સંસ્કારો અને સમાજ અને રૂઢિચુસ્તતા ભુલાઈ જતી હોય છે. રૂઢિ, પરંપરા અને સંસ્કારોના આધાર પર સમાજ ટકેલો છે જેના પર હુમલો થાય છે ત્યારે સમાજ તૂટવાની અણી પર આવી જતું હોય છે અને સમાજને મોટું નુકસાન થતું હોય છે.
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કૃષ્ણપુર ગામે એક એવી ઘટના ઘટી છે જે સાસરીયા અને પિયર પક્ષ બંને માટે લાલબત્તી સમાન કિસ્સો છે. કૃષ્ણપુર ગામે રહેતા દિવ્યેશ જયંતીલાલ ટંડેલ માછીમારી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. દરિયામાં માછીમારી કરનાર દિવ્યેશ અઠવાડિયે એક વાર ઘરે આવતો હતો. પોતાની જાણ બહાર પત્ની માતાની સેવા કરવા માટે ગામમાં જ પોતાના પિયરે ગઈ હતી વારંવાર પતિને પૂછ્યા વગર પિયર ચાલી જતી પત્નીથી કંટાળી જમાઈ દિવ્યેશે સાસુ પર હુમલો કર્યો હતો. જેમાં માથાના ભાગે 11 જેટલા ટાંકા આવ્યા છે અને અન્ય ઇજાઓ થઈ છે. માતા વારંવાર બોલાવતી હોવાનું વહેમ રાખી સાસુ પર હુમલો કર્યો હતો. જેના પગલે માથા ફરેલ જમાઈએ સાસુ પર હુમલો કર્યો હતો અને જમાઈ દિવ્યેશ પર જલાલપોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પહેલાના જમાનામાં માતા-પિતા દીકરીના સાસરિયામાં પાણી પણ પીવાનું ટાળતા હતા
દીકરીએ પિયર અને સાસરિયા બંને પક્ષનું અનમોલ રતન ગણાય છે. સાસરિયાના સંસ્કારો લક્ષ્મી સમજે છે અને પિયર પક્ષ પરિવારનું અનમોલ રતન સમજે છે પરંતુ એ સમગ્ર સ્થિતિ સંસ્કારો અને જવાબદારી પર ટકેલી છે. દીકરી પર કોઈ પણ પ્રકારનો બોજ ન પડે અને સાસરિયાઓના મ્હેણાં ટોણા ન સાંભળવા પડે એના માટે પહેલાંના જમાનાના રૂઢિચુસ્ત લોકો દીકરીના ઘરે વધુ સમય રોકાતા નહોતા અને બોજરૂપ બનવાનું ના પસંદ કરતા હતા પરંતુ બદલાયેલા જમાનાની આધુનિક ટેકનોલોજીએ એમાં ખાસ કરીને મોબાઇલે દાટ વાળ્યો છે. મોબાઈલ પર તારી મારી અને શું ખાધું, શું પીધું ની તમામ રિપોર્ટિંગ માતા-દીકરી વચ્ચે થતી હોય છે. જે પણ ઝઘડાનું કારણ બનતું હોય છે. જેના પર વિચારણા કરવાનો સમય પાકી ગયો છે.
સાસરી ગયેલી દીકરીના મોટાભાગના કાર્યોમાં માતા-પિતાનો હસ્તક્ષેપ લગ્ન વિચ્છેદનું કારણ
છેલ્લા ઘણા સમયથી લગ્ન વિચ્છેદ છૂટાછેડા જેવા બનાવો સમાજ માટે કલંકરૂપ બની ગયા છે. એમાં મોટાભાગના કારણો સાસરે ગયેલી દીકરીનો સાસરી પક્ષ કરતા પિયર પક્ષે વધુ લગાવ અને સાથે માતા-પિતાનો સહકાર, દીકરીની તમામ કામગીરીમાં પિયર પક્ષનું વધુ પડતો હસ્તક્ષેપ સાસરીયા અને પિયર વચ્ચેની મોટી ખાઈ ઊભી કરે છે. તેવા સમયે જવાબદારી પૂર્વક વર્તવાનું પસંદ કરવામાં આવે તો લગ્ન વિચ્છેદ અને ઝઘડા અને સાસુ વહુનો રમખાણ જેવા દૂષણોથી સમાજને રક્ષણ મળી શકે તેમ છે.
સાસરીયા અને પિયર પક્ષ બંનેએ દીકરા-દીકરી પ્રત્યે લાગણીઓનો વિવેક પૂર્ણ અને સમજદારીથી વ્યક્ત કરવી જરૂરી
છેલ્લા ઘણા સમયથી કૌટુંબીક સમસ્યાઓ વધી રહી છે. જેમાં સાસરીયા અને પિયા પક્ષો વચ્ચે મોટી ભેદ રેખા ઊભી થતી હોય છે. સાસરીયા અને પિયરિયા પક્ષ વચ્ચે સુમેળ ભર્યા સંબંધો ટકી રહે એના માટે જવાબદારી પૂર્વક વર્તવામાં આવે તો સાસરિયાને પક્ષ વચ્ચે મીઠા રસભર સંબંધો જળવાઈ રહે.
સાસરીયા પક્ષ વહુને દીકરી માની લે તો કૌટુંબિક વિવાદો જડમુળ થી નાબૂદ થઈ શકે
પારકી થાપણ અને સાપનો ભારો જેવા ઉપનામો દીકરી માટે સંબોધવામાં આવે છે પરંતુ સાસરિયે આવેલી વહુને દીકરી માની લેવામાં આવે તો તમામ કૌટુંબીક સમસ્યાઓનું નિવારણ અને હલ થઈ શકે. સમાજ જીવનમાં વિવાદો વિગ્રહ અને કૌટુંબિક વિવાદો નેતા નાબૂદ થઈ શકે પરંતુ જરૂર છે પરિપક્વ વિચાર શક્તિની.