કોઈપણ કચેરની ઓળખ તેના લોગો થી થતી હોય છે. ત્યારે હવે નવસારી મહાનગરપાલિકા ની રચના થતાં હવે તેના લોગોને લઈને પણ ખાસ ફેરફારો કરવાનો નિર્ણય મહાપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો.
આ માટે શહેરીજનોને પસંદ આવે તેવો લોગો બનાવવા માટેની સ્પર્ધા યોજાઇ હતી. જેમાંથી શ્રેષ્ઠ લોગો સાંસદ સી આર પાટીલના હસ્તે લોન્ચ કરાયો હતો.
સાંસદ દિશા દર્શન કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ નવસારી પહોંચ્યા હતા. સાંસદ સી. આર. પાટીલ સાથે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ સભા સ્થળે લગાવવામાં આવેલા સ્ટોલની મુલાકાત લીધી હતી.
નવસારી મહાનગર પાલિકાના નવા લોગોનું પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે લોન્ચિંગ કરાયુ. નવસારી મહાનગર પાલિકાના લોગો માટે સ્પર્ધા યોજવામાં આવી હતી. સ્પર્ધામાં 165 અરજીઓ આવી હતી, જેમાંથી પ્રથમ આવનારા લોગોને હવે મહાનગર પાલિકાના લોગો તરીકે ઉપયોગ કરાશે.