નવસારી શહેરનો સૌથી જાણીતો વિસ્તાર એટલે કે લુન્સિકુઇ. અહીં દસ દિવસ માટે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. નવસારી વિસ્તારમાં ગણેશ જીની જે પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન માટે પણ પહોંચ્યા હતા.
વિવિધતામાં એકતાનો આ પર્વ ઉજવવા માટે નવસારીના કોઈ સહિતના આસપાસના વિસ્તારોના યુવાનો એકત્ર થયા હતા. અને દસ દિવસ માટે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 34 વર્ષથી આ પ્રમાણે ગણેશજીની સ્થાપના નવસારીમાં વિસ્તારમાં સર્કિટ હાઉસ ની સામે કરવામાં આવે છે. ધામધૂમથી દર વર્ષે આ પ્રકારનું આયોજન અહીં યુવાનો દ્વારા કરવામાં આવે છે.
ત્યારે મંગળવારે વિસર્જન યાત્રા નીકળી હતી જેમાં ધામધૂમથી ડીજેના તાલે ભક્તો જુમી ઉઠ્યા હતા. ગરબા અને નૃત્ય સાથે આ ડીજે સાથે ગણેશજીને ભાવભીની આંખે વિદાય આપવામાં આવી હતી.