વટવા નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દુર્ઘટના સર્જાતા દક્ષિણ ગુજરાત અને મુંબઈ વચ્ચેના ટ્રેન વ્યવહારમાં તાત્કાલિક અસર પડી છે. આ ઘટનાને કારણે નવસારીથી મુંબઈ જતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનો મોડી ચાલી રહી છે.
નવસારીથી મુંબઈ જતી ગુજરાત એક્સપ્રેસ અને ડબલ ડેકર ટ્રેનને રદ કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ એક્સપ્રેસ અને દાદર એક્સપ્રેસ 2 થી 3.30 કલાક સુધી મોડી ચાલી રહી છે. આ સ્થિતિને કારણે નિત્યયાત્રી પાસહોલ્ડર વર્ગ તેમજ સામાન્ય મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મુસાફરોને સમયસર ટ્રેન ન મળતા ટ્રેન સ્ટેશનો પર ભીડ જોવા મળી રહી છે. અનેક મુસાફરોને તેમના કામકાજમાં વિલંબ થતા પસ્તાવો થયો છે. ટ્રેન સેવાઓ પુનઃ શરુ થાય ત્યાં સુધી મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા કરવા તથા યોગ્ય માહિતી મેળવવા માટે રેલવે તંત્ર સાથે સંપર્કમાં રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ચાલી રહેલા કામ દરમિયાન આવી ઘટનાઓથી ટ્રેન વ્યવહાર અસરગ્રસ્ત ન થાય તે માટે ભવિષ્યમાં કડક સુરક્ષા પગલાં લેવામાં આવે તેવી લોકસભા છે. રેલવે તંત્ર આ સમસ્યાને તાત્કાલિક ધોરણે ઉકેલવા પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ મુસાફરોને યાત્રા કરવા માટે વધારાના સમયનો વિચાર કરીને જ આયોજન કરવા અનુરોધ છે.
મોટી સંખ્યામાં લોકોને અસર થવાના કારણે આ ઘટના અંગે લોકપ્રતિનિધિઓ અને તંત્ર દ્વારા યોગ્ય નિવારણ લાવવા માટે સંકલન થવું જરૂરી છે.