રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ માંથી વિવિધ સ્વરૂપે ભંડોળ મેળવીને શહેર માટે જરૂરી સુવિધાઓ ઉભી કરવા માટેની તકો હવે સાપડી છે વર્ષો બાદ આવી તક નવસારી શહેરને મળી છે. જેનો સદ ઉપયોગ કરીને શહેરને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે રાજકીય ઈચ્છા શક્તિ અને વહીવટદારોની દીર્ઘદ્રષ્ટિ મહત્વની બની રહેવાની છે.
એમાં પણ IAS મ્યુનિસિપલ કમિશનર ના અમદાવાદ મહાનગરપાલિકાના અનુભવો સાથે નવસારીને પ્રથમ કમિશનર અને પ્રથમ મેયર શું આપી જાય છે તે મહત્વનું અને ઐતિહાસિક બની જવાનું છે.
મોટાભાગે IAS કક્ષાના અધિકારીઓને રહેવા માટેની સુવિધાઓ રાજ્યને કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી હોય છે અને એમાં પણ મહાનગરપાલિકાઓમાં મેયર અને કમિશનર માટે અલાઈ દો બંગલો બનાવવામાં આવતો હોય છે જેમાં નીતિવિષયક કામગીરીઓ કરી શકાય અને અધિકારીઓ અને વહીવટી તંત્રના લોકો મીટીંગો કરી શકે તેવા પ્રકારની વ્યવસ્થાઓ બંગલામાં કરવામાં આવતી હોય છે.
નવસારી શહેરને પણ હવે મેયર અને મ્યુનિસિપલ કમિશનર મળ્યા છે તેવા સમયે બંને માટે બંગલા ક્યાં બનાવી શકાય તેના માટેની શોધખોળ શરૂ થઈ ચૂકી છે. નવસારી મહાનગર પાલિકા પાસે જરૂરી ગાર્ડન સાથે બંગલો બની શકે તેવી કેટલીક જગ્યાઓ છે જ્યાં મેયર અને કમિશનર બંગલો બની શકે છે.
1… દશેરા ટેકરીના પશુપાલન વિભાગની જમીનમાં મેયર અને કમિશનર બંગલો બની શકે.
2… નવસારી સેના દશેરે ટેકરી વિસ્તારમા આવેલા પશુપાલન વિભાગની જમીન ખુલ્લી પડી છે ત્યાં જિલ્લા પંચાયત પ્રમુખ માટે બંગલો બનાવવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો છે એ જગ્યામાં કદાચ મેયર અને કમિશનર બંગલો બની શકે.
3… અગ્રવાલ કોલેજ રોડ પર આવેલા વિરાંજલી માર્ગની નગરપાલિકાના ગોડાઉન વાળી જગ્યામાં કમિશનર અને મેયર બંગલો બને તેવી પણ શક્યતાઓ છે.
4… લૂંસીકુઈના જલ ભવન વિસ્તારમાં કે જ્યાં જિલ્લા પોલીસવડા નો બંગલો બનાવવામાં આવ્યો છે એ જ વિસ્તારમાં પાછલા ભાગે સરકારી જમીન મોટા પ્રમાણમાં પડી છે એ વિસ્તારમાં પણ વિચારણા કરી શકાય તેમ છે.
5… સર્કિટ હાઉસ ની બાજુમાં આવેલી સહયોગ સોસાયટીમાં જિલ્લા કલેકટર ડીડીઓ અને જજીસ કોલોની છે એ વિસ્તારના સરકારી જમીનના ભાગમાં પણ કમિશનર અને મેયર બંગલો બનાવવામાં આવે તો અધિકારીઓને સરળતા રહેશે.