નવસારી ગણદેવી રોડના અગવાલ કોલેજ પાસેના ઇસ્કોન મંદિરે દ્વારા અપાઢી બીજના દિને પરંપરાગત રીતે નવસારી રેલવે સ્ટેશનથી જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન શ્રી જગન્નાયજી, તેમના મોટાભાઇ બલદેવજી અને બહેન શુભદ્રાના સંગાથે નગરચર્યાએ નીકળ્યા હતા. નવસારી શહેરના જાહેર માર્ગો પર નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રાને જોવા અને ભગવાનના દર્શન કરવા અને ઉમળકાભેર વધાવવા માટે હજારોની જન મેદની ઉમટી પડી હતી. ભગવાનની નીકળેલી રથયાત્રાના દર્શનનો લહાવો લઈને ભક્તોએ ભગવાન જગન્નાથને પ્રિય એવી કરમાબાઇની ખીચડી અને કેળાનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આજની રથયાત્રામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે નવસારી પોલીસે ખડે પગે સેવા આપી હતી.
- હોમ
- Web Stories
- ગુજરાત
- મનોરંજન
- બિઝનેસ
- વીડિયો
- ફોટો ગેલેરી
- હેલ્થ
- જીવનશૈલી
- અજબ ગજબ
- જનરલ નોલેજ
- જમ્મુ કાશ્મીર
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
નવસારીમાં અષાઢી બીજ નિમિત્તે રેલવે સ્ટેશનથી ઈસ્કોન મંદિર સુધી નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રા, જુઓ Video
નવસારીમાં અષાઢી બીજ પર રેલવે સ્ટેશનથી ઈસ્કોન મંદિર સુધી નીકળી રથયાત્રા, હજારો ભક્તોએ લીધા દર્શન, જુઓ ભવ્ય વીડિયો, કરો દર્શન