વાંસદાના હનુમાનબારી ખાતે આવેલ VIP ફૂટવેરની બાજુની ગોદડાંની દુકાનમાં તારીખ 14 નવેમ્બર 2024 ના રોજ આશરે સાંજે 8:00 કલાકે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આજુ-બાજુના લોકો મદદે આવતાં આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, ત્યારબાદ વાંસદાથી ફાયરબ્રિગેડની ટીમ આવી પહોંચતા આગને કાબુમાં લેવામાં આવી હતી.
આ આગના કારણે વ્યાપક નુકસાન થયું હતું. ઘટના સ્થળે રાણીફળિયા ગ્રામ પંચાયતના સરપંચ બાબુભાઈ, હનુમાનબારીના સરપંચ રાકેશભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયતના સભ્ય યોગેશભાઈ હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વાંસદા પોલીસ ટીમએ પણ આગ કાબુમાં લેવડાવવા ભારે જહેમત ઉઠાવી હતી. આ આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સાંસદ ધવલ પટેલને ઓણ આ ઘટનાની જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.