- હોમ
- Web Stories
- ગુજરાત
- મનોરંજન
- બિઝનેસ
- વીડિયો
- ફોટો ગેલેરી
- હેલ્થ
- જીવનશૈલી
- અજબ ગજબ
- જનરલ નોલેજ
- જમ્મુ કાશ્મીર
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Atul Rathod
ડિવાઇન પબ્લિક સ્કૂલ, નવસારીએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ધોરણ ૧૨ના પરિણામોમાં એક અનોખો માઇલસ્ટોન સિદ્ધ કર્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB)ની પરીક્ષાઓમાં શાળાએ કોમર્સ પ્રવાહમાં ૧૦૦% અને વિજ્ઞાન પ્રવાહમાં ૯૧% સફળતા મેળવી છે. વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યનું કુલ પરિણામ ૮૩.૫૧% અને નવસારી જિલ્લાનું પરિણામ ૮૪.૯૮% રહ્યું, જ્યારે કોમર્સ પ્રવાહ માટે રાજ્યનું પરિણામ ૯૩.૦૭% અને નવસારી જિલ્લાનું પરિણામ ૯૫.૬૧% રહ્યું હતું. આમાં ડિવાઇન પબ્લિક સ્કૂલ રાજ્ય અને જિલ્લાના સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે શ્રેષ્ઠ પરિણામ સાથે આગળ રહ્યું છે. કોમર્સ પ્રવાહ: ઐતિહાસિક સફળતા કોમર્સ પ્રવાહમાં ૭ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને ૧૦ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા છે. શાળાની ટોપર કસુંદ્રા…
નવસારી જિલ્લા કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં મહેસૂલી કર્મચારી એકત્ર થયા હતા અને પોતાના પ્રશ્નો અંગે રજુઆત કરી હતી. તેઓના મુખ્ય પ્રશ્નોમાં બદલીમાં ન્યાય ન મળવો, ખાલી જગ્યાઓ ભરવામાં વિલંબ, અને પ્રમોશન પ્રક્રિયામાં વિસંગતતાઓનો સમાવેશ થાય છે. છેલ્લા ઘણા સમયથી આ પ્રશ્નો અધ્ધરતાલ લટકતા જોવા મળી રહ્યા છે, જેનાથી કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કર્મચારીઓએ નાયબ મામલતદારથી મામલતદારના પ્રમોશન સંબંધિત મુદ્દાઓને પ્રાથમિકતા આપીને નિર્ણય કરવાની માંગણી કરી છે. તેમના મતે, આ મુદ્દાઓ માત્ર કામકાજની પ્રભાવશીલતા વધારવા માટે મહત્વના નથી, પરંતુ કર્મચારીઓના માનસિક સંતુલન માટે પણ જરૂરી છે. બીજી તરફ, મહેસૂલી કર્મચારીઓની માસ સીએલને ધ્યાનમાં રાખીને સરકારે સ્પષ્ટ કર્યું…
નવસારી આવેલા એઆઈસીસીના નિરીક્ષક દ્વારા આગામી સમયમાં નવા પ્રમુખ ની રચના કરવા માટે વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા અને વિવિધ માહિતી મેળવી હતી. ખાસ કરીને સંગઠન સુજન અભિયાન અંતર્ગત નિરીક્ષકોની જે ટીમ બનાવાય આવી છે આ ટીમના નિરીક્ષક પ્રફુલ પાટીલ નવસારી પહોંચી હતી અને તેમણે ભાજપના ગણાતા એવા નવસારીમાં ગઢ ની વ્યાખ્યા ને તોડી હતી. તેમણે જણાવ્યું હતું કે લોકશાહીમાં ગઢ પ્રકારની કોઈ વસ્તુ હોતી નથી. અને અમે નથી માનતા કે સી આર પાટીલનો ગઢ નવસારી છે. અમારા કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા છે અને પરિણામ પણ લાવશે. ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવવાના પ્રયાસ રૂપે AICC ના નિરીક્ષક પ્રફુલ પાટીલ સહિતની ટીમ નવસારી…
લાખાવાડી ગામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ “મન કી બાત” ના 121મા એપિસોડનું આયોજન થયું. 27 એપ્રિલના રોજ પ્રસારિત થયેલા આ એપિસોડમાં કાશ્મીરના તાજેતરના ઘટનાઓ અંગે પ્રધાનમંત્રીએ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો. કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓ: કાશ્મીર હુમલાની નીંદા: પ્રધાનમંત્રીએ 22 એપ્રિલના પહેલગામ આતંકવાદી હુમલાને પીડાદાયક ગણાવ્યો. તેમણે જણાવ્યું કે દેશના દુશ્મનોને ક્ષમા કરાશે નહીં, અને પીડિત પરિવારોને ન્યાય અપાવવામાં આવશે. સાથે જ એમણે કહ્યું કે કાશ્મીરમાં શાંતિ અને લોકતંત્ર મજબૂત થવાના કારણે આતંકવાદીઓને આ ગમતું નથી, જેના કારણે આ પ્રકારના હુમલા ઘડાયા છે. કસ્તુરીનંદનને શ્રદ્ધાંજલિ: પ્રધાનમંત્રીએ દેશના પ્રખર વૈજ્ઞાનિક કસ્તુરીનંદનના નિધન પર શોક વ્યક્ત કર્યો અને તેમના યોગદાનને યાદ કર્યું.…
નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન (NDCA)ના નેજા હેઠળ યોજાયેલી નવસારી પ્રીમિયર લીગ (NPL)ની ફાઇનલ મેચમાં લાઈફ ઈન ટીમે ત્રિધિ ઇલેવનને માત્ર એક રનના અંતરથી હરાવી વિજેતા બનવાનું ગૌરવ મેળવ્યું. પ્રથમ બેટિંગ કરતા ત્રિધિ ઇલેવને 20 ઓવરમાં 133 રન બનાવ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરતી લાઈફ ઈન ટીમે અંતિમ બોલ સુધી રસપ્રદ મુકાબલામાં વિજય હાંસલ કર્યો. વિજેતા ટીમને ધારાસભ્ય આર.સી. પટેલ અને NPLના પ્રમુખ રાજુભાઈ હિરાણીના હસ્તે ટ્રોફી સાથે ઇનામી રકમ પ્રદાન કરવામાં આવી. ફાઇનલ મેચમાં સાંસદ સી.આર. પાટીલે ખાસ હાજરી આપી, ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. મેચ દરમિયાન જલાલપોર અને નવસારીના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. ફાઇનલ મેચ નિહાળવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ…
નવસારી શહેરમાં પોલીસે વહેલી સવારથી કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું છે. સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકો, ખાસ કરીને બાંગ્લાદેશીઓની ઓળખ માટે ચાલતા ઓપરેશનના ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને મુસ્લિમ બહુલ વિસ્તારોમાં લોકોના આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં સલામતીને ધ્યાને રાખીને રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓના જોખમને ઘટાડવા માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને પહલગામ આતંકી હુમલા જેવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને પોલીસ સતર્ક છે. DYSP સંજય રાય અને તેમની ટીમે PI અને PSI સહિતના સ્ટાફ સાથે નવા ઉપક્રમો દ્વારા કામની શરૂઆત કરી છે. નવસારીના અલગ-અલગ વિસ્તારોમાં સાવચેતાઇપૂર્વક દરવાજે દરવાજે…
નવસારીમાં વર્ષ 2010થી પરિમલભાઈ દેસાઈએ પ્રાકૃતિક ખેતી અપનાવીને ભારતીય ખેતીની નવી દિશા બતાવી છે. પ્રકૃતિના પાંચ આયામોને જીવનમાં ઉતારીને જમીનના ફળદ્રુપતામાં વધારો કરીને ઓછી મૂલતે વધુ પેદાશ મેળવી શકાય છે. પાંચ આયામો: બીજામૃત ઘન જીવામૃત આચ્છાદાન વાપસા મિશ્રપાક પદ્ધતિ આ પદ્ધતિઓના ઉપયોગથી જમીનમાં ચોખ્ખાપણું અને ફળદ્રુપતા બંનેમાં વધારો થયો છે. પરિમલભાઈના સિદ્ધાંતો: પંચસ્તરીય મોડેલનો ઉપયોગ: કેરી, ચીકુ, શેરડી અને ચોખાના પાકમાં બમણું ઉત્પાદન. મૂલ્યવર્ધનથી આવકમાં વધારો: પાકોની માર્કેટિંગ અને પ્રક્રિયા દ્વારા વધુ મકસદ મેળવ્યા. પર્યાવરણ સાથે સંતુલન: રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ વગર શૂન્ય બજેટ ખેતી શક્ય છે. સરકારી સહાય અને ટેકનિકલ માર્ગદર્શન: નવસારી કૃષિ યુનિવર્સિટી અને ગુજરાત સરકાર દ્વારા…
ધમડાછા ખાતે આવેલા સી.કે. ફાર્મ એન્ડ પાર્ટી પ્લોટમાં અમૃતમ હોસ્પિટલ ગણદેવી તથા રોટરી ક્લબ ગણદેવીના સંયુક્ત ઉપક્રમે અમૃતમ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના મુખ્ય સ્પોન્સર એડવાઈઝ ફાઇનાન્શિયલ સર્વિસ ગણદેવીના પિનલ નાયક અને રવિ નાયકના મુખ્ય આર્થિક સહયોગ સાથે છ જેટલી ટીમો વચ્ચે ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી. આ ટુર્નામેન્ટનું આયોજન આઈ.પી.એલ. પ્રકારે વિવિધ ટીમના માલિકો દ્વારા કરાયું હતું. આ ટુર્નામેન્ટમાં ડૉ.કમલ વશીની મંગલમ ટીમ, જય દેસાઈની જેકી સ્ટ્રાઈકર્સ ટીમ, ડૉ.ચિરાગ દેસાઈ અને પોરસ નાયકની સુપર શિવમ ટીમ, નિસર્ગ મહેતા અને વિરાંગ દેસાઈની મૂન નેચર ટીમ, અલ્યક મહેતા અને શિવ નાયકની ફ્રેન્ડસ ઇલેવન તથા પ્રીત નાયકની રક્ષા મેડિકલ ટીમના…
ચીખલીના આલીપોર ગામના યુવક દ્વારા વકીલના ખોટા સિક્કા અને સહીનો ઉપયોગ કરી નકલી દસ્તાવેજ બનાવવાના ગુનાની ઘટના પ્રકાશમાં આવી છે. શોએબ મન્સુર નામના આ શખ્સે ચીખલીના એડવોકેટ નલિનભાઈ વૈદ્યની નોટરી સહી-સિક્કાનો ખોટો ઉપયોગ કરીને વિદેશ જવાના કામ માટે ખોટા એફિડેવિટ બનાવ્યા હતા. આ પ્રકરણની શરુઆત ત્યારે થઈ જ્યારે નલિનભાઈ વૈદ્યને ખબર પડી કે તેમની સહી-સિક્કાવાળી ઝેરોક્ષ નકલી દસ્તાવેજ તરીકે ઉપયોગમાં લેવાઈ રહી છે. નોટરીના ખોટા સિક્કા અને રાઉન્ડ શીલ બનાવીને શોએબ મન્સુરે આ કામ કર્યું હતું. એફિડેવિટમાં ખોટી સહી અને સિક્કા બનાવી અનેક લોકોને નકલી દસ્તાવેજ પુરાં પાડવામાં આવ્યા હતા. આ સમગ્ર કેસની જાણ થતાં એડવોકેટ નલિનભાઈ વૈદ્યે ચીખલી પોલીસ…
ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ચાપલધરા ગામે રેડ દરમિયાન ગુજરાતમાં સૌપ્રથમ વખત ગાંજા યુક્ત “જોમ્બી ઇ-સિગારેટ”નો કેશ ઉકેલવામાં આવ્યો. આ ઓપરેશન સ્ટેટ મોનિટરિંગ સેલના સિનિયર અધિકારીઓની માર્ગદર્શિકા હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું, જે રાજ્યમાં નશીલા પદાર્થો સામેની લડતમાં મહત્ત્વપૂર્ણ સિદ્ધિ બની છે. કબ્જે કરાયેલ મુદ્દામાલ • 20 ગાંજા યુક્ત જોમ્બી ઇ-સિગારેટ, જેની બજાર કિંમત અંદાજે ₹20 લાખ છે. • 80 ગ્રામ હાઈબ્રીડ ગાંજા, જેની બજાર કિંમત ₹8 લાખ છે. • કુલ મુદ્દામાલની કિંમત: ₹28 લાખ. ધરપકડ બાદ કરાઈ સખત કાનૂની કાર્યવાહી આ રેડ દરમિયાન બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેઓ પર કાયદા મુજબ પગલાં…