નવસારી શહેરના શાંતાદેવી વિસ્તારમાં આવેલી જીવનજ્યોત શાળાની બાજુમાં ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે, જેમાં આજે સવારે આગ લાગવાની ઘટના બની હતી. જોકે શાળામાં ભણતા બાળકોને સમયસર બહાર કાઢી લેવામાં આવ્યા હતા, ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
આગ લાગતા શાળાના સાથે તાત્કાલિક શાળામાં ભણી રહેલા બાળકોને સુરક્ષિત જગ્યાએ ઊભા રાખ્યા હતા. શાળાના ગેટને અડીને આવેલું ટ્રાન્સફોર્મરમાં અગમ્ય કારણોસર સ્પાર્ક લાગ્યા બાદ આગ લાગી હતી, જોકે આગ વધુ વિકરાળ બનવા પહેલા જ કાબુમાં આવી ગઈ હતી.જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી.
ઘટનાની જાણ થતા ડીજીવીસીએલના કર્મચારી પણ દોડતા થયા હતા. શાળાના ગેટની લગોલગ મૂકવામાં આવેલા ટ્રાન્સફોર્મર ભયજનક સ્થિતિમાં છે, તેને સરખી રીતે ફેંસિંગ પણ કરવામાં આવ્યું નથી, જો શાળાના બાળકો રમતા રમતા ટ્રાન્સફોર્મર પાસે પહોંચી જાય તો મોટી દુર્ઘટના થવાની સંભાવના રહેલી છે, જેને જોતા ડીજીવીસીએલ દ્વારા ટ્રાન્સફોર્મર ને સરખી રીતે ફેન્સીંગ કરવાની જરૂર છે.