નવસારી શહેરના જમાલપોર વિસ્તારમાં આવેલ શિવ પર્વતી સોસાયટીના સન ઓફ શિવા ઈચ્છાપૂર્તિ ગણેશ એ નવસારી શહેરના આકર્ષિત પ્રતિકૃતિ ધરાવતા ગણપતિદાદાની પ્રતિમા શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.
મુંબઈના મૂર્તિકાર દ્વારા બનાવવામાં આવી હતી ઈચ્છાપૂર્તિ ગણેશ ની પ્રતિમા
શિવ પાર્વતી સોસાયટીના યુવકો દ્વારા મુંબઈ ખાતે આવેલા મૂર્તિકાર પાસે ગણપતિ દાદાની પ્રતિમા બનાવડાવી હતી પોતાને પસંદ આવે એવા પોટ્રેટ ડ્રોઈંગ કરાવીને ડિઝાઇન બનાવડાવ્યા બાદ પ્રતિમા બનાવી હતી. છેક મુંબઈથી નવસારી સુધી જહેમત ઉઠાવી હતી.
12 કલાકના પ્રવાસ બાદ મુંબઈથી નવસારી લાવ્યા હતા..
મુંબઈ થી નવસારી 300 કિલોમીટર દૂરથી પ્રતિમા લાવીને નવસારી શહેરમાં પ્રસ્થાપિત કરી હતી 12 કલાક જેટલો સમય લાગ્યો હતો જેમાં યુવાનોએ મહેનત કરીને નવસારી શહેરમાં પ્રસ્થાપિત કરી હતી. નવસારી ના આ મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજીને સમાજને સંગઠિત કરવાની લોકોમાં જાગૃતિ લાવવાનો પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા.
સન ઓફ શિવા ગણેશ મંડળ દ્વારા જાગૃતિના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું
સન ઓફ શીવા ના ઈચ્છાપૂર્તિ ગણેશ નવસારી શહેર માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું આગમન સમયે ખૂબ આકર્ષક આયોજન કર્યું હતું જેના કારણે શહેરમાં ચર્ચા જાગી હતી આ યુવાનો દ્વારા કોરોના કાળથી માંડીને સોસાયટીમાં લોકોને જરૂર પડે મદદરૂપ થવા માટેના કાર્યક્રમો યોજવામાં આવે છે એ જ રીતે ગણેશ ચતુર્થી કાર્યક્રમ દરમિયાન પણ વિવિધ જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા બાળકો માટે રમતગમત સ્પર્ધાઓ યોજવામાં આવી હતી અને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સેવા કાર્યો પણ હાથ ધરવામાં આવે છે નવરાત્રી જેવા પર્વમાં સોસાયટીના લોકો ભેગા મળીને રંગે ચંગે નવરાત્રી પર્વની ઉજવણી કરે છે અને ભાઈચારાની ભાવના ને પણ ઉજાગર કરે છે.