શહેરીજનોના મનમાં બસ એક જ પ્રશ્ન થાય છે. કે નવસારીને મહાનગરપાલિકા બનાવનાર કોણ? મહત્વનું છે કે, નવસારીને મહાનગરપાલિકા બનાવવા માટે છેલ્લા દસ વર્ષથી પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા જેમાં મંગુભાઈ પટેલ થી શરૂ થયેલો સમગ્ર પ્રોજેક્ટ પિયુષભાઈ દેસાઈ આગળ વધાર્યો હતો.
દસ વર્ષ સુધી પિયુષભાઈ દેસાઈ વિવિધ પ્રોજેક્ટ લાવીને નવસારી શહેરની કાયાપલટ માટે મહત્વનું યોગદાન આપ્યું હતું. સાથે જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલ અને રાકેશ દેસાઈએ પણ પોતાની તાકાત લગાવી હતી. જેનાથી નવસારી શહેરને મહત્વનું મહાનગરપાલિકા નું માળખું મળ્યું છે. CR પાટીલે સૌથી વધુ મહેનત કરી હતી જેનાથી નવસારીને મહાનગરપાલિકાનું માળખું મળવામાં સરળતા રહી છે.
નવસારીના વિકાસમાં કયા ધારાસભ્યનું સૌથી વધુ યોગદાન ?
નવસારી શહેરના વિકાસ માટે મંગુભાઈ પટેલ અને પિયુષભાઈ દેસાઈએ સૌથી વધુ યોગદાન આપ્યા છે. જેનાથી નવસારી શહેરમાં વિવિધ પ્રોજેક્ટ આવ્યા છે અને ખાસ કરીને સી આર પાટીદાર થી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ બન્યા છે. ત્યાંથી નવસારી શહેરને જેટલા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા. તમામ મંજુર કરવામાં આવ્યા હતા અને નવસારી શહેરને જરૂર પડી એ તમામ મદદો રાજ્ય સરકાર માંથી મળી હતી અને છેલ્લે મહાનગરપાલિકા નું માળખું અપાવવામાં પણ સી આર પાટીલનો મહત્વનો ફાળો રહ્યો છે.
મહાનગરપાલિકા બનાવવા માટે બિલ્ડર એસોસિએશન અને ક્રેડાઈ નું પણ મહત્વનું યોગદાન
નવસારી શહેરને મહાનગરપાલિકા નું માળખું બનાવવા માટે વર્ષોથી બિલ્ડર એસોસિએશન અને દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા જેમાં નવસારી શહેરને વિકસાવવા માટે બિલ્ડર એસોસિએશન તથા CREDAI દ્વારા વારંવાર મુખ્યમંત્રી અને મંત્રી ધારાસભ્યો સાંસદોને રજૂઆતો પણ કરવામાં આવી હતી જેના ભાગરૂપે હાલ નવસારીને મહાનગરપાલિકાનું માળખું મળ્યું છે એમાં બિલ્ડરો અને લડાઈના સભ્યોનું પણ મહત્વનું યોગદાન રહેલું છે.
બાંધકામ ઉદ્યોગ મોટાપાયે ડેવલોપ થવાની શક્યતાઓ.
નવસારી શહેર શાંતિ પ્રિય અને સંસ્કારી નગરી તરીકે જાણીતું શહેર છે. પારસીઓએ વસાવેલું અને નવસારીના મૂળ સ્થાનિકોએ વિકાસને આગળ વધારેલો શહેરનો વિકાસ આજે મહાનગરપાલિકા સુધી પહોંચી ચૂક્યો છે. જેમાં નવસારી શહેરમાં બાંધકામ ઉદ્યોગ વિકસવાની સૌથી વધુ શક્યતાઓ રહેલી છે નવસારી શહેર અને આજુબાજુના ગામો જેમાં જલાલપુર નવસારી ગ્રામ્ય અને ગણદેવી સુધીના જે ગામો છે ત્યાં મોટા પાયે બાંધકામ ઉદ્યોગ વિકસવાની શક્યતાઓ રહેલી છે જેના કારણે નવસારી શહેરમાં અન્ય વિસ્તારમાંથી આવીને વસવાટ કરનાર લોકોની સંખ્યામાં વધારો થઈ શકે તેમ છે.
મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા ઉદ્યોગોને નુકસાન સહન કરવું પડશે.
નવસારી શહેરને લગો લગાવેલા અને નવસારી નગરપાલિકા વિસ્તારમાં કેટલાક કારખાનાને ઉદ્યોગોનો સમાવેશ થાય છે તેમણે વેરામાં વધારો સહન કરવો પડશે અને ખાસ કરીને વેરામાં વધારો થતા તેમણે પ્રોફિટ માર્જિન ઘટી શકે તેવી શક્યતાઓ છે જેનાથી નવસારી શહેરમાં મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા ઉદ્યોગોને નુકસાન થશે.