રાજકોટમાં બનેલી ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડ્યા હતા અને ગેમ ઝોન તમામ સ્થળોએ બંધ કરી દેવામાં આવ્યા હતા. રાજકોટ અગ્નિકાંડમાં અનેક મોત થયા હોવાનું પણ સામે આવ્યું હતું. જેને લઈને વિવિધ જિલ્લાઓમાં જે તે કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને ગેમ ઝોન પ્રતિબંધ એટલે કે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે આ બાદ હાલ નવસારી અધિક કલેક્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કેટલાક ધારા ધોરણ અને નિયમોને આધીન ગેમ ઝોન ની શરૂઆત કરી દેવમાં આવી છે.
ગૃહ વિભાગ તરફથી જુલાઈ માસમાં કેટલીક સૂચનાઓ આવતા કલેકટર દ્વારા અનેક શરતોને આધીન કેટલાક ગેમ ઝોનને મંજૂરી આપવાનું નોટિફિકેશન ગેજેટ મારફતે બહાર પાડ્યું હતું. મહત્વનું છે કે આ બાદ હવે જેટલા લોકોએ આ ગેમ ઝોન ખોલવા માટે અરજી કરી હતી તેમની અરજી ને ધ્યાને રાખીને આ ગેમ ઝોન ફરી શરૂ કરવામાં આવ્યા છે.
નવસારીમાંથી કુલ ત્રણ જેટલા ગેમ ઝોનના સંચાલકો દ્વારા એપ્લિકેશન આપવામાં આવી હતી. જેમાં ગેમ ઝોન ફરીથી કાર્યરત કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. સરકારની જે ગાઈડલાઈન અને ધારા ધોરણ છે તે તમામ આ ગેમ ઝોન પાલન કરતું હોવાને લઈને અરજી કરવામાં આવી હતી. ખાસ કરીને ફાયર એનઓસી, ઇન્સ્યોરન્સ તેમજ ફાયર સેફટી ના સાધનો આ ઉપરાંત હેલ્થ અને જમીન અંગેના ટાઈટલ જેવા વગેરે બાબતોનો અભ્યાસ કરી સલામતીની પૂર્તિ કાળજી લીધા બાદ આ તમામ જે ગેમ ઝોન છે જેમણે અરજી કર્યા હતા તેમને મંજૂરી આપવામાં આવી છે.
લોકો પોતાના જિલ્લામાં આનંદ પ્રમોદ માણી શકે અને પોતાનો સમય પસાર કરી શકે તેની તેવી સુવિધા અંગે ધ્યાને રાખીને તંત્ર દ્વારા ગૃહ વિભાગ દ્વારા જે સૂચના મળી છે તેને અનુસંધાને વિવિધ ક્રાઈટેરિયા ધ્યાને રાખીને આ જાહેરાત કરી સાથે સલામતી જાળવી કામગીરી કરવાની સૂચના સાથે ગેમ ઝોનને મંજૂરી આપવામાં આવી છે.
ખાસ કરીને મંજૂરી આપવામાં આવી તે પહેલા તંત્ર દ્વારા એવી ખાતરી કરવામાં આવી છે કે આ જે પણ ગેમ ઝોનને મંજૂરી મળી છે તે સ્થળ ઉપર જો કોઈ ઘટના ફાયરને લઈને બને તો આગ બુઝવવા માટે પૂરતા સાધનો અને વ્યવસ્થા છે કે કેમ તે તમામની ખાતરી ફાયર વિભાગના અધિકારી દ્વારા કરવામાં આવ્યું છે અને તે બાદ જ મંજૂરી આપવામાં આવી છે તેવું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરવા જણાવવામાં આવ્યું હતું. કમિટી દ્વારા આ તમામ બાબતે ચકાસણી કરી તેમાં કોઈપણ પ્રકારની ખામી તો નથી ને એની ખાસ તકેદારી રાખવા માં આવી હોવાનું જણાવ્યું હતું જેથી કરીને પ્રજાજનોને કોઈ જાનહાની જાનમાલને નુકસાન ન થાય