નવસારી નગરપાલિકા મહાનગરપાલિકા બની ચુકી છે. ત્યારે લોકોમાં શહેરના વિકાસને લઈને આશા આકાંક્ષાઓ બંધાઈ છે. શહેરનો વિકાસ કઈ દિશામાં થઈ શકે તેની ચર્ચા નવસારી ના શહેરીજનો કરી રહ્યા છે.
શહેર કેવું હશે ? શહેરનો વિકાસ કેવો થઈ શકે ?
નવસારીને મહાનગરપાલિકાનું માળખું મળ્યું છે. ત્યારે મહત્વની ગણાતી પૂર્ણાનદીના કાંઠે વસેલા નવસારી શહેરને નવલું નજરાણું મળી શકે પૂર્ણા નદીને કાંઠે રિવરફ્રન્ટ બનાવી નવસારીના શહેરીજનો માટે ફરવા ફરવાનું મહત્વનું સ્થળ બનાવવાની સાથે શહેરની સુંદરતામાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે.
પૂર્ણા નદી કાંઠે રિવરફ્રન્ટ બને તો પૂરથી પણ શહેરને બચાવી શકાય.
નવસારી શહેરને દર વર્ષે ચોમાસા દરમિયાન ઢંઢોળી નાખતી પૂર્ણા નદી પર હવે રિવરફ્રન્ટ બની શકે તેવી શક્યતાઓ ઉજળી બની છે રિવરફ્રન્ટ બનાવવામાં આવે તો વીરાવળ ગામથી લઈને બંદર રોડ સુધી રીવર ફ્રન્ટ બનાવવામાં આવે જેનાથી બાગ બગીચો પણ બની શકે ફરવા ફરવાનું સ્થળ પણ મળી શકે અને શહેરને દર વર્ષે ચોમાસા દરમિયાન પાણીમાં ડૂબતું પણ બચાવી શકાય તેમ છે જેનાથી નવસારી શહેરને એક રિવરફ્રન્ટથી ઘણા બધા ફાયદા થઈ શકે.
મહાનગરપાલિકા નું માળખું મળતા વિકાસ માટે મોટા ભંડોળો મળશે.
નવસારી શહેરના વિકાસની દિશા હવે ખુલી ગઈ છે. નવું નવસારી શહેર બનવાની દિશામાં હવે મંડળ થઈ ચૂક્યા છે તેવા સમયે નવસારી શહેરના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર બંને સરકાર તરફથી મોટા ભંડોળો મળશે જેનાથી શહેરમાં જરૂરી માળખાગત સુવિધાઓ શહેરને સુશોભિત કરવા માટેના પ્રોજેક્ટ અને શહેરની જરૂરી સુવિધાઓ ઉભી કરવા માટેના ભંડોળ રાજ્યના કેન્દ્ર સરકારો આપશે જેનાથી નવસારી શહેરની સુંદરતામાં વધારો થાય અને લોકોને સુખ સહાયબી મળી શકે