- હોમ
- Web Stories
- ગુજરાત
- મનોરંજન
- બિઝનેસ
- વીડિયો
- ફોટો ગેલેરી
- હેલ્થ
- જીવનશૈલી
- અજબ ગજબ
- જનરલ નોલેજ
- જમ્મુ કાશ્મીર
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Atul Rathod
નવસારી જિલ્લા કાર્યપાલક ઈજનેર (મા×મ) વિભાગના જણાવ્યા મુજબ તા. ૧૬ જુલાઈ થી ૧૯ જુલાઈ ૨૦૨૫ દરમિયાન નવસારી સુપા-બારડોલી રોડ પર પુર્ણા નદી ઉપર આવેલા સુપા નજીકના બ્રીજ ઉપર લોડ ટેસ્ટ હાથ ધરવામાં આવશે. સલામતીના ભાગરૂપે આ સમયગાળા દરમિયાન વાહન વ્યવહાર તથા રાહદારીઓ માટે આ બ્રીજ સંપૂર્ણપણે બંધ રહેશે. વૈકલ્પિક માર્ગ : આ અવધિ દરમિયાન વાહનો માટે ભુતબંગલા સુપા થી પેરા થઈ ધોળાપીપળા ચોકડી – એન.એચ. ૪૮ માર્ગનો ઉપયોગ કરવો. આ લોડ ટેસ્ટ ફક્ત જાહેર જનહિત માટે અને બ્રીજની સલામતી માટે કરવામાં આવી રહ્યો છે, તદ્દન જરૂર વગર કોઈ ખોટી વાતો અથવા અફવા ન ફેલાવવાની વિનંતી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલા બે મહત્વના જળાશયો કેલિયા ડેમ અને જુજ ડેમ આજે ૧૦૦ ટકા પાણી ભરાઈ જતા ઓવરફ્લો થયા છે. ડેમ ઓવરફ્લો થવાના પગલે ડેમની નીચેવાસના કુલ ૪૬ ગામોના નાગરિકોને તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં વાંસદા, ચીખલી, ગણદેવી અને ખેરગામ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. જુજ ડેમ, જે કાવેરી નદી પર જુજ ગામ ખાતે આવેલ છે, તે ૧૫ જુલાઈના રોજ વહેલી સવારે ૩:૦૦ કલાકે સંપૂર્ણ સપાટીએ ભરાઈ ઓવરફ્લો થયો હતો. ડેમમાંથી હાલમાં ૨૩૨.૩૩ ક્યુસેક પાણીનો પ્રવાહ ઓવરફ્લો થઈ રહ્યો છે. ડેમની સંપૂર્ણ જળ સપાટી ૧૬૭.૫૦ મીટર છે, જ્યારે આજ સવારે ૧૦ વાગ્યે નાપેલ સપાટી ૧૬૭.૮૦ મીટર નોંધાઈ…
નવસારી શહેરમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ બજાર કેન્દ્રનું ઉદ્ઘાટન તેમજ નૈસર્ગિક નવસારી એન્ડ્રોઈડ એપ્લિકેશનનું લોન્ચિંગ કેન્દ્રિય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટિલના હસ્તે ભવ્ય રીતે યોજાયું હતું. આ નિમિત્તે પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા ખેડૂતોએ પોતાના ખેત પેદાશોની વિક્રિ માટે ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાકભાજી, ફળફળાદી જેવી ખાદ્ય ખેતપેદાશો નવીન અવતાર સાથે શહેરજન સુધી સીધા પહોંચે તે હેતુસર આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, ધારાસભ્યશ્રી રાકેશ દેસાઈ તથા આર.સી. પટેલ સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એપ્લિકેશનનું લોન્ચિંગ નૈસર્ગિક…
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ નવસારી જિલ્લાના પ્રવાસે પધાર્યા હતા. તેમની ઉપસ્થિતિમાં જિલ્લામાં નવા ચૂંટાયેલા સરપંચોને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. સરપંચોને સંબોધન કરતાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે જે ભંડોળ ગ્રામ વિકાસ માટે આવે છે તેનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. સી.આર. પાટીલએ જણાવ્યું કે “જેમના કામ માટે ભંડોળ મળ્યું છે એ કામ માટે જ તેનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને સ્વચ્છતા માટે મળેલા ભંડોળનો ઉપયોગ માત્ર ગામના સ્વચ્છતા કામમાં જ થવો જોઈએ.” તેમણે વધુમાં જણાવ્યું કે હવે મનરેગા હેઠળ પણ વોટર હાર્વેસ્ટિંગ માટે ભંડોળ મળશે. ગુજરાતના 33 જિલ્લાઓ અને દેશના અનેક રાજ્યોમાં વોટર…
દેશમાં ઢાંચાગત વિકાસને વેગ આપવાના મંત્ર સાથે કેન્દ્ર સરકારે દિલ્લીથી મુંબઈ એક્સપ્રેસવે સહિત અનેક મલ્ટીલેન હાઈવે બનાવવાનું મોટું વિઝન ઘડ્યું છે. અનેક કરોડોના ખર્ચે તૈયાર થતા આ હાઈવે ભારતીય અર્થતંત્ર માટે રક્તવાહિનીનું કામ કરે તેમ છે. જોકે, આ ભવ્ય યોજનાનો એક ભાગ હાલમાં નકારાત્મક ચર્ચાનો વિષય બન્યો છે. નવસારી જિલ્લામાંથી પસાર થતો દિલ્લી-મુંબઈ એક્સપ્રેસવે હજુ લોકો માટે ખુલ્લો થયો પણ નથી, ત્યાં પહેલાં જ ધોવાણ અને માટી બેસી જવાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ઉગત અંબાડા અને સરભણ (સુરત જિલ્લા) નજીકના વિસ્તારોમાં સાઈડ શોલ્ડરિંગ ધોવાઈ જતાં મોટા ગાબડા પડ્યા છે. બંને તરફ લગભગ અડધો કિલોમીટર સાઈડ શોલ્ડર બેસી ગયેલ…
નવસારી જિલ્લામાં નેશનલ હાઈવે નંબર ૪૮ પર પડેલા ખાડાઓ અને ખરાબ રોડ સ્થિતિને લઈને જનતામાં અસંતોષ વધી રહ્યો છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બોરિયાચ ટોલનાકા ખાતે “રોડ નહિ તો ટેક્ષ નહિ”ના નારાઓ સાથે જન આક્રોશ આંદોલન કરવામાં આવ્યું. આ આંદોલન સતત બીજા દિવસે પણ જોરશોરથી કરવામાં આવ્યું હતું. આંદોલનમાં વાંસદા અને ચીખલીના ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ પણ જોડાયા હતા અને સરકારી તંત્રને કડક હથોડીવાળી ટકોર કરી હતી કે, જ્યારે માર્ગોની યોગ્ય મરામત નહીં થાય અને પ્રવાસીઓની સુરક્ષા નક્કી નહીં થાય ત્યાં સુધી ટેક્ષ વસુલવામાં ન આવે. આંદોલનકારીઓએ ટોલ ફી મુકત વ્યવસ્થાની માંગ સાથે તંત્ર સામે ઘોંઘાટ કર્યો…
નવસારી જિલ્લા પોલીસે સક્રિયતા દર્શાવી મેડિકલ સ્ટોરોમાં rules મુજબ દવાઓ વેચાય છે કે નહીં, તેની સઘન ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. પોલીસને મળેલી જાણકારી અને ગુપ્ત માહિતીના આધારે વિવિધ તાલુકાઓમાં સ્થાનિક પોલીસ સ્ટેશન અને એસઓજી ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જિલ્લાના છ તાલુકાઓમાં આવેલી કુલ 184 મેડિકલ સ્ટોરોમાં તપાસ હાથ ધરવામાં આવી. ચેકિંગ દરમિયાન ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક H1 કેટેગરીની દવાઓ તથા સીરપનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોરો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી. નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1, બીલીમોરા વિસ્તારમાં 2, વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1 નવસારી ટાઉન પોલીસ વિસ્તારમાં 1 મેડિકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શન વગર H1 દવાની વેચાણ કરવામાં…
આણંદ જિલ્લા અને વડોદરા વચ્ચેના મહત્ત્વના માર્ગ પર આવેલો મહીસાગર નદી પર જૂનો બ્રિજ આજે તૂટી પડતાં મોટી હોનારત સર્જાઈ છે. બ્રિજ તૂટી પડવાના બનાવથી સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. આ બ્રિજ વર્ષો જૂનો હતો અને તેની હાલત ઘણાં સમયથી નાજુક હતી, જેની અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. સ્થાનિક જિલ્લા પંચાયતના સભ્યો અને સામાજિક કાર્યકર્તા લખન દરબાર સહિત અનેક જાગૃત નાગરિકોએ આ જર્જરિત હાલત અંગે તંત્રને વારંવાર ધ્યાન દોરાવ્યું હતું. તેમણે નવો બ્રિજ બનાવવા કે રીપેર કરવાની માંગ સાથે અનેક લેખિત રજૂઆતો પણ કરી હતી. છતાં પણ તંત્ર તરફથી ગંભીરતા દાખવવામાં આવી નહોતી, જેના પરિણામે આજે આ દુર્ઘટના સર્જાઈ…
ભારે વરસાદ વચ્ચે ખડેપગે તંત્ર, નવસારી જિલ્લામાં 550થી વધુ લોકોનું સલામત સ્થળાંતર, સાથે અન્ય વ્યવસ્થા
નવસારી જિલ્લામાં તાજેતરના ભારે વરસાદને પગલે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. આથી નીચાણવાળા અને નદીકાંઠાના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાને લઈ વહીવટતંત્ર સતત સજાગ રહેતાં જરૂરી પગલાં લઈ રહ્યું છે. જિલ્લા વહીવટતંત્ર દ્વારા જનજાગૃતિ, રાહત અને રેસ્ક્યૂ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા લોકોની સલામતીને પ્રાથમિકતા આપતાં તેમને સમયસર આશ્રયસ્થાનોમાં સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે, આજે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા વિવિધ આશ્રયસ્થાનોની મુલાકાત લેવામાં આવી હતી. તેમણે સ્થળાંતરિત થયેલા નાગરિકો સાથે વ્યક્તિગત વાતચીત કરી અને રહેઠાણ, ભોજન, દવા, શૌચાલય અને સુરક્ષા જેવી મૂળભૂત સુવિધાઓની ઉપલબ્ધતા અંગે વિસ્તૃત માહિતી મેળવી.…
નવસારી જિલ્લામાં ચાલુ વરસાદની પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે. બીલીમોરા વિસ્તારમાંથી પસાર થતી અંબિકા નદીમાં બપોરના સમયે ગૌચરમાં ચરવા ગયેલા ઢોર અચાનક વધેલા પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. સ્થાનિકોએ ઘટના જાણતાં તરત બચાવ કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ તમામ ઢોરને સુરક્ષિત રીતે કિનારે લાવવામાં આવ્યા હતા. જિલ્લામાં રાતના 12 વાગ્યા પછી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. નવસારી શહેરમાં પૂર્ણા નદીના પાણી જાનક હદ સુધી પહોંચી ગયા છે. ભેંહેસત ખાડા વિસ્તારમાં નદીના પાણી ભરાતા 25થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભેંહેસત ખાડા વિસ્તારમાં આવેલ ગોટલી માતા અને…