Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

31 ડિસેમ્બર પહેલા મિલકત વેરા નહીં ભરો તો શું કરશે NMC, જાણી લો નહીં તો વધશે મુશ્કેલી

December 13, 2025

CCTV Video : નવસારી છાપરા રોડ પાસે ભયાનક અકસ્માત: ટ્રાવેલરની પાછળ કાર ધડાકાભેર અથડાઈ

December 10, 2025

14 ડિસેમ્બરે ‘નમસ્તે નવસારી ગ્રંથ’ નું થશે વિમોચન : નવસારી જિલ્લાના ભવ્ય ઇતિહાસને સમર્પિત એક અનોખું દસ્તાવેજનું પ્રિ-બુકીંગ કેવી રીતે કરશો જાણો

December 8, 2025
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»નવસારીમાં પહેલીવાર ગણેશજી આવ્યા, જાણો ગણેશ ચતુર્થીનો નવસારીનો 100 વર્ષ જૂનો ઇતિહાસ…
નવસારી

નવસારીમાં પહેલીવાર ગણેશજી આવ્યા, જાણો ગણેશ ચતુર્થીનો નવસારીનો 100 વર્ષ જૂનો ઇતિહાસ…

સર્વ દેવોમાં પ્રથમ પૂજાના ગણપતિ દાદાની પૂજા અર્ચના કોઈપણ શુભ કાર્યની શરૂઆતની સાથે પ્રથમ કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી પર્વ નું મહાત્મય ગણેશપુરાણથી માંડીને વિવિધ પુરાણોમાં કરવામાં આવ્યું છે જેનાથી મનુષ્ય મન ઇચ્છિત ફળ પામી શકે. વર્ષોથી ગણેશ ચતુર્થી પર્વની ઉજવણી તો કરવામાં આવતી હતી પરંતુ 1893 માં લોકમાન્ય તિલક એ અંગ્રેજોની સામે સંગઠિત થવાને સામાજિક એકતા અને દેશદાઝ જગાડવા માટે ગણેશ ચતુર્થી પર્વની શરૂઆત કરી હતી તે ત્યારથી આજ સુધી ધામધૂમ પૂર્વક દેશ અને દુનિયામાં ઉજવણી કરવામાં આવે છે.
Atul RathodBy Atul RathodSeptember 17, 2024Updated:September 17, 2024No Comments4 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Know the 100 year old history of Ganesh Chaturthi Navsari...
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

મુંબઈ થી શરૂ થઈને નવસારીના જુનાથાણા અને ત્યાર બાદ સિદ્ધિવિનાયક મંદિરે પ્રથમ ગણપતિ સ્થાપના થઈ હતી..

અંદાજે 80 વર્ષ જેટલા સમય પહેલા નવસારી શહેરમાં પ્રથમ જુનાથાણા અને બાદમાં સિદ્ધિવિનાયક ગણપતિ સ્થાપન કરવામાં આવ્યા હતા જેમાં નવસારીના રેલ્વે સ્ટેશન નજીક આવેલ સિદ્ધિવિનાયક મંદિરેથી ગણેશ ચતુર્થી પર્વની શરૂઆત થઈ હતી અને આજે પણ ત્યાં ભક્તિ ભાવ પૂર્વક ગણેશ ચતુર્થી પર્વની ઉજવણીની સાથે ગણપતિદાદાની પૂજા થાય છે.

ગણેશ સંગઠનની સ્થાપના નો ઇતિહાસ.

નવસારી શહેરના મૂળ જનસંઘી ઓ દ્વારા ગણેશ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. તળ નવસારીના ગાંધી સમાજ દ્વારા ગણેશ મંડળની સ્થાપના કરવામાં આવી હતી જેમાં શહેરના અગ્ર ગણો પ્રમુખ રહી ચૂક્યા છે..

અત્યાર સુધી ગણેશ સંગઠનના 20 જેટલા પ્રમુખો રહી ચૂક્યા છે…

ગણેશ સંગઠન આમ તો સરકારી દફ્તરે નોંધાયેલું સંગઠન નથી પરંતુ નવસારી શહેર સંગઠનનું ગણેશ ચતુર્થી પર્વ ને ભક્તિ ભાવ અને સંગઠિત રીતે ઉજવણી કરવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે જેમાં વર્ષોથી શરૂ થયેલું ગણેશ સંગઠન આજે પણ કાર્યરત છે.

વિસર્જનમાં વેરાવળ વિસર્જન સમિતિ વર્ષોથી કાર્યરત.

નવસારી શહેરની ગણેશ પ્રતિમાઓનું વિસર્જન વેરાવળ ખાતે આવેલ પૂર્ણ નદીના તટમાં વિસર્જન કરવામાં આવે છે જેમાં વિરાવળ ગણેશ સંગઠન મંડળના 150 થી વધુ યુવાનો કામે લાગે છે સમગ્ર દિવસ દરમિયાન સ્વેચ્છિક સેવાઓ આપે છે.

નવસારી નગરપાલિકા અને વેરાવળ મંડળની એમ ત્રણ હેવી ક્રેન વિસર્જનમાં વપરાય છે.

નવસારી શહેરની ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવા માટે 50 ટન 100 ટન અને 200 ટનની એમ ત્રણ ક્રેન મૂકવામાં આવે છે જેનાથી માચડો બનાવીને પૂર્ણ નદીના મધ્યમાં લઈ જઈને વિસર્જન કરવામાં આવે છે.

વેરાવળ ગ્રામ ના રામજી મંદિરના લાભાર્થે વિસર્જનનું સમગ્ર ભંડોળ જમા થાય છે.

વેરાવળ ગણેશ મંડળ દ્વારા વર્ષોથી ગણેશ વિસર્જન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે જેમાં ઉપર તું ભંડોળ ગામના રામજી મંદિરના લાભાર્થે ઉપયોગમાં લેવામાં આવે છે ખૂબ મહેનત ભર્યું કામ વેરાવળ ગ્રામ ખૂબ મહેનત ભર્યું કામ વેરાવળ ગામના યુવાનો વિસર્જન પ્રક્રિયામાં ભાગ લે છે.

તરવૈયાઓની ટીમો નગરપાલિકા તથા ગામના લોકો દ્વારા તૈનાત કરવામાં આવે છે.

નવસારી શહેરમાં મોટા ગણપતિઓ 25 ફૂટ સુધીના હોય છે જેનું વિસર્જન કરવું ખૂબ અઘરું હોય છે તેવા સમયે નવસારી શહેરમાં ઘટના ઘટે તો એને પહોંચી વળવા માટે નવસારી નગરપાલિકાના ફાયરના જવાનો તથા સ્થાનિક વિરાવળ ગામના યુવાનો ખડે પગે સમગ્ર દિવસ દરમિયાન વિસર્જન પૂર્ણ થાય ત્યાં સુધી ઉભા રહેતા હોય છે.

નવસારી શહેરમાંથી અંદાજે 50,000 થી વધુ લોકો વિસર્જન માટે નીકળે છે.

નવસારી શહેર ચાર લાખની વસ્તી ધરાવતું એક મોટું શહેર તરીકે અને શાંતિમય જીવન પદ્ધતિ જીવતા લોકોનું શહેર છે. વિવિધ કાર્યક્રમોની ધામધૂમ પૂર્વક ઉજવણી કરતું હોય છે જેમાં ગણેશ ચતુર્થી પર્વની પણ મોટા પાયે ઉજવણી કરવામાં આવે છે જેમાં નવસારી શહેરમાંથી 50,000 થી વધુ લોકો ઢોલ નગારા તાસા અને ડીજેના તાલે નાચ ગાન સાથે વિસર્જન માટે નીકળતા હોય છે 50,000 થી વધુ લોકો ગણેશ ચતુર્થી નાચ ગાન સાથે વિસર્જન માટે નીકળતા હોય છે 50,000 થી વધુ લોકો ગણેશ વિસર્જન માટે બહાર નીકળતા હોય છે.

1500 પોલીસ જવાનો ખડે પગે.

નવસારી શહેર અને જિલ્લામાં 1500 થી વધુ પોલીસ જવાનો સમગ્ર દિવસ દરમિયાન કામે લાગે છે જેમાં જિલ્લા પોલીસવાળા ડીએસપી પીઆઇ પીએસઆઇ જેવા અધિકારીઓના લાઇઝનીંગમાં સમગ્ર સુરક્ષા પ્રક્રિયાનું ધ્યાન રાખવામાં આવતું હોય છે.

50000 થી લઈને 1,00,000 સુધીનું ભાડું ક્રેન માટે ચૂકવવામાં આવે છે..

નવસારી નગરપાલિકા અને વેરાવળ ગામ ગણેશ વિસર્જન સમિતિ દ્વારા ક્રેન નો ભાડે લાવવામાં આવે છે જેનાથી સરળતાથી મોટા ગણપતિદાદાનું નદીના મધ્ય જઈને વિસર્જન થઈ શકે તેના માટે મત મોટો ખર્ચ નગરપાલિકા અને વેરાવળ ગામના યુવાનો ખર્ચ કરતા હોય છે.

ગણેશ વિસર્જન સમયે સેવાનો ધોધ પણ વહે છે..

ગણેશ વિસર્જન દરમિયાન વિવિધ લાગણી સંબધ દ્રશ્યો સર્જાતા હોય છે ધાર્મિક સદભાવનાના દ્રશ્યો નિર્મિત થતા હોય છે. નવસારી શહેરમાં ગણેશ વિસર્જન માટે નીકળેલા લોકોને પાણી શરબત વડાપાવ તેમજ ખાણીપીણીની વિવિધ વસ્તુઓ ઉપલબ્ધ કરાવતા સમાજસેવકો પણ મેદાનમાં આવતા હોય છે અને છૂટથી લોકોને ખાવા પીવાની વસ્તુઓ ઉપલબ્ધ કરાવતા હોય છે.

નવસારીની વર્ષો જૂની પરંપરા ટાવર પર તમામ શહેરના ગણપતિઓ ભેગા થઈને વિસર્જન માટે આગળ વધે છે..

નવસારી શહેરમાં વર્ષોથી એક પરંપરા ચાલી આવે છે જેમાં નવસારી શહેરના ટાવર ખાતે શહેરના તમામ વિસ્તારોમાંથી આવતા ગણપતિ પ્રતિમાઓ ભેગી થાય છે અને ત્રણ વિસ્તારમાંથી આવતી પ્રતિમાઓ ભેગી થઈને ઉત્તર દિશામાં પ્રયાણ કરે છે તમામ દિશાઓમાંથી આવતા ગણેશ મંડળોનું લક્ષ્મણ હોલ ખાતે સ્વાગત કરવામાં આવે છે તમામ રાજકીય નેતાઓ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ અને સામાન્ય જનતા ગણપતિ દાદા ને નિહાળવા તેમજ સ્વાગત માટે ઉપસ્થિત રહે છે.

Ganesh visarjan Navsari ​​Purna River
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

31 ડિસેમ્બર પહેલા મિલકત વેરા નહીં ભરો તો શું કરશે NMC, જાણી લો નહીં તો વધશે મુશ્કેલી

December 13, 2025

CCTV Video : નવસારી છાપરા રોડ પાસે ભયાનક અકસ્માત: ટ્રાવેલરની પાછળ કાર ધડાકાભેર અથડાઈ

December 10, 2025

14 ડિસેમ્બરે ‘નમસ્તે નવસારી ગ્રંથ’ નું થશે વિમોચન : નવસારી જિલ્લાના ભવ્ય ઇતિહાસને સમર્પિત એક અનોખું દસ્તાવેજનું પ્રિ-બુકીંગ કેવી રીતે કરશો જાણો

December 8, 2025
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,768 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,670 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,315 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,947 Views
Don't Miss
નવસારી

31 ડિસેમ્બર પહેલા મિલકત વેરા નહીં ભરો તો શું કરશે NMC, જાણી લો નહીં તો વધશે મુશ્કેલી

By Atul RathodDecember 13, 20250

નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા શહેરના તમામ મિલકત ધારકોને એક મહત્વપૂર્ણ અને અંતિમ સૂચના આપવામાં…

CCTV Video : નવસારી છાપરા રોડ પાસે ભયાનક અકસ્માત: ટ્રાવેલરની પાછળ કાર ધડાકાભેર અથડાઈ

December 10, 2025

14 ડિસેમ્બરે ‘નમસ્તે નવસારી ગ્રંથ’ નું થશે વિમોચન : નવસારી જિલ્લાના ભવ્ય ઇતિહાસને સમર્પિત એક અનોખું દસ્તાવેજનું પ્રિ-બુકીંગ કેવી રીતે કરશો જાણો

December 8, 2025

Breaking News : નવસારીમાં બીલીમોરા ITI થી યમુના નગર જતા રસ્તા પર દીપડાના આંટાફેરા! વાછરડાનું મારણ કરતા વનવિભાગ એક્શનમાં..

December 5, 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2025 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.