નવસારી જિલ્લાના 54 ઓવારા પરથી વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે જેને લઇને પોલીસ તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે..
જિલ્લામાં ક્યાં ક્યાં કરવામાં આવશે વિસર્જન..?
- નવસારી જિલ્લામાં 54 વાળા પર કરવામાં આવશે વિસર્જન
- પૂર્ણ અંબિકા કાવેરી ના વિવિધ ઘાટો પર કરવામાં આવશે વિસર્જન,
- વાંસદા ચીખલી ખેરગામ ગણદેવી નવસારી અને જલાલપો વિસ્તારમાં હશે વિસર્જન,
- જલાલપુર ના દાંડી અને ઉભરાટ તથા અન્ય દરિયા કિનારા વિસ્તારમાં કરાશે વિસર્જન,
- નવસારી નગરપાલિકા વિસ્તારનું પૂર્ણ નદીમાં કરાશે વિસર્જન,
- બીલીમોરા અને ગણદેવી નગરપાલિકાનું અંબિકા નદીના તટ અને પટમાં કરાશે વિસર્જન,
જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા ની સ્થિતિ…
- નવસારી જિલ્લામાં 1125 જવાનો બંદોબસ્તમાં જોડાશે જેમાં ચાર ડીવાયએસપી 18 પીઆઈ 40 પીએસઆઇ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે,
- ડ્રોન કેમેરા સીસીટીવી કેમેરા અને ટ્રેકર થી સર્વિલન્સ કરીને વિસર્જન પર નજર રાખશે,
- એસઆરપી જવાનોની ટુકડી તેના જ કરવામાં આવી,
- જિલ્લા પોલીસે ક્યુઆરટી ટીમ બનાવી શહેર અને જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં તૈનાત રહેશે,
- વિસર્જન રૂટ પરના નવસારી મરોલી માર્ગને બપોર બાદ હાઇવે પરથી ડ્રાઇવર્ટ કરાશે,
જિલ્લામાં મુખ્યત્વે વેરાવળ પૂર્ણ અંબિકા કાવેરી ખરેરા મીંઢોળા નદીના ઓવારેથી તેમજ દાંડી અને ઉભરાટ તથા ધોલાઈ અને ઉંજલ માચીઓના દરિયા કિનારેથી નાની મોટી પ્રતિમાઓનું વહીવટી તંત્ર અને સ્થાનિક તરવૈયાની મદદથી વિસર્જન કરાશે,
નવસારી જિલ્લામાં શાંતિમય વાતાવરણ વચ્ચે વિસર્જન પ્રક્રિયા સંપન્ન થાય તેના માટે જિલ્લા તંત્ર દ્વારા શહેરના વિવિધ સંગઠનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને કોઈ અનિષ્ટની ઘટના ન ઘટે ને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાઓ કરવામાં આવી છે ધાર્મિક સોહાર્દ વચ્ચે વિસર્જન પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર કામે લાગ્યું છે નગરપાલિકા દ્વારા પણ વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે મહત્વના ગણાતા વિરાવળ વિસર્જન ઓવારા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વહીવટી તંત્ર ગણેશ સંગઠનો અને પાલિકાની ચૂંટાયેલી તથા વહીવટી પાક વીરાવળ ખાતે પર જ ભજવશે અને વિસર્જન પ્રક્રિયા વહેલી પૂર્ણ થાય તેના માટેના પ્રયાસો કરશે.
વીરાવળ ખાતે વિસર્જન સ્થળે બે કુત્રિમ તળાવો અને બે ક્રેન મૂકવામાં આવી છે જેનાથી નાના ગણપતિઓને કુત્રિમ તળાવમાં અને મોટા ગણપતિઓને ક્રેનથી વેરાવળ પૂર્ણ નદીમાં વિસર્જન કરવામાં આવશે.
નવસારી શહેરના કેટલાક એવા ગણેશ સંગઠનો પણ છે જે બપોર બાદ નીકળતા હોય છે અને મોટા ગણપતિ હોવાના કારણે બીજા દિવસ સવાર સુધી વિસર્જન પ્રજ્ઞા ચાલતી હોય છે જેના કારણે વિસર્જન પ્રક્રિયામાં જોડાયેલા લોકોને સમસ્યા સર્જાતી હોય છે.