છેલ્લા દસ વર્ષથી નવસારી શહેરમાં ગણેશ ચતુર્થી પર્વ દરમિયાન નીકળતા પૂજાપો સમાજસેવી સંસ્થાઓ દ્વારા ભેગો કરીને એક જગ્યાએ એકત્ર કરવામાં આવે છે અને એને ઓર્ગેનિક ખાતર બનાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવે છે.
કેવી રીતે બનાવવામાં આવે છે ફૂલોમાંથી ખાતર..??
ગણેશ ચતુર્થી પર્વ દરમિયાન નીકળેલા ફૂલો અને હાર તોરા ને ભેગા કરીને એના પર પાણીનું આવરણ છંટકાવ કરવામાં આવે છે ફૂલો સળિયા બાદ તેમાં અળસિયા નાખવામાં આવે છે અથવા તો માટી સાથે ભેગા કરીને સડાવવામાં આવે છે અને જેમાંથી ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવે છે ઓર્ગેનિક ખાતર ગાર્ડનમાં તેમજ કિચન ગાર્ડનમાં વાપરી શકાય છે અને એક સેન્દ્રીય ખાતર તરીકે ખૂબ મહત્વનું ગણાય છે..
કેટલા દિવસ લાગે છે ભૂલમાંથી ખાતર બનતા??
ફૂલ અને હાર તોરામાં થી ઓર્ગેનિક ખાતર બનાવવા માટેની પ્રક્રિયા 30 થી લઈને 45 દિવસ સુધીની હોય છે અળસિયા દ્વારા અથવા તો માટીમાં ભેગું કરીને ફૂલોને સડાવવામાં આવે છે અને ત્યારબાદ સડી ગયેલા ખાતરને ચારણી દ્વારા ચાલીને બેગમાં પેક કરીને બાગમાં બગીચામાં તથા ખેતરમાં નાખી શકાય છે.
નવસારી શહેરમાંથી અંદાજે 8 થી વધુ પૂજાપો નીકળવાનો અંદાજ
નવસારી શહેરમાં નાના-મોટા ગણતરી કરીને 2000થી વધુ નાની મોટી પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે છે જેમાં નવસારી શહેરના વિવિધ મંડળો અને ઘરોમાં સ્થાપન કરેલા ગણપતિ દાદા ની દસ દિવસ સુધી કરવામાં આવેલી પૂજા દરમિયાન આઠથી દસ ટન જેટલો પૂજાપો આવવાની શક્યતા નો અંદાજ લગાવવામાં આવ્યો છે જે સમાજસેવી સંસ્થાઓ દ્વારા ભેગો કરવામાં આવે છે નગરપાલિકા દ્વારા વાહનપુરા પાડવામાં આવે છે અને ત્યારબાદ ઓર્ગેનિક ખાતર બનાવવાની પ્રક્રિયા શરૂ થતી હોય છે.
ફૂલો નદીમાં ન નાખતા પર્યાવરણનું પ્રદૂષણ અટકે છે..
પર્યાવરણને પ્રદૂષણને રોકવા માટે વિવિધ પ્રયત્ન કરવામાં આવતા હોય છે જેમાં ગણેશ ચતુર્થી દરમ્યાન નીકળતા પૂજાપાને ઓર્ગેનિક ખાતર બનાવવા માટે ભેગું કરી લેવામાં આવે છે જેનાથી નદીમાં ફેકવાની નોબત આવતી નથી અને ફૂલો નારિયેળ તથા અન્ય પૂજાપાઓ નદીમાં ન નાખતા પર્યાવરણની જાળવણી પણ થાય છે.