સાયબરફ્રોડના કારણે લોકોના મહેનતના પૈસા છેતરપિંડી કરીને લઈ લેવાની નુસખાઓ આજમાવવામાં કસબકારો માહિર થઈ ગયા છે. સાયબર ફ્રોડ ના કારણે લોકો પણ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ત્યારે જનજાગૃતિએ મહત્વનો હિસ્સો બની ગયો છે.
નવસારીના સન ઓફ શીવા ગણેશ મંડળ દ્વારા ગણેશ ચતુર્થી દરમ્યાન સામાજિક જાગૃતિના ભાગરૂપે સાયબર ક્રાઇમ સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં નવસારી જિલ્લા પોલીસવાળા ઉપસ્થિત રહ્યા હતા.
સેમિનારમાં મહિલાઓની સુરક્ષા તેમજ સાયબર ફ્રોડ બાબતની જાગૃતિ લાવવા માટે જિલ્લા પોલીસવડાએ વિવિધ કાયદાઓની સમજ તેમજ જાગૃતિ માટેના પગલાંઓ બતાવ્યા હતા. જાગૃતિ થી જ સાયબર ફ્રોડ થી બચી શકાય અને ખાસ કરીને મહિલાઓને સતત રહેવા માટે પણ અપીલ કરી હતી..