ડૉ. બાબાસાહેબ આંબેડકર, ભારતીય બંધારણના નિર્માતા અને મહાન સમાજસુધારક, તેમના જીવન અને યોગદાનને યાદ કરવા માટે નવસારીમાં ભવ્ય રીતે જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ લૂંસિકુઇ આંબેડકર સર્કલ ખાતે યોજાયો હતો, જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ ડૉ. આંબેડકર પ્રત્યે પુષ્પ અર્પણ કર્યા.
એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકર ના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓએ ભારતીય બંધારણસભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને ‘બંધારણના ઘડવૈયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી ૧૯૯૦માં નવાજવામા આવ્યા હતા.
14 એપ્રિલ 2025 માં નવસારીમાં યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ, કાર્યકર્તાઓ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં આંબેડકર સાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે તેમના વિઝન અને સમતાના સિદ્ધાંતોને ઉજાગર કરતા તમામ લોકોએ બંધારણના આમુખની પ્રતિજ્ઞા લીધી.
કોંગ્રેસ પક્ષના અગ્રણીઓએ પણ આ જ સ્થળે હાજરી આપી અને ડૉ. આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી. તેઓએ સમાજ માટે આંબેડકર સાહેબના અમૂલ્ય યોગદાનની પ્રશંસા કરી અને લોકોને તેમના આદર્શો અનુસરવાની પ્રેરણા આપી.
આ ઉજવણી માત્ર રાજકીય પક્ષો પૂરતી મર્યાદિત રહી નહીં, પણ નવસારીના નાગરિકોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો અને ભારતીય બંધારણ તથા લોકશાહી માટે આંબેડકર સાહેબના યોગદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.