નવસારી મહાનગરપાલિકા વોર્ડ નંબર 13ના ઈટાળવા થી વિશાલ નગર વ્રજ વિહાર સોસાયટી સુધીના મુખ્ય માર્ગ પર આવેલા ડિવાઈડર પર સ્ટ્રીટ લાઈટો ન હોવાના કારણે સ્થાનિક લોકોને રાત્રે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સંજોગોમાં પૂર્વ કોર્પોરેટર વિજય રાઠોડે નાગરિકોની સલામતી માટે મહાનગરપાલિકાને પત્ર લખી સ્ટ્રીટ લાઈટો લગાવવાની નમ્ર વિનંતી કરી છે.
તેઓએ ઉલ્લેખ કર્યો છે કે આ બાબત પહેલા પણ 15-09-2023ના રોજ રજુ કરવામાં આવી હતી, છતાં હજી સુધી કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. રસ્તા પર અંધકાર રહેવાના કારણે ઘણાં અકસ્માતો બની ચૂક્યા છે, જે લોકોના જીવ માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે. જો તાત્કાલિક સ્ટ્રીટ લાઈટો લગાવવામાં આવે તો વાહનચાલકો અને પદયાત્રીઓને રાહત મળશે અને રાત્રિ દરમ્યાન માર્ગ વધુ સલામત બની રહેશે.
આ પત્ર દ્વારા ફરી એકવાર પ્રશાસનનું ધ્યાન આ અગત્યની જરૂરિયાત તરફ દોરવામાં આવ્યું છે, અને આશા રાખવામાં આવે છે કે વહેલી તકે આ પરિપ્રેક્ષ્યમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.