટલા રસ્તાઓ ઓવરટેપિંગના કારણે હજુ પણ બંધ છે. પૂર્ણ નદી પર આવેલો સુપા કુરેલ ગામને જોડતો અને 25,000 થી વધુ લોકો માટે સહારો ગણાતો સુપા કુરેલ બ્રિજ પાણીમાં ગરમ થતા લોકોની સમસ્યામાં વધારો થયો છે એક સિઝનમાં 10 થી વધુ વખત પાણીમાં…
શિક્ષણને પોતાનો ધર્મ માનનારા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ ચેન્નઈ (મદ્રાસ) નજીકના યાત્રાધામ તિરૂતની ગામમાં તા.૫ સપ્ટેમ્બર, ૧૮૮૮ના રોજ થયો હતો. તેમના પૂર્વજો સર્વપલ્લી નામક ગામના હોવાથી ગામની યાદ કાયમ રહે તે માટે તેમણે ‘સર્વપલ્લી’ નામ ધારણ કર્યું. તેમના પિતા વીરસ્વામી શિક્ષક હતા અને સાથે ગોરપદું પણ કરતા. અંગ્રેજીમાં એમનું વકતવ્ય હતું અદભૂત નાનપણથી જ તેઓ શરમાળ, સંકોચશીલ પરંતુ ભારે બહુમુખી પ્રતિભા સંપન્ન હતા. વાંચન અને મનનનો તેમને ભારે શોખ. ખ્રિસ્તી સ્કૂલમાં તેમણે શાળાકીય શિક્ષણ લીધું, મદ્રાસની ક્રિશ્ચયન કોલેજમાંથી ‘દર્શનશાસ્ત્ર’ વિષય સાથે પ્રથમ નંબરે બી.એ. થયા. ‘તત્વજ્ઞાન’ વિષયમાં એમ.એ.ની ડિગ્રી મેળવી અને પ્રેસિડન્સી કોલેજમાં તર્કશાસ્ત્ર (તત્વજ્ઞાન) ના પ્રાધ્યાપક થઈને શિક્ષણકાર્યનો આરંભ…
ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ સર્જાય નહીં તે માટે અગમચેતી રાખવી જરૂરી છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા ગંભીર રોગો સામે રક્ષણ મેળવવા માટે કેટલાક તકેદારીના પગલા લઈએ તે હિતાવહ છે. સોસાયટીમાં અને મકાનમાં છત સહિતની જગ્યાઓ પર પાણીનો નિકાલ કરવો, તાવ કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી, પક્ષીખાના, કુંડા, ટાયર, ભંગારનો સામાન વગેરેમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવો, સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવાથી મચ્છરથી બચી શકાય છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા અગમચેતીના પગલાને અનુસરી મચ્છરજન્ય રોગોથી બચી શકાય છે. તાવ આવે તો આરોગ્ય કાર્યકર પાસે લોહીની નિઃશુલ્ક તપાસ…
ભારતમાં આજે ભલે લગ્નની કાયદેસર ઉંમર છોકરાઓ માટે 21 વર્ષ અને છોકરીઓ માટે 18 વર્ષ રાખવામાં આવી છે, પરંતુ બદલાતા સમયના કારણે યુવાનોની વિચારસરણીમાં ઘણો બદલાવ આવ્યો છે. હવે મોટાભાગના યુવાનો 18 અને 21 વર્ષની ઉંમરે નહીં પરંતુ 30 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી જ લગ્ન કરવા માગે છે. જો કે, પહેલાના સમયમાં, લોકો માનતા હતા કે વહેલા લગ્ન યુગલો વચ્ચે ઊંડી પરસ્પર સમજણ અને સંબંધોમાં પરિપક્વતા લાવે છે. પણ હવે બદલાતી વિચારસરણીવાળા યુવાનો એવું માનતા નથી. જો તમે પણ એવા યુવાનોની યાદીમાં સામેલ છો જેઓ 30 વર્ષની ઉંમરે લગ્ન કરવા યોગ્ય માને છે, તો ચાલો જાણીએ કે આવું કરનારા યુગલોને…
આ દિવસોમાં મોટાભાગના લોકો તેમના વધેલા વજનને કારણે ચિંતિત છે. દરેક જણ તેને નિયંત્રિત કરવા માંગે છે, પરંતુ તેઓ ઇચ્છે છે તે પરિણામો પ્રાપ્ત કરતા નથી. આ માટે કેટલાક લોકો હેલ્ધી ડાયટ પ્લાન ફોલો કરે છે. સાથે જ કેટલાક લોકો નિયમિત વર્કઆઉટ અને એક્સરસાઇઝ રૂટીન અપનાવે છે. જો કે, વજન ઘટાડવા માટે જીમમાં જવાનું પસંદ કરતા લોકોની કોઈ કમી નથી. જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમની સાથે કેટલાક એવા પણ છે જેઓ પોતાનું વજન વધારવા માંગે છે. જો તમે વજન ઘટાડવા અથવા વધારવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા છે પરંતુ પરિણામ નથી મળતું, તો તમારે યોગ્ય સિઝન વિશે જાણવું…
નવસારીમાં ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે બીલીમોરામાં ચેન સ્નેચિંગની ઘટના સામે આવી છે. બીલીમોરા શહેરના અનાવિલ વાડી નજીક ધોળા દિવસે મધુ નાયક નામના વૃદ્ધાના ગળા માંથી અછોડો તોડવાનો પ્રયાસ થયો, ચેન્સ સ્નેચરોએ વૃદ્ધાના ગળામાં હાથ નાખી ખેંચવાનો પ્રયાસ કર્યો પરંતુ વૃદ્ધા નીચે પટકાઈ જેથી પકડમાં અછોડો આવ્યો નહીં, ચેન સનેચરો ધુમ સ્ટાઇલમાં બાઈક હંકારી ઘટના સ્થળેથી નાસી છૂટ્યા, જોકે ચેન સનેચરો નિષ્ફળ રહ્યા છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા,આ મામલે બીલીમોરા પોલીસમાં હજુ સુધી ફરિયાદ દાખલ થઈ નથી..
નવસારી જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.26 સપ્ટેમ્બર-2024 ના રોજ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, કોન્ફરન્સ હોલ, પહેલો માળ, કાલિયાવાડી, નવસારી ખાતે સવારે 11-00 કલાકે યોજાશે. સપ્ટેમ્બર -2024ના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મહેસૂલી તંત્ર, પોલીસ વિભાગ, ગુજરાત વિદ્યુત બોર્ડ, એસ.ટી., પાણી પુરવઠા બોર્ડ, એસ.ટી., પાણી પુરવઠા બોર્ડને લગતા પ્રશ્નો સબંધિત ખાતાના અધિકારીશ્રી અને કલેકટરશ્રી સાંભળશે. એક કરતાં વધુ શાખામાં પ્રશ્નો હોય તેવી, સુવાચ્ય ન હોય તેવી, નામ-સરનામા વગરની કે વ્યકિતગત, આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી તથા કોર્ટ મેટર, આંતરિક તકરાર, નોકરીને લગતી બાબતો, પેન્શન, રહેમરાહે, પ્રથમ વખતની અરજી અને આ કાર્યક્રમમાં રીપીટનાં પ્રશ્નો પર કોઇ કાર્યવાહી થઇ…