નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કાંગવાઈ ગામે આયુર્વેદિક દવામાં એલોપેથી દવા શંકાસ્પદ રીતે ભેળસેળ કરવામાં આવતી હોવાનું ધ્યાને આવતા ગાંધીનગર ડ્રગ વિભાગે નવસારી સુરત અને વલસાડ ડ્રગ વિભાગની ટીમો સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
કાંગવાઇ ગામના ઇમરાન અને ઈસ્માઈલના ઘરે રેડ કરવામાં આવી હતી જેમાં મોટી માત્રામાં આયુર્વેદિક દવાની સાથે એલોપેથી દવાનો જથ્થો મળી આવ્યો હતો. પેરાસીટામોલ અને સુગરની દવાઓ પણ મળી આવી હતી. સમગ્ર જથ્થો કબજે લઈ ડ્રગ વિભાગે સેમ્પલો તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
એક મહિનામાં રિપોર્ટ આવશે ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર ઘટનાક્રમમાં કાંગવાઈ ગામે બેય સમૂહને ત્યાં ડ્રગ વિભાગે રેડ કરી હતી નજીકમાં જ આવેલા નઝીરા માયાત પણ આ જ ધંધા સાથે સંકળાયેલા છે તેમના ઘરે રેડ કરવામાં આવી નહોતી. જેને લઈને ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે કે, આ ઘરે રેડ કમ ન કરવામાં આવી વર્ષોથી આ પરિવારો દવાના ધંધા સાથે સંકળાયેલા છે અને મોટા પાયે ગુજરાત મહારાષ્ટ્ર અને વિદેશમાં પણ દવાનો જથ્થો મોકલાવે છે. સાથે ક્લિનિકો પણ ચલાવે છે.
શંકાસ્પદ જથ્થો મળવાને પગલે ડ્રગ વિભાગ સેમ્પલોની લેબોરેટરીમાં મોકલ્યા છે તેની રાહ જોવાઇ રહી છે. સાથે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે એલોપેથી દવા રાખવાના ગુનામાં નજીકના સમયમાં કાર્યવાહી પણ કરવામાં આવશે. નઝીરા માયાતના ઘરે રેડ ન કરવાની લઈને ગામમાં ચર્ચા ચાલી રહી છે કે, ઓળખાણ ના કારણે ડ્રગ વિભાગે એમના ત્યાં રેડ ન કરી જે વાતે ગામમાં ચર્ચાએ જોર પકડયું છે. ડ્રગ વિભાગની શંકાસ્પદ ભૂમિકાને લઈને સમગ્ર ગામમાં ચર્ચા ચાલી રહી છે કે, તમામ લોકો દવાનો ધંધો કરે છે પરંતુ આ જ ઘરે તપાસ કરવા માટે ન જવું ડ્રગ વિભાગની કામગીરી સામે સવાલો ઊભા કરે છે !!
કાંગવઈ ગામમાં બનતી શંકાસ્પદ દવાઓનું ઓનલાઇન ધૂમ વેચાણ, વિદેશોમાં પણ નિકાસ થાય છે પરંતુ લાયસન્સ નું શું ??
કાંગવાઇ ગામે ડ્રગ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં બે ઈસમોને ત્યાંથી શંકાસ્પદ વાળી દવાનો જથ્થો મળી આવ્યો હતો. હાલ કાર્યવાહી પ્રમાણે સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા છે. કાંગવાઇ ગામે બનતી દવાઓનો મોટો જથ્થો ઓનલાઇનનું ધૂમ વેચાણ ચાલુ છે જ્યારે વિદેશોમાં પણ મોકલવામાં આવે છે. શંકાસ્પદ દવાનો જથ્થો જ્યારે પકડાયો છે ત્યારે વિદેશોમાં નિકાસ કરવામાં આવતી આયુર્વેદિક દવાનો જથ્થાની ગુણવત્તા શું હશે તે પણ ચકાસવાનો વિષય બની ગયો છે.
કાંગવઈના મોલધરિયા અને માયાત પરિવારો આયુર્વેદિક દવા થી ડાયાબિટીસ સાજુ કરે છે !!
ડાયાબિટીસ એ દુહસાધ્ય રોગ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ રોગમાં કાયમી દવા લેવી પડતી હોવાનું રિપોર્ટોમાં ઠેરવ્યું છે. ચીખલી તાલુકાના કાંગવઈ ગામ ના ઈસમો દ્વારા સુગર પ્રેશર જેવી દવાઓ બનાવી લોકો સાજા કરવાની વાતો કરવામાં આવે છે સમગ્ર નવસારી જિલ્લામાં આ દવાઓનું વેચાણ કરવામાં આવે છે ત્યારે દવાની ગુણવત્તા ની તપાસ કડકાઈ થી કરવામાં આવે તો મોટું રેકેટ બહાર આવી શકે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થતા રોકી શકાય…
ઈસ્માઈલ અને ઇમરાનને ત્યાં શંકાસ્પદ દવાનો જથ્થો મળ્યો નઝીરા માયાતને ત્યાં બાજુમાંજ ડ્રગ વિભાગ ફરક્યું સુધ્ધાં નહિ, ભાજપનો લાભ મળે છે ?
ચીખલી તાલુકાના કાંગવાઇ ગામે મોટાભાગના ગ્રામજનો જાણે છે કે ગામમાં દવા કોણ બનાવે છે? ડ્રગ કમિશનર અને તેમની ટીમ દ્વારા કાંગવાઇ ગામે ઇમરાન અને ઇસ્માઈલને ત્યાં રેડ તો કરવામાં આવી પરંતુ બાજુમાં જ આવેલા અને મોટો દવાનો ધંધો કરતા નઝીરા માયાતના ઘરે ડ્રગ વિભાગે પગ પણ મુક્યો નહોતો બાજુમાં જ રેડ કરવા માટે સવારથી સાંજ સુધી રાહ જોતા બેઠા હતા પરંતુ કોઈક વસ્તુ રંધાઇ હોવાના કારણે નઝીરા માયાત ના ઘરે રેડ કરવામાં ન આવી હોવાની ચર્ચા ગામમાં ચાલી રહી છે.
એલોપેથી દવાનો મોટો જથ્થો પકડાયો છે એટલે ફરિયાદ તો થશે….ડ્રગ કમિશનર જે.જે. પટેલ, નવસારી.
આયુર્વેદિક દવામાં એલોપેથી દવા મિક્સ કરવું ગુનો છે લેબોરેટરીમાં ગયું છે એક મહિનામાં રિપોર્ટ આવશે.પરવાનગી કે લાયસન્સ વગર મોટા પ્રમાણમાં એલોપેથી દવાનો જથ્થો રાખવો એ ગુનો બને છે એના પર ફરિયાદ નોંધાશે. એકાદ મહિનામાં રિપોર્ટ આવી જશે. આયુર્વેદિક દવામાં એલોપેથી ભેળસેળ કરવી એક ગુનો છે રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.
વધુ આવતા અંકે..