વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના કટરાના વૈષ્ણોદેવી વિધાનસભા પર પ્રચાર માટે પહોંચ્યા હતા. માતા વૈષ્ણોદેવીના દર્શન કર્યા બાદ સ્પોર્ટ્સ સ્ટેડિયમ કટરા ખાતે જાહેર સભાને સંબોધી હતી.
“જયકારા શેરાવાલી દા” અને “બોલ સાચે દરબાર કી”
નારાથી પોતાનું વક્તવ્ય શરૂ કર્યું હતું. ઉધમપુર જિલ્લાના વૈષ્ણોદેવી વિધાનસભા બેઠક પર પ્રચાર પ્રસાર દરમિયાન તેમણે લોકો સાથે વાતચીત કરી હતી અને પોતાના વિકાસની હરમાળા ગણાવી હતી પોતાના વક્તવ્ય દરમિયાન કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ અને પીડીપી પર આંકરા પ્રહારો કર્યા હતા. જમ્મુ કાશ્મીર ના મુદ્દા અને 370 35a જેવા મુદ્દાઓના કારણે કાશ્મીરને ઓર માયુ વર્તન રાખીને ડેવલપમેન્ટ ન થવા દેવાની રાજકીય પક્ષોના કાવતરા બાબતે તેમણે લોકો સાથે વાતચીત કરી હતી.
“આસ્થાને સન્માન આપે સંસ્કૃતિને આગળ વધારે એવી સરકાર માટે અપીલ કરી હતી”
વૈષ્ણોદેવી વિધાનસભા બેઠક પર ઉમેદવાર માટે વોટ માંગતા તેમણે આસ્થા અને સન્માનની વાત કરીને લોકોને સેન્ટીમેન્ટ સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો સાથે સંસ્કૃતિને આગળ વધારે તેવી સરકાર લાવવા માટે આહવાન કર્યું હતું.
રાહુલ ગાંધીની વિદેશ યાત્રા દરમિયાન તેમણે ભાંગરો વાટ્યો હતો અને ભારત દેશના દેવી-દેવતાઓ વિશે તેમણે ટિપ્પણી કરી હતી જે મુદ્દાને લઈને તેમણે જાહેરમાં રાહુલ ગાંધી પર આંકરા પ્રહારો કર્યા હતા.
“દેવતા ભગવાન નથી હોતા”
રાહુલ ગાંધીએ કરેલા નિવેદનને લઈને ભારતીય જનતા પાર્ટી આંદોલન આત્મક ભૂમિકા ભજવવાની શરૂઆત કરી હતી તેમણે પોતાના પ્રવાસ દરમિયાન વિદેશોમાં આવા વિધાનો કર્યા હતા જેને લઈને દેશની આસ્થા સાથે ખીલવાડ કર્યાનો આરોપ કર્યો હતો બીજા ધર્મો અને દેશથી ઈમ્પોર્ટ કરેલી વિચારધારાથી કોંગ્રેસ ચાલતી હોવાનો પણ તેમણે ગંભીર આરોપ કર્યો હતો,
“કોંગ્રેસ પરિવાર સૌથી ભ્રષ્ટાચારી પરિવાર હોવાનું નિવેદન કર્યું “
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના કટરા ખાતેના સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોને સંબોધન કર્યું હતું જેમાં કોંગ્રેસ પરિવાર તેમના નિશાના પર રહ્યું હતું કોંગ્રેસ પરિવારને સૌથી ભ્રષ્ટ પરિવાર અને તેમને સાચવનારા કહ્યા હતા.
“ડોગરા વિરાસત પર કોંગ્રેસ ઈરાદાપૂર્વક હુમલા કર્યાનું કર્યું નિવેદન..”
ડોઘરા વંશ એ જમ્મુ કાશ્મીર પર શાસન કરનારો મહત્વનો વંશ ગણાય છે જેમાં વારંવાર ઢોકળા વંશ પર કોંગ્રેસ એમસીપી અને પીડીપી દ્વારા હુમલાઓ કરવામાં આવતા હતા જેને લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડોકરા વંશજો પર કરવામાં આવેલા કોંગ્રેસના હુમલાઓ બાબતે ટીકા ટિપ્પણી કરી હતી. ડોઘરા વંશ દ્વારા જમ્મુ કાશ્મીરમાં શાસન બાબતે સારો એવો વહીવટ કર્યો હતો પરંતુ કોંગ્રેસ તેમના પર વારંવાર ઈરાદાપૂર્વક નિશાનો કરીને બદનામ કરવાનો પ્રયાસ કરે છે ડોઘરા વંશને તેમણે સારા શાસકો ગણાવ્યા હતા.
જમ્મુ કાશ્મીર સાથે ભેદભાવ કર્યો હોવાનું ગંભીર આરોપ કર્યો અને રાજા હરિસિંહના જન્મદિવસે રજા આપી જમ્મુ કાશ્મીર ને સન્માન આપ્યું હોવાનું નરેન્દ્ર ભાઈ મોદીએ દાવો કર્યો છે ..
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જમુના પ્રવાસ દરમિયાન માતાજીના દર્શન કર્યા બાદ લોકો સાથે વાતચીત કરી હતી જાહેર સભાને સંબોધતા ઉમેદવારો માટે મતો માંગ્યા હતા અને પોતાની સંસ્કૃતિનું જતન કરે અને દેશની રક્ષા કરે તેવી સરકાર માટે લોકોના અપીલ કરી હતી સ્થાનિક રાજકીય પક્ષોને કાશ્મીર સાથે અન્યાય કરતા હોવાનું પણ ગંભીર આરોપ કર્યો હતો. જાહેર સભા દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોનો આભાર માન્યો હતો તેમની સાથે જમ્મુ કાશ્મીરના પ્રદેશ પ્રમુખ સાંસદો અને ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વૈષ્ણોદેવી વિધાનસભા બેઠક પર નરેન્દ્રભાઈ મોદીના પ્રવાસને લઈને અનેક તર્ક વીતર કો લગાવવામાં આવ્યા છે જેમાં ભારતીય જનતા પાર્ટીને સીધો ફાયદો થવાની અને વૈષ્ણોદેવી વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી મોટા માર્જીનથી જીતશે તેઓ દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
જમ્મુ કાશ્મીરમાં પહેલા ચરણનું મતદાન પૂર્ણ થયું છે જેમાં 24 વિધાનસભા બેઠકો પર ચૂંટણી પૂર્ણ થઈ છે અને હવે બીજું ચરણ 28મી સપ્ટેમ્બરના રોજ યોજાશે જેના માટેની પ્રચાર પડઘમની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જોરસોરમાં પ્રચાર પ્રક્રિયા ચાલી રહી છે. તમામ રાજકીય પક્ષોએ પોતાની તાકાત ઝોકી દીધી છે..
જમુવેલીમાં ભારતીય જનતા પાર્ટી 25 થી 30 સીટો લાવી શકે અને બીજી બેઠકો ઉપર નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પોતાનો દાવો કરી રહી છે સાથે ૪૭ બેઠકો કાશ્મીરમાં આવે છે એમાં અપક્ષનો દબદબો રહ્યો છે મહેબૂબા મુક્તિ અને ઉંમર અબ્દુલ્લા જેવા પૂર્વ મુખ્યમંત્રીઓની ગંભીર હારને પગલે નેશનલ કોન્ફરન્સ અને પીડીપી બંનેની પડતી આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે ખાસ કરીને રાશીદ એન્જિનિયર અને તેમના સહાયકો અપક્ષ ઉમેદવાર તરીકે પણ મેદાનમાં ઉતાર્યા છે પ્રોક્ષી ઉમેદવારોની બોલબાલા સમગ્ર જમ્મુ કાશ્મીરમાં ચર્ચામાં રહી છે