કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર નવસારી સહિત ગુજરાત રાજ્યના 18 જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મોકડ્રિલનું આયોજન કરાયું છે. આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ કઠિન પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવો અને તંત્ર સાથે સહયોગ વધારવો છે.
મહત્વપૂર્ણ સમય:
- સાંજે 04:00 થી 08:00:
મોકડ્રિલની તાત્કાલિક કાર્યવાહી અને સુરક્ષા પ્રોટોકોલનો અભ્યાસ. - સાંજે 07:30 થી 08:00:
બ્લેકઆઉટ (અંધારપટ):
નાગરિકો તથા તંત્ર હવાઈ હુમલા જેવી પરિસ્થિતિમાં શું પગલાં લેવાના છે તે અંગેની તૈયારી માટે વિજળી/લાઇટ બંધ રાખવાની અનુરોધ કરવામાં આવે છે.
મોકડ્રિલના ઉદ્દેશ:
- નાગરિકોને કઠિન પરિસ્થિતિમાં સરકારી તંત્ર સાથે સહયોગ આપવા પ્રેરિત કરવું.
- હવાઈ હુમલા જેવી પરિસ્થિતિમાં આદર્શ પગલાં શીખવવા.
- લોકોમાં જાગૃતિ લાવી તેમના ડર અને ભયને દૂર કરવો.
આ મોકડ્રિલ એક તાલીમપ્રક્રિયા છે અને નાગરિકોએ કોઈ પણ પ્રકારના ડર કે ભય રાખવાની જરૂર નથી.
તમામ નાગરિકોએ સાંજે 07:30 થી 08:00 દરમિયાન બ્લેકઆઉટમાં સહકાર આપવો અને મોકડ્રિલને સફળ બનાવવા તંત્ર સાથે સહયોગ સાધવો.