સુરતમાં ગોઝારી ઘટના બની હતી જેમાં ગટરમાં એક બાળકનું પડી જવાથી મોત થયું હતું. ખુલ્લી ગટરને કારણે ગુજરાતમાં અગાઉ પણ અનેક જગ્યાએ મોતની ઘટનાઓ સામે આવી છે. ત્યારે નવસારીમાં પણ આ પ્રકારની સ્થિતિ ન સર્જાય તે માટે જનતા જનાર્દન ન્યુઝ દ્વારા શહેરમાં આવેલી ખુલ્લી ગટરો અંગે મહાપાલિકા નું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
નવસારી મહાનગરપાલિકા ના વિવિધ વિસ્તારોમાં ખુલ્લી ગટરો અંગે જનતા જનાર્દન દ્વારા શુક્રવારે બપોરે 1 વાગ્યે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. અને આ સમાચારને કારણે પાલિકા જાગી હતી.
નવસારીના પારસી હોસ્પિટલ હોય કે વેજલપુર નો ગોલ્ડડી સોલાર કોઈપણ તમામ વિસ્તારોમાં ખુલ્લી ગટરો અંગે અહેવાલ પ્રસિદ્ધ કરતા તાત્કાલિક મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યો હતો અને આજે શનિવારે આ તમામ જે વિસ્તારો છે તેમાં ગટરના નવા ઢાકણ લગાવવાની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે જેના વિડીયો પણ સામે આવ્યા છે.
પાલિકાની કચેરીઓમાં બેસેલા કર્મચારીઓ પોતાની આળસ ખંખેરીને મેદાને ઉતર્યા અને આખા નવસારી શહેરની તમામ જે ખુલ્લી ગટરો છે તેને બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેને કારણે કોઈ નવસારીમાં આવી ઘટના ન સર્જાય.