કેટલાક રિસર્ચ બાદ હવે ખાસ કરીને દવાઓની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે અને તેની આડ અસરો પણ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
સી ડી એસ સી ઓ દ્વારા હલકી ગુણવત્તા વાળી દવાઓની જાહેર કરેલી યાદી…
પેરાસિટામોલ, વિટામીન સી અને વિટામિન ડી 3 ટેબલેટ , વિટામીન બી કોમ્પ્લેક્સ, વિટામીન સી સોફ્ટ જેલ, એન્ટી એસિડ પેન ડી, પેરાસીટામોલ, એન્ટી ડાયાબિટીસ ડ્રગ ગ્લીમેપિરાઇડ, હાઈ બ્લડ પ્રેશર ની દવા ટેલમિસરટન, જેવી દવાઓ પરીક્ષણમાં નિષ્ફળ નીવડી છે.
અગ્રણી કંપનીઓ દ્વારા બનાવવામાં આવતી દવાઓ નિષ્ફળ નિવડતા ડ્રગ સામે સવાલો ઊભા થયા છે અને બજારમાં મળતી દવાઓની ગુણવત્તા સામે પણ સવાલો ઊભા થયા છે.
મેડિકલ માંથી દવા લેવાનું ટાળવું સ્વાસ્થ્ય માટે જરૂરી ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી.
મોટાભાગના લોકો ડોક્ટર કે હોસ્પિટલના મોટા ખર્ચા થી બચવા માટે મેડિકલોમાંથી દવા લઈને ખાવાનું પસંદ કરતા હોય છે પરંતુ મેડિકલમાં દવા આપનાર ટોરધારક પણ અમુક દવાઓ આપી શકતો નથી જેની પણ નોંધ હોવી જોઈએ એમાં ખાસ કરીને એન્ટિબાયોટિક હેવીડોઝ ની કોઈપણ દવા મેડિકલ માંથી લેવી સ્વાસ્થ્ય માટે હાનિકારક તો છે જ પરંતુ મેડિકલ ધારક પણ ગેરકાયદેસર રીતે દવા આપે છે.
ઘરે ટ્રીટમેન્ટ કરાવતા લોકો ધ્યાન રાખે.
મોટાભાગે હોસ્પિટલમાં રહેવાનું લોકોને ગમતું નથી તેવા સમયે બીમાર પડે કે માંદા પડે ત્યારે ઘરમાં બાટલા ચડાવવાની કેટલીક પદ્ધતિઓ શરૂ કરવામાં આવી છે જેમાં ડોક્ટરો દ્વારા હેવી ડોઝ આપવામાં આવે ત્યારે એની સાથે ગ્લુકોઝના બાટલા સાથે આપવાનું ડોક્ટરો સજેશન કરતા હોય છે ત્યારે ડોક્ટરની સલાહ માનવી પણ ખૂબ જરૂરી બની જાય છે.
પહેલું સુખ તે જાતે નર્યા પોતાની તંદુરસ્તીનું ધ્યાન પોતે રાખો.
ગુણવત્તા વગરની દવાઓ હોસ્પિટલમાં દાખલ થવા માટે તકલીફ પડવી આર્થિક નુકસાન થવું જેવા મહત્વના ખર્ચાઓ પર કાપ મુકવા માટે અને તંદુરસ્ત જીવન જીવવા માટે તંદુરસ્તીની સાર સંભાળ રાખવી જરૂરી બની જાય છે. ખાસ કરીને ખાણીપીણીમાં જંગ ફૂડનો વધારો ક સમયે ખાવું જેવા નિયમો ના કારણે સ્વાસ્થ્ય સામે સવાલો ઊભા થયા છે ત્યારે આયુર્વેદ પદ્ધતિ મુજબ જીવન જીવીને તમામ વસ્તુઓ ખાઈ શકાય પરંતુ જરૂર છે યોગ્ય સલાહકારોની સૂચનકારોની..
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકરી માટે છે.