નવસારી ઇટાડવા સ્થિત શિરવી સમાજની વાડીમાં સમસ્ત આંજણા ચૌધરી પટેલ સમાજ દ્વારા શ્રી શ્રી 1008 શ્રી રાજા રામજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી સમસ્ત કાર્યક્રમ આંજણા સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો .
શ્રી રાજારામજી મહારાજ નો મૂળ સ્થાન અને આશ્રમ શિકારપુરા ગામ જોધપુર રાજસ્થાનમાં છે પરંતુ નવસારીમાં વસતા તેમના ભક્તો દ્વારા આજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રામનવમીના પવિત્ર દિવસે સવારે 2000 થી 2500 માણસનો મહાપ્રસાદ કરવામાં આવ્યો હતો.
જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો લોકો ઉપસ્થિત રહ્યા હતા આજના દિવસે રાજસ્થાનમાં ખૂબ મોટો મેળો પણ ભરાય છે પરંતુ નવસારીમાં વસતા 1008 શ્રી રાજારામજી ના ભક્તજનો નવસારીમાં ભવ્યથી ભવ્ય રીતે આ ઉજવણી કરી ધન્યતા પ્રાપ્ત કરે છે રામનવમીના એક દિવસ અગાઉ રાત્રે ભજન કીર્તન રાખવામાં આવે છે અને રામનવમીના દિવસે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવે છે