દાંડી એ ઐતિહાસિક મીઠાના કાયદાના ભંગ માટે જાણીતું ઐતિહાસિક સ્થળ છે આજુબાજુના ગામો પણ રાષ્ટ્રીય ચળવળ સાથે જોડાયેલા છે તેવા સમયે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાની રાષ્ટ્રીય શાળા ભારત વિદ્યાલય કરડીને 100 વર્ષ પૂર્ણ થતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને જલ શક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો..
ઐતિહાસિક દાંડી યાત્રા એ આઝાદીના કાળ માટે જાણીતી બની છે અને ઇતિહાસના પાને અંકિત છે. ગાંધીજીના દાંડી પ્રવાસ બાદ સમગ્ર નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના કાંઠા વિસ્તારમાં આઝાદીની લડત માટે યુવાનો આગળ આવ્યા હતા જેમાં મતવાડ ગામની સોડીયાવાડની ઘટના ઇતિહાસ ના પાનાંકિત થયેલી છે અને લોહિયાળ જંગ અંગ્રેજો સાથે ખેલાયો હતો અને ત્રણ યુવાનો પોલીસના ગોળીબારમાં મોતને બેઠા હતા એવા ઐતિહાસિક જલાલપુર તાલુકામાં રાષ્ટ્રીય શાળા ભારત વિદ્યાલય કરારીના 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી આર પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે પોતાના વક્તવ્ય મત દાંડી અને ઐતિહાસિક ગાંધીજીની મીઠાના કાયદાના ભંગના ફળોને યાદ કરીને ભાવુક થયા હતા…..
સોડીયા વડની ઘટના ના પાને ક્યાંક દબાઈ ગઈ છે.
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દાંડી રોડ પર અંગ્રેજો અને કાંઠા વિસ્તારના યુવાનો વચ્ચે આઝાદી કાલ સમયે થયેલી મૂઠભેડ માં ત્રણ યુવાનો ગોળીબારમાં માર્યા ગયા હતા. આઝાદી માટે આંદોલન ચલાવતા યુવાનોને પકડીને લઈ જતી પોલીસ સાથે સામસામે લડાઈ થઈ હતી અને યુવાનોએ અંગ્રેજોને નવ નેજા પાણી લાવી દીધા હતા પરંતુ પોતાના ત્રણ સાથે ગુમાવ્યા હતા એ ત્રણેય જાતિઓના નામે મટવાડ ગામે આજે પણ સ્મારક અડીખમ ઉભો છે અને ત્રણેય યુવાનોની શહીદીની સાક્ષી પૂરે છે.
કરાડી રાષ્ટ્રીય શાળાએ ઘણા બધા યુવાનોને આઝાદી માટેની પ્રેરણા આપી હતી.
કરાળી રાષ્ટ્રીય શાળા પોતાનો શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહી છે તે દરમિયાન દેશ-વિદેશમાંથી આવેલા કરાડી ગામના વિદ્યાર્થીઓ અને ગામના લોકો આજે પણ કરાડી પ્રાથમિક શાળાના ભણતરને યાદ કરે છે જે તે સમયે આઝાદીકાળ વખતે આઝાદી માટેની પ્રેરણા આપતું હતું અને ખાસ કરીને શિક્ષકો અને વિદ્યાર્થીઓ મળીને આઝાદીના આંદોલનમાં મોટી સંખ્યામાં ભાગ લેતા હતા શિક્ષકોએ પણ જેલમાં જવું પડ્યું હતું.
નવસારીના જાણીતા બિલ્ડર એવા માલવ ધ્રુવે 31 લાખ રૂપિયાનું જંગી દાન કર્યું…
નવસારી ની ખરાડી રાષ્ટ્રીય શાળા 100 વર્ષ પૂર્ણ કરી રહી છે તેવા સમયે આઝાદીકાળથી અડીખમ ઊભી શાળાને ફરીથી જીવંત કરવા માટે અને શાળાનો અભિગમ બદલવાના આશયથી વિવિધ દાતાઓ દાન આપી રહ્યા છે જેમાં નવસારીના જાણીતા બિલ્ડર માલવ ધ્રુવ દ્વારા 31 લાખ રૂપિયા જેટલી મોટી રકમ આપવામાં આવી છે અને શિક્ષણ ક્ષેત્રમાં સુધારા માટેનું યોગદાન આપવામાં આવ્યું છે. પ્રેમચંદ લાલવાની દ્વારા પણ સહયોગ આપવામાં આવી રહ્યો છે.
બાબુ રામા કરાડી શાળાને આધુનિક શિક્ષણ તરફ લઈ જવા પ્રયત્નરત
શાળા કે કોલેજો ચલાવી હવે અઘરી થઈ પડી છે એમાં પણ ખાનગી શાળાઓની સામે ટક્કર જીલવી અઘરી થઈ પડી છે તેવા સમયે કરાડી રાષ્ટ્રીય શાળાને વિશિષ્ટ પ્રકારનું શિક્ષણ આપતી શાળા બનાવવા માટે દેશ વિદેશમાંથી ફંડ ફાળો ભેગો કરીને શાળામાં ભણી ગયેલા જુના વિદ્યાર્થીઓને ભેગા કરીને એક અલગ શિક્ષણ ધામ બનાવવા માંગે જેના માટે પ્રયત્ન કરી રહ્યા છે અને વર્ષોથી આ સંસ્થા સાથે સંકળાયેલ ને તેમણે ભગીરથ કાર્ય કર્યું છે.
મહત્વના મુદ્દા ઓ….
- ધારાસભ્ય જલાલપોર..આર સી પટેલ…
નરેન્દ્ર ભાઈ મોદી, આનંદીબેન પટેલ અને અન્ય મુખ્યમંત્રી બાદ ગુજરાતને સૌથી ભોળા મુખ્યમંત્રી મળ્યા હોય તો ભુપેન્દ્રભાઈ પટેલ છે. જે માંગો તે આપે છે…
ગુજરાત નવસારીમાં બની રહેલા ટાઈટલ રેગ્યુલેટરી ડેમ બાબતે મુખ્યમંત્રીની હાજરીમાં વાંધો લીધો…
- સી આર પાટીલ … કેન્દ્રીય જલ શક્તિ મંત્રી.
આરસી પટેલના કામો જોતા એને સાતમી ટમ માં પણ ટિકિટ આપવી પડી શકે તેમ છે…
નવસારીને સ્વચ્છતા બાબતે મોડલ બનાવવાનું કામ કરવામાં આવ્યું છે.
પાર તાપી લિન્ક યોજના બનાવતા હતા પરંતુ કેટલાક લોકોએ ખોટો વિરોધ કરીને પ્રોજેક્ટને ઘોચમાં પાડ્યું છે…
વલસાડ અને નવસારીની નદીઓને જોડીને સરપ્લસ પીવાનું પાણી મળે તેવી યોજના બનાવવામાં આવનાર છે તેના માટે 5400 કરોડ નો પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે…
વોટર હાર્વેસ્ટિંગ બાબતે ગુજરાત આઠમા નંબર પર છે . નવસારી જિલ્લામાં 800 બોરિંગ દ્વારા વોટર રિચાર્જ કરવામાં આવી રહ્યું છે.
બજેટમાં 67,000 કરોડ રૂપિયા ઘર ઘર પાણી પહોંચાડવા માટેનો પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવ્યા છે…..
1100 બીસીએમ પાણી ની જરૂરિયાત છે … વરસાદ સ્વરૂપે ચાર ચાર બીસીએમ પાણી મળે… જેમાંથી માત્ર 2000 બીસીએમ પાણી બચાવવાનું પ્રયત્ન કરવામાં આવે છે. માત્ર 750 બી સી એમ જ બચે છે..
નદી નાળા થી માંડીને બોટલ સુધી પાણી માટે પહોંચી ચૂક્યા છે તેના માટે પાણીનો બચાવ કરવો પડશે…
મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે શું કહ્યું …
અમદાવાદના સાબરમતીથી શરૂ થયેલી દાંડી યાત્રા નવસારી ખાતે પૂર્ણ થઈ હતી અને 21 દિવસ સુધી કરાડી ગામે રોકાયા હતા અને ત્યાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી એ ઐતિહાસિક સ્થળને હું નમન કરું છું….