ગુજરાત સરકારે 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવા માટેની કેબિનેટમાં મંજૂરી આપી દીધી છે જેને લઈને નવી બની રહેલી મહા નગરપાલિકાઓમાં ખુશીની લાગણી વ્યાપી છે.
છેલ્લા ઘણા સમયથી નવસારી શહેરના શહેરીજનો ધારાસભ્યો સાંસદો અને સ્થાનિક રાજકીય આગેવાનો પ્રયાસો કરી રહ્યા હતા કે નવસારી શહેરને માળખું મળે અને હવે અંતે લાંબા અંતરાલ બાદ એ સમય પૂર્ણ થયો છે અને નવસારીને મહાનગરપાલિકાનું માળખું મળી ગયું છે.
મહાનગરપાલિકાએ શહેરના વિકાસ માટે મહત્વનું માર્ગ ગણાય છે. જેમાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને અન્ય વિદેશી સંસ્થાઓમાંથી પણ ભંડોળ લઈને શેરનો વિકાસ કરી શકાય તેવા પ્રકારની શક્યતાઓ રહેલી છે. નવસારી શહેરને મહાનગરપાલિકાનું માળખું મળતા નવસારી શહેર માટે વિવિધ પ્રોજેક્ટ આવવાની સ્માર્ટ સિટી બનવાની તેમજ શહેરોની સાથે હરીફાઈમાં ઉતરીને શહેરીજનો માટે વિવિધ સુવિધાઓ ઉભા કરવા માટેની તકો ઊભી થઈ છે.
નવસારી શહેરમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા જેમાં નવસારી શહેરને વિકસાવવા માટેની દિશાઓ નક્કી કરવામાં આવી હતી અને અંતે હવે મહાનગરપાલિકાનું માળખું મળતા નવા પ્રોજેક્ટ અસ્તિત્વમાં આવશે જેના કારણે નવસારી શહેરની કાયાપલટ હશે.
નવી રચાયેલી નવ મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેકટરોને કાર્યભાર સોંપાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકે રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકાઓ કાર્યરત કરવાની મંજૂરી ગઈકાલે આપી છે. નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવતા આ નગરપાલિકાઓની વર્તમાન પાંખની અવેજીમાં હવે સંબંધિત જિલ્લા કલેકટરો મહાનગરપાલિકાઓના વહીવટદાર તરીકે ફરજો બજાવશે. ગુરુવારે નવસારી જિલ્લા કલેકટર ક્ષિપા આગ્રેએ ચાર્જ સંભાળ્યો હતો.
તદ્દ અનુસાર, મહેસાણા, નવસારી, નડિયાદ (ખેડા), વાપી (વલસાડ), આણંદ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, ગાંધીધામ (કચ્છ)ના જિલ્લા કલેકટરો આ મહાનગરપાલિકાના વહીવટીદાર તરીકે પણ કાર્યભાર સંભાળશે.
નવસારી શહેરને શું શું મળશે??
નવસારી મહાનગરપાલિકા દંતાની સાથે નવસારી શહેરમાં ચીફ ઓફિસરની જગ્યાએ મ્યુનિસિપલ કમિશનર મળશે અને નવસારી શહેરને સુરક્ષા માટે કમિશનર ઓફ પોલીસની પોસ્ટ ઉભી થશે જેનાથી નવસારી શહેરનો વિકાસ અને સુરક્ષા બંને ઉચ્ચ સનદી અધિકારીનો હાથમાં આવશે જેનાથી નવસારી શહેરની સુરક્ષા અને વિકાસ બંને દિશાઓ ઊંચાઈઓ પર પહોંચશે.
શહેરનું માળખું કેવું રહેશે..
નવસારી શહેરનું માળખું વિકસાવવા માટે નવસારી નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષ પહેલા જ નવસારી શહેરમાં આઠ ગામોનો ઉમેરો કરી દેવામાં આવ્યો છે જેનાથી હદ વિસ્તરણ થઇ ચૂક્યું છે નવસારી શહેરની વસ્તી સાડા ત્રણ લાખને પાર થઈ ચૂકી છે હજુ પણ નવાગામોનો સમાવેશ થઈ શકે છે. નવસારી શહેરમાં છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકા પ્રમાણે રસ્તાઓ અને વિવિધ માળખાઓ ઊભા કરવા માટેની યોજનાઓ શરૂ કરી દેવામાં આવે કે જેમાં પહોળા રસ્તાઓ બનાવવા માટે રીંગરોડ અને મોટા રસ્તાઓ બનાવવા માટેની યોજના અસ્તિત્વમાં આવી છે.
સુરત સાથે જોડાશે નવસારી.
નવસારી અને સુરત વચ્ચેનું ડિસ્ટન્સ માત્ર 30 km નું છે જેમાં સચિન થી નવસારી માત્ર 15 મિનિટમાં આવી શકાય એના માટેનો ફોર લેન્ડ રસ્તો તૈયાર છે અને ખાસ કરીને ટ્રાફિક ઘટાડવા માટે કેટલીક જગ્યાએ ઓવરબ્રિજ બનાવવા પડે તેવી જરૂરિયાત છે જો ઓવરવીઝ બની જશે તો નવસારી શહેર અને સુરત મહાનગરપાલિકા વચ્ચેનું ડિસ્ટન્સ ઘટી જશે અને સમયગાળો પણ ઘટી જશે નવસારી અને સુરત બંને વચ્ચેનું ડિસ્ટન્સ ઘટતા બંને ભગીની સીટીઓ બનીને આગળ આવશે.
સુરત મહાનગરપાલિકામાંથી નવસારી મહાનગરપાલિકામાં મોટા પાસે સ્થળાંતર થશે.
સુરત એક ગીત શહેર તરીકે વિકસીને આગળ વધી રહ્યું છે જેમાં લોકો કાયમ ટ્રાફિક અને ગીચ વસ્તીનો સામનો કરવા માટે મજબૂર બની રહ્યા છે કેટલીક સુવિધાઓના કારણે પણ ટ્રાફિક સમસ્યા લોકોને સતાવી રહી છે અને ગીચ વસ્તીના કારણે રોજગારી પણ મોટો માથાનો પ્રશ્ન બનીને ઉભો છે નવસારી શહેર ધીમી ગતિએ વિકસી રહ્યું છે અને મહાનગરપાલિકા નું માળખું મળતા નવસારી શહેરમાં વસવાટ વચ્ચે નવસારી શહેરમાં સુરતના લોકો આવીને વસવાટ કરવા માટે આવે તેવી શક્યતાઓ ઉજળી બની છે.
નવસારી શહેરમાં આજુબાજુના જે ગામો છે ગામોમાં ડેવલોપમેન્ટ થશે અને ખાસ કરીને નવસારી શહેરના આજુબાજુના ગામોમાં પ્રદૂષણ રહિત ગામોના કારણે લોકો વસવાટ કરવાનું પસંદ કરશે જેનાથી નવસારી શહેર અને આજુબાજુના ગામોનો વિકાસ થશે.