- હોમ
- Web Stories
- ગુજરાત
- મનોરંજન
- બિઝનેસ
- વીડિયો
- ફોટો ગેલેરી
- હેલ્થ
- જીવનશૈલી
- અજબ ગજબ
- જનરલ નોલેજ
- જમ્મુ કાશ્મીર
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Atul Rathod
હોળી અને ધુળેટી જેવા રંગીન તહેવારોમાં ઉત્સવની ખુશીઓની સાથે કેટલીક વખત અનિચ્છનીય પરિસ્થિતિઓ પણ સર્જાય છે. તહેવારોના આ દિવસોમાં, ખાસ કરીને નવસારી જિલ્લામાં ઇમરજન્સી કેસોમાં 24.68% જેટલો વધારો થવાની શક્યતા રહે છે. આ આંકડો ભવિષ્યની પ્રતિકૂળ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે જરૂરી તૈયારી દર્શાવે છે. જિલ્લાની આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવાના હેતુથી, નવસારી જિલ્લાની 16 એમ્બ્યુલન્સ સતત 24×7 કાર્યરત રહેશે. આ સેવાઓ તત્કાળ સારવાર અને પીડિતોને ઝડપથી મદદરૂપ થવા માટે સજ્જ છે. આ માટે કોઈ પણ ઈમરજન્સી પરિસ્થિતિમાં 108 ડાયલ કરવાનું ભૂલશો નહીં. આ તાત્કાલિક સેવા તમારા અને તમારા નજીકના લોકો માટે જીવન બચાવનારા સાબિત થઈ શકે છે. https://youtu.be/j6W-575GVyM?si=kdWNi_whbvEfBRwv તહેવારો દરમ્યાન…
નવસારી શહેરમાં આઠ વર્ષ પછી પ્રખ્યાત નવસારી પ્રીમિયર લીગ (NPL) ક્રિકેટ ટુર્નામેન્ટ ફરીથી યોજાવા જઈ રહી છે. માર્ચ-એપ્રિલ મહિનામાં યોજાનારી આ ટુર્નામેન્ટ માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા દરમિયાન ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ક્રિકેટ ચાહકો અને સ્થાનિક ખેલાડીઓના ઉત્સાહે નવા ઔજ્જસ પામ્યું. નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન (NDCA)ની આગેવાની હેઠળ લુંસીકુઈ મેદાન ખાતે આ પ્રસંગ યોજાયો, જ્યાં અનેક ટુંકા અને લાંબા ફોર્મેટના ક્રિકેટર્સ પોતાની આગવી છાપ છોડી ગયા હતા. ઓક્શન દરમિયાન 8 ટીમના માલિકોને બે લાખ પોઇન્ટ આપવામાં આવ્યા, જેના આધારે તેઓને કુલ 15 ખેલાડીઓની પસંદગી કરવાની હતી. ટુર્નામેન્ટમાં કુલ 441 ફોર્મ ભરાયા હતા, જેમાંથી માત્ર 120 ખેલાડીઓ પસંદ કરાયા છે. આઠ…
રવિવારે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ભારતીય ટીમે ત્રીજી વખત ટાઇટલ જીત્યું. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું. આ સાથે, ભારતે સાતમી વખત ICC ટુર્નામેન્ટ જીતી. ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં, ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 251 રન બનાવ્યા; જવાબમાં, ભારતે 6 બોલ બાકી રહેતા ટાઇટલ મેચ જીતી લીધી. ભારતે 49 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 254 રન બનાવ્યા. ભારત માટે રવિન્દ્ર જાડેજાએ વિજયી ચાર ફટકાર્યા. ન્યુઝીલેન્ડની ટીમ ફરી એકવાર ફાઇનલમાં હારી ગઈ છે. નવસારરીમા આ ક્ષણ મની ઉજવણી ધામધૂમ થી કરવામાં આવી. ૨૫૨ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને રોહિત…
નવસારીના વાંસી ગામે આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીWriting “લખપતિ દીદીઓ” સાથે સ્પેશ્યલ સંવાદ કર્યો. આ દીદીઓ ગુજરાત સરકારના વિવિધ પાંખ હેઠળ કાર્યરત સખી મંડળ અને સ્વસહાય જૂથોનો ભાગ છે, જેઓ આર્થિક સશક્તિકરણ દ્વારા પોતાના જીવનમાં ક્રાંતિકારી બદલાવ લાવી રહ્યા છે. વડાપ્રધાને “લખપતિ દીદી”ના જીવનમાં આવેલા પરિવર્તનના કિસ્સાઓ સાંભળ્યા અને તેમનું ઉત્સાહ વધાર્યું. તે દૈનિક જીવનમાં સ્વરોજગારની મહત્તા અને મહિલા સશક્તિકરણ માટે આ પ્રકારના પ્રયાસોની મહત્વતા પર ભાર મૂકતા દેખાયા. તેમણે કહ્યું કે, “લખપતિ દીદીઓ એ આત્મનિર્ભર ભારતના આદર્શનું જીવંત ઉદાહરણ છે. https://www.youtube.com/live/Mj8r_USgM6k?si=Lh7iaeCk3z_Qg9U1 લખપતિ દીદીઓએ તેમની સફળતાની વાર્તાઓ વડાપ્રધાન સાથે શેર કરી, જેમકે કૃષિ આધારિત વ્યવસાયો, હસ્તકલા અને અન્ય નાના ઉદ્યોગો…
નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ વચ્ચે પોલીસ દ્વારા 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે સરાહનિય કામગીરી કરવામાં આવી છે. વડાપ્રધાનના રૂટ પર ભારે ટ્રાફિક વચ્ચે વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાનું જવાબદારીભર્યું કાર્ય નવસારી પોલીસે હાથ ધર્યું. વાંસી ગામે વડાપ્રધાન મોદીની સભા માટે દક્ષિણ ગુજરાતમાંથી આશરે 1.5 લાખ મહિલાઓના ઉમટવાના કારણે ટ્રાફિકની સ્થિતિ ગંભીર બની હતી. છતાં, પોલીસ દ્વારા સવારથી જ યોજના બનાવીને વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. નવસારી એસપીના માર્ગદર્શન હેઠળ શહેર અને આસપાસના વિસ્તારોમાં અગાઉથી જ પિક-અપ પોઈન્ટ્સ નક્કી કરવામાં આવ્યા હતા. પરીક્ષા માટે જતા વિદ્યાર્થીઓને સમયસર અને સુરક્ષિત રીતે પરીક્ષા કેન્દ્ર…
નવસારી માં જિલ્લા ભાજપ પ્રમુખ ના નામની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભુરાલાલ શાહને રિપીટ કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાય સમયથી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભુરાલાલ શાહ દ્વારા ફરિયાદ વગરની કામગીરી કરી છે. નવસારી જિલ્લાના નાના થી નાના કાર્યકર્તા થી લઈને તમામ મોટા હોદ્દેદારોને સાચવીને તેમણે મહત્વની ભૂમિકા ભાજપને આગળ લાવવા માટે ભજવી છે. તેમના ગત જિલ્લા ભાજપ પ્રમુખના કાર્યકાળ દરમિયાન કેટલાક મહત્વના કામો અને નવસારી જિલ્લામાં ભાજપનો વિસ્તાર વધારવા માટે મહત્વની ભૂમિકા સંગઠનમાં તેમની સાબિત થઈ છે. ત્યારે આજે ગુરુવારે તેમને ફરી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે જાહેરાત કરાતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં અને શહેરીજનોમાં…
નવસારીના વિજલપોર ખાતે રવિવારના દિવસે મોટી સંખ્યામાં મહિલાઓ કોંગ્રેસમાં જોડાઈ હોવાની ઘટના સામે આવી હતી. મહત્વનું છે કે આ દરમિયાન કોંગ્રેસના ખેસ પણ આ વિજલપોરની મહિલાઓએ ધારણ કર્યા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. મોટી સંખ્યામાં જોડાઈ હતી મહિલા મહત્વનું છે કે આ કાર્યક્રમ દરમિયાન વિજલપોરના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને આ દરેક લોકોની હાજરીમાં અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને નવસારી જિલ્લા મહિલા મોરચાના પ્રમુખની હાજરી અને આગેવાનીમાં મોટી સંખ્યામાં મહિલાઓ કોંગ્રેસમાં જોડાઈ હતી. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે રાતોરાત કઈ એવી ઘટના ઘટી કે જેને કારણે મહિલાઓ એવા નિવેદનો આપતી જોવા મળી હતી કે અમે ફક્ત…
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગામની કન્યાશાળા નંબર-1માં મધ્યાહન ભોજનની ગુણવત્તાને લઈને ફરી વિવાદ ઉભો થયો છે. શાળાની ધોરણ 4ની એક વિદ્યાર્થીનીના ભોજનમાંથી ઇયળ મળી આવવાના મામલાએ ચકચાર મચાવી છે. શાળામાં અભ્યાસ કરતી 228 વિદ્યાર્થીનીઓ માટે પૂરા પાડાતા ભોજનમાં આવી ખામીઓ વારંવાર સામે આવી રહી છે. શિક્ષકોને વાતની જાણ થતા જ તેમણે તાત્કાલિક ભોજનની ગુણવત્તા તપાસી હતી અને ઘટનાને ગંભીરતાથી લીધા બાદ શાળા સંચાલન સમિતિ (SMC)ના અધ્યક્ષે મધ્યાહન ભોજન સ્વીકારવાની ના પાડી છે. શાળાએ પણ મધ્યાહન ભોજન ન સ્વીકારવા માટે રજૂઆત કરી છે. વાલીઓમાં ચિંતાનું મોજું નાયક ફાઉન્ડેશન દ્વારા પૂરા પાડવામાં આવતા ભોજનની ગુણવત્તા પર અગાઉ પણ સવાલો ઉઠ્યા છે.…
કોઈપણ શહેર હોય તો તેની સમસ્યાઓ અને હોય છે. આ સમસ્યાઓ જે તે પાલિકા કે શાસક પક્ષને જણાવ્યા બાદ દરેક સમસ્યાઓનો હલ કરવામાં આવતો હોય છે. પરંતુ વિજલપુરના લોકો તો એટલા કંટાળ્યા છે કે શાસકોને પણ રજૂઆત કરી તંત્રને પણ રજૂઆત કરી પરંતુ કોઈ પણ પ્રકારનો સમાધાન સમસ્યાઓનો ન આવતા આખરે વિજલપુરના નાગરિકો કોંગ્રેસ તરફ પડ્યા હતા. હવે વાત ફક્ત નાગરિકોની નથી પરંતુ મહિલાઓએ મોરચો ઉપાડ્યો છે. કોંગ્રેસના નવસારી જિલ્લાના મહિલા પ્રમુખની આગેવાનીમાં વિજલપુર ની 150 થી વધુ મહિલાઓ આજે કોંગ્રેસમાં જોડાઈ. વિજલપુર માં એવી તો શું ઘટના બની નવસારી નો વિજલપુર વિસ્તાર એટલે કે આ વિસ્તારમાં આરસી પટેલ નો…
નવસારીમાં સાયબર ક્રાઈમના મામલાઓ ફરી પ્રકાશમાં આવ્યા છે, જ્યાં એક જ દિવસમાં સાયબર ઠગાઈના પાંચ નવા કેસ નોંધાયા છે. આ તમામ કેસોમાં કુલ 32 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. પોલીસ દ્વારા અલગ-અલગ 17 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, અને તપાસ ચાલી રહી છે. પ્રથમ કેસમાં ખેરગામના રહીશ ચેતન પટેલને વોટ્સએપ પર લિંક મોકલી એક ઓસ્ટ્રેલિયન ઇલેક્ટ્રોનિક કંપનીમાં રોકાણની લાલચ આપી 50,000 રૂપિયાની ઠગાઈ કરવામાં આવી. બીજામાં, વિજલપોરના પ્રતીકકુમાર પટેલ સાથે ટેલિગ્રામ પર લિંક દ્વારા 99,900 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી. ત્રીજા કેસમાં, નવસારી શહેરના વેપારી જયેશ વખારિયાને વોટ્સએપ પર ઉંચા વળતરની લાલચ આપી છ શખ્સોએ શેરબજારમાં રોકાણ કરાવવાનું કહીને 23 લાખ…