Author: Atul Rathod

શિક્ષણ સમાજના વિકાસનું માળખું છે. પ્રાથમિક શિક્ષણ એ બાળકના વ્યકિતત્વના ઘડતર માટેનો પ્રથમ અને મહત્વપૂર્ણ પગથિયું છે. શિક્ષણ દ્વારા નાગરિકોમાં આધુનિક વિચારો, નૈતિક મૂલ્યો અને આત્મવિશ્વાસનું નિર્માણ થાય છે. વિદ્યાને કારણે બાળકના જીવનમાં માત્ર રોજગારી નહીં પરંતુ સર્વાંગી વિકાસ માટેનું દ્વાર ખુલ્લું થાય છે. એવું જ કામ નવસારી જિલ્લાની આ શાળામાં થઈ રહ્યું છે. પ્રાથમિક શાળા પટેલ ફળિયા, વર્ગ બામણવેલ, શાળા બંધ થવાના આરે હતી, પરંતુ એસએમસી અધ્યક્ષ મહેશભાઈ, કમિટી અને બધા ગામલોકોના સહકારથી શાળાને નવા જીવનદાન મળ્યું છે. આજે, આ શાળામાં 15 બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને બે શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. આ વર્ષ ધોરણ 5ના…

Read More

નવસારી જિલ્લાના ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. આગામી 21 મે 2025થી 25 મે 2025 સુધી, લુન્સીકુઈ ગ્રાઉન્ડ, નવસારી ખાતે યોજાવા જઈ રહી છે. આ ગ્રાન્ડ ટુર્નામેન્ટમાં જિલ્લાની ટોપ 16 સુપર ટીમો મેદાને ઉતરશે, જેમાં નવસારી જિલ્લાના બે આઈકોન ખેલાડીઓ પણ રમતા જોવા મળશે. વર્ષદર વર્ષ આ ટુર્નામેન્ટ પોતાની વ્યાપકતા અને રોમાંચ માટે ઓળખાતા જાય છે. https://youtu.be/41qzgiFLavI?si=Up4duNTjI4wXHQx3 વિજેતા ટીમ માટે ઘોષિત ઇનામ રકમ છે ₹1,25,000 જ્યારે રનર અપ ટીમને મળશે ₹75,000 – જે ખેલાડીઓ માટે મોટો પ્રોત્સાહન છે. ટુર્નામેન્ટનું આયોજન યુવા અને જુસ્સાદાર આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે ઓક્શનથી લઈ આખા આયોજન સુધી દરેક બાબતમાં વ્યાવસાયિક દૃષ્ટિકોણ…

Read More

ડૉ. બાબાસાહેબ આંબેડકર, ભારતીય બંધારણના નિર્માતા અને મહાન સમાજસુધારક, તેમના જીવન અને યોગદાનને યાદ કરવા માટે નવસારીમાં ભવ્ય રીતે જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ લૂંસિકુઇ આંબેડકર સર્કલ ખાતે યોજાયો હતો, જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ ડૉ. આંબેડકર પ્રત્યે પુષ્પ અર્પણ કર્યા. એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકર ના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓએ ભારતીય બંધારણસભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને ‘બંધારણના ઘડવૈયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી…

Read More

નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં, વોર્ડ નંબર 13ના ટાગોર સોસાયટીના સ્થાનિકોએ આ વખતે વાહનોનીસતત અવરજ્વરની સ્થિતિને લઈને નારાજગી વ્યક્ત કરી છે. વિશાળ હાઇવા અને ટ્રકોના સતત પસાર થવાથી ચિંતિત રહીને, સ્થાનિકોએ માર્ગ પર બેરિકેડ લગાવી રસ્તો બંધ કર્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે ટ્રાફિક અને ભારે વાહનોના કારણે રોજિંદી જીવનશૈલી પર ગંભીર અસર પડી રહી છે. ખાસ કરીને પ્રદૂષણના સ્તરે વધારો અને સોસાયટીઓના રસ્તાઓ બગાડવા અંગેની સ્થિતિએ પરેશાની વધી છે. આ મુદ્દાને ઉકેલવા માટે ગત શુક્રવારે પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. શનિવારે મામલતદારની ટીમ સ્થળ પર પહોંચી, રહીશો સાથે ચર્ચા કરી અને તેમની પરેશાનીઓને સાંભળી. સ્થાનિકોના આક્ષેપ છે કે ભારે વાહનોના…

Read More

ગણદેવીના ખાપરવાડા ખાતે હનુમાનજીના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તિથી ભરપૂર અને દુર્લભ દ્રશ્યો જોવા મળ્યા. મંદિરની ધજા ચડાવવાથી લઈને દરેક ધાર્મિક વિધિમાં વાનરરાજે હાજરી આપતા ભક્તોમાં અધભુત ઉત્સાહ અને આસ્થા જોવા મળી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને હનુમાનજીના સાક્ષાત દર્શનોનો અનુભવ કર્યો હતો. વિધિ દરમ્યાન વાનરોની આ અનોખી હાજરી ભક્તોમાં કુતુહલ અને આશ્ચર્ય પેદા કરી રહી હતી. કેટલાક ભક્તો આ દુર્લભ દ્રશ્યોને હનુમાનજીના ચમત્કારરૂપે માને રહ્યા હતા. આ ભવ્ય પ્રસંગે ભક્તિ અને શાંતિના માહોલ સાથે આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કર્યો. હનુમાન મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો આ ચમકદાર પ્રસંગ ગણદેવીના ધર્મપ્રેમીઓ માટે યાદગાર બની રહ્યો. આ પ્રસંગે ઉપસ્થિત દરેક ભક્તને…

Read More

નવસારી ઇટાડવા સ્થિત શિરવી સમાજની વાડીમાં સમસ્ત આંજણા ચૌધરી પટેલ સમાજ દ્વારા શ્રી શ્રી 1008 શ્રી રાજા રામજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી સમસ્ત કાર્યક્રમ આંજણા સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો . શ્રી રાજારામજી મહારાજ નો મૂળ સ્થાન અને આશ્રમ શિકારપુરા ગામ જોધપુર રાજસ્થાનમાં છે પરંતુ નવસારીમાં વસતા તેમના ભક્તો દ્વારા આજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રામનવમીના પવિત્ર દિવસે સવારે 2000 થી 2500 માણસનો મહાપ્રસાદ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો લોકો ઉપસ્થિત રહ્યા હતા આજના દિવસે રાજસ્થાનમાં ખૂબ મોટો મેળો પણ ભરાય છે પરંતુ નવસારીમાં વસતા 1008 શ્રી રાજારામજી ના ભક્તજનો નવસારીમાં ભવ્યથી…

Read More

નવસારીના ચીખલી તાલુકાના સરૈયા ગામે ઉનાળાની રજા માણવા આવેલા સુરતના ત્રણ યુવકો માટે દુર્ભાગ્યજનક ઘટના બની. સુરતથી ફરવા આવેલા ત્રણ મિત્રો સરૈયા ગામે આવેલા ચેકડેમમાં નાહવા પડ્યા હતા. નાહતી વખતે રાજ નાયકા નામનો યુવક અચાનક ઊંડા પાણીમાં ગરક થયો અને ડૂબી ગયો. સ્થાનિક તરવૈયાઓએ તરત જ બચાવ પ્રયાસો હાથ ધર્યા, પરંતુ ઊંડા પાણીના કારણે રાજને તાત્કાલિક બહાર કાઢી શકાયો નહીં. ભારે જહેમત બાદ તેનું મૃતદેહ બહાર કાઢવામાં આવ્યું. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબજામાં લઈને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી…

Read More

નવસારી મહાનગરપાલિકા વોર્ડ નંબર 13ના ઈટાળવા થી વિશાલ નગર વ્રજ વિહાર સોસાયટી સુધીના મુખ્ય માર્ગ પર આવેલા ડિવાઈડર પર સ્ટ્રીટ લાઈટો ન હોવાના કારણે સ્થાનિક લોકોને રાત્રે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સંજોગોમાં પૂર્વ કોર્પોરેટર વિજય રાઠોડે નાગરિકોની સલામતી માટે મહાનગરપાલિકાને પત્ર લખી સ્ટ્રીટ લાઈટો લગાવવાની નમ્ર વિનંતી કરી છે. તેઓએ ઉલ્લેખ કર્યો છે કે આ બાબત પહેલા પણ 15-09-2023ના રોજ રજુ કરવામાં આવી હતી, છતાં હજી સુધી કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. રસ્તા પર અંધકાર રહેવાના કારણે ઘણાં અકસ્માતો બની ચૂક્યા છે, જે લોકોના જીવ માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે. જો તાત્કાલિક સ્ટ્રીટ લાઈટો લગાવવામાં…

Read More

કરાખત પરુજણ, માંગરોળ, પરસોલી, ભીનાર, ભાઠા, ટુંડા મગોબ, નિમળાઈ, દાંતી, ઉભરાટ, દીપલા, વાંસી, બોરસી, માછીવાડ, સીમળગામ અને દેલવાડા ગામોમાં તળાવો મત્સ્ય ઉછેર માટે ફાળવાયા હોવાનો મુદ્દો ગરમાયો છે. પંચાયતની પરવાનગી વગર મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા ફાળવાયેલા તળાવો અંગે ગ્રામજનો અને સરપંચોએ તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. સંબંધિત ગામોમાં પીવાના પાણીની ગંભીર તંગી છે. સરકારે આ ગામોને “No Source Village” જાહેર કર્યા છે, છતાં પંચાયતની મંજૂરી વિના મત્સ્ય ઉછેર ફાળવવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતો દ્વારા પોતાના ખર્ચે બોર બનાવવામાં આવ્યા હતા અને તળાવોમાં મીઠા પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. પરંતુ, મત્સ્ય ઉછેરથી પાણી દૂષિત થવાની ભીતિ છે, જે ગ્રામજનોના આરોગ્ય માટે…

Read More

મહાત્મા ગાંધીના પરિવાર સાથે જોડાયેલ એક ઉદ્દાત અને નિષ્ઠાવાન વ્યક્તિત્વ, શ્રીમતી નીલમબેન યોગેન્દ્રભાઈ પરીખનું આજે અવસાન થયું છે. તેઓ નવસારીના અલકા સોસાયટીમાં નિવાસ કરતાં હતા અને જીવનભર સમાજસેવા, દયા અને પરોપકારના મૂલ્યોને સમર્પિત રહ્યા હતા. જીવન અને સેવાયજ્ઞ નીલમબેન પરીખ મહાત્મા ગાંધીના પુત્ર હરીદાસ ગાંધીના વંશજ હતા. તેમના માતા-પિતા, રામીબેન અને યોગેન્દ્રભાઈ પરીખ, દ્વારા મળેલા સંસ્કારોને જીવનભર અનુકર્યા. બાળપણથી જ તેઓએ ગાંધીવાદી સિદ્ધાંતોને પોતાના જીવનમાં અપનાવી લીધા હતા. ખાસ કરીને મહિલાઓના કલ્યાણ અને શિક્ષણ માટે તેઓએ મહત્ત્વપૂર્ણ પ્રદાન કર્યું હતું. સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈ, તેમણે સ્ત્રી શિક્ષણ, સ્વાવલંબન અને આરોગ્ય ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપ્યું. અંતિમ વિદાય નીલમબેન પરીખની અંતિમ યાત્રા…

Read More