માતા વૈષ્ણોદેવી એ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનું મહત્વનું આસ્થા નું પ્રતીક છે જ્યાં દેશ દુનિયામાં વસતા હિન્દુઓ આસ્થા પૂર્વક પૂજા અર્ચના અને ચઢાવા માટે આવે છે. માતા વૈષ્ણોદેવી ના દર્શન કરી ધન્યતા અનુભવે છે. એવા માતા વૈષ્ણોદેવી યુનિવર્સિટીમાં 2025- 26ના વર્ષમાં દરમિયાન મેડિકલ કોલેજની માન્યતા મળી હતી. જેમાં 50 જેટલી બેઠકો નિશ્ચિત કરવામાં આવી હતી. મેડિકલ કોલેજની માન્યતા દરમિયાન નીટ દ્વારા પરીક્ષા પાસ કર્યા બાદ મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવતો હોય છે પરંતુ કેન્દ્રશાસિત પ્રદેશ એવા જમ્મુ અને કાશ્મીરના ડોમીસાઈલ સર્ટિફિકેટ ધરાવતા 85% વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો એવો રાજ્ય સરકારના નિર્ણયને પગલે 50 માંથી 42 બેઠકો પર મુસ્લિમ છાત્રોને પ્રવેશ મળ્યો હતો જ્યારે સાત હિન્દુ અને એક શીખ વિદ્યાર્થીઓને એડમિશન મળ્યા હતા. જમ્મુ કાશ્મીરના ડોમીસાઈલ સર્ટિફિકેટ ના આધારે પ્રવેશ થતા સૌથી વધુ મુસ્લિમ છાત્રોને રાજ્ય સરકારે ફાયદો કરાવી એડમિશન કરાવ્યા હતા જેને લઈને હિન્દુ સંગઠનો એ વિરોધ નોંધાવ્યો હતો અને માતા વૈષ્ણોદેવી મેડિકલ કોલેજ સામે સંઘર્ષ સમિતિ બનાવી વિરોધ નોંધાયો હતો.
વિરોધ ના પગલે જમ્મુ કાશ્મીરનું રાજકારણ કરમાયું હતું જેમાં ભારતીય જનતા પાર્ટી અને સંઘર્ષ સમિતિએ રાજ્ય સરકારના નિર્ણય સામે આંદોલન છેડ્યું હતું જેમાં લાંબા વિરોધ વચ્ચે અંતે સફળતા મળી છે. મેડિકલ કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે. જેને લઇ સંઘર્ષ સમિતિ દ્વારા નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા લેવામાં આવેલા કોલેજની માન્યતા રદ કરવાના નિર્ણય આવકાર્યો હતો અને ઉજવણી કરી હતી. સંઘર્ષ સમિતિના સંયોજક કરનાર રઘુવીર સિંહ મનકોટિયાનું એવું કહેવું છે કે એન એમ સી દ્વારા મેડિકલ કોલેજ ની ભરવાની રદ કરવી છે તે બતાવે છે કે તેઓ કોઇ પણ અન્ય સામે લડવા માટે તૈયાર છે તેમણે ઉપરાજ્યપાલ શ્રી મનોજ સિંહા ને શ્રાઇન બોર્ડ ને નિર્દેશ આપે કે ભવિષ્યમાં સંસ્થાના અંદર સનાતન ધર્મની પરંપરાઓ અને સંસ્કૃતિનો પૂર્ણ સન્માનિત કરાય તેના માટે બાયોલોજ માં સુધારા કરવામાં આવે. સંઘર્ષ સમિતિની જીત થતા ઢોલ નગારા સાથે શહેરના વિવિધ માર્ગો પર પ્રદર્શન કર્યું હતું રઘુનાથ મંદિરે પહોંચીને ભગવાનના આશિષ લઈ સંઘર્ષ સમિતિનું ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવના નું પ્રતીક હોવાનું જણાવ્યું હતું. સંઘર્ષ સમિતિની આ કાર્યવાહી અને તેમના નેતાઓના નિવેદનો સ્પષ્ટ કરે છે કે તેઓ સનાતન સંસ્કૃતિ અને ધર્મની રક્ષા માટે સંપૂર્ણપણે સમર્પિત છે અને તેઓ કોઈપણ અન્ય લડવા માટે તૈયાર હોવાનું સંઘર્ષ સમિતિના હોદ્દેદારોએ જણાવ્યું હતું.
મેડિકલ કોલેજમાં એડમિશન કેવી રીતે થાય છે??
સામાન્ય રીતે મેડિકલ કોલેજોમાં નીટની પરીક્ષામાં મેરીટ ના ધોરણે એડમિશનનો થતા હોય છે. જેમાં રાજ્ય સરકારના 85% અને એઆઈસી ( ઓલ ઇન્ડિયા કોટા)ના 15% એમ કોટા પ્રમાણે એડમિશન થતા હોય છે. પરંતુ કેન્દ્રશાષિત પ્રદેશ એવા જમ્મુ અને કાશ્મીરની રાજ્ય સરકાર દ્વારા એડમિશનો બાબતે પોતાની જો હુકમી ચલાવી હોવાના સંઘર્ષ સમિતિએ આરોપ કર્યા હતા. જમ્મુ અને કાશ્મીરના ડોમીસાઈલ સર્ટિફિકેટ ધરાવતા વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે પ્રાધાન્ય આપી એડમિશન કરવામાં આવ્યા હતા જેને લઈને વિરોધનો વંટોળ શરૂ થયો હતો.
માતા વૈષ્ણોદેવી મેડિકલ કોલેજના વિરોધ કેમ થયો??
દેશ અને દુનિયામાં વસતા હિન્દુ ધર્મ સાથે આસ્થા ધરાવતા અને સનાતન સંસ્કૃતિના ધામ એવા માતા વૈષ્ણોદેવી ના દર્શને આવતા સનાતનની ભાઈ ભાંડુઓના ચઢાવાથી મેડિકલ કોલેજ ચાલતી હતી અને મેડિકલ કોલેજમાં વિધર્મીઓના રહન સહન અને ખાણીપીણીના કારણે સનાતન ધર્મના પ્રતિક એવા માતા વૈષ્ણોદેવીના સ્થાને વિવાદો ઉભા થાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી સાથે હિન્દુ ધર્મના મંદિરોની આવકનો ઉપયોગ સનાતન ધર્મની જાળવણી અને તેના વિકાસ માટે જ થાય તેવી માંગ સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવી હતી. જેને લઈને વિરોધનો વંટોળ શરૂ થયો હતો અને અંતે નેશનલ મેડિકલ કાઉન્સિલે મેડિકલ કોલેજની માન્યતા રદ કરી
માતા વૈષ્ણોદેવી મેડિકલ કોલેજની માન્યતા ધારાધોરણોની અનિયમિતતાને પગલે એનએમસી( નેશનલ મેડિકલ કાઉન્સિલ) એ રદ કરી….
માતા વૈષ્ણોદેવી યુનિવર્સિટી ની મેડિકલ કોલેજ નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા રદ કરવામાં આવી છે જેમાં આકસ્મિક મુલાકાત સમયે કોલેજમાં દર્દીઓની સંખ્યામાં માપદંડો અનુસાર સંખ્યા ન હોવી, જરૂરી ઓપરેશન થિયેટરો ન હોવા, લાઇબ્રેરીની જરૂરિયાત મુજબ પુસ્તકો નો અભાવ, પૂરતો અને અનસ્કિલ્ડ સ્ટાફ જેવા મહત્વનો માપદંડોમાં ઊણા ન ઉતરવાના કારણે પણ નેશનલ મેડિકલ કાઉન્સિલ એ ગંભીર નોંધ લઇ વિરોધના વંટોળ બાદ મેડિકલ કોલેજની માન્યતા રદ કરવાનો હુકમ કર્યો છે.
દક્ષિણ ભારતના કેટલાક મંદિરો ની આવકમાંથી સનાતન ધર્મની જાળવણી માટે ધનનો ઉપયોગ …
છેલ્લા ઘણા સમયથી હિન્દુ મંદિરો સરકારના તાબા હેઠળ છે અને જેની આવકનો ઉપયોગ વિવિધ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઉપયોગ કરવામાં આવે છે. જેને લઇ ચર્ચાઓ શરૂ થઈ છે. હિન્દુ સનાતની લોકો દ્વારા ચઢાવો કરવામાં આવે છે જેનો ઉપયોગ હિન્દુ ધર્મના વિકાસ તેમજ સનાતન ધર્મની જાળવણી માટે ઉપયોગ કરવામાં આવે તેવો પણ મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો છે. દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો માં હિન્દુ મંદિરોના ચડાવવા માંથી હિન્દુ ધર્મના ગૌશાળા ગુરુકુળ તેમજ સંસ્કૃત પાઠશાળાઓ જેવા મહત્વના ગણાતા સનાતન ધર્મને ટકાવવા માટેના માધ્યમોમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ જ રીતે માતા વૈષ્ણોદેવી મંદિરના ચઢાવવા માંથી ઊભી થતી આવકનો ઉપયોગ પણ હિન્દુ ધર્મ અને સનાતનની રક્ષા માટે કરવામાં આવે તેવી માંગ સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવી હતી અને જેને હવે મેડિકલ કોલેજના મુદ્દા બાદ બળ મળશે.
અન્યાયી મેડિકલ કોલેજના પ્રવેશબાદ માન્યતા રદ થતાં રાજકારણ ગરમાયું સંઘર્ષ સમિતિ નો ઉત્સાહ વધ્યો…
માતા વૈષ્ણોદેવી યુનિવર્સિટી ની મેડિકલ કોલેજ ના પ્રવેશને લઈને સંઘર્ષ સમિતિએ વિરોધ પ્રદર્શનનો કર્યા હતા અને વિવિધ રજૂઆતો કરી હતી જેમાં અન્યાય પ્રવેશ બાદ નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા માન્યતા રદ કરવામાં આવી છે અને રાજ્યપાલને અપીલ કરી છે કે યુનિવર્સિટીના બાયલોઝમાં સુધારો કરવામાં આવે જેમાં હિન્દુ ધર્મ અને સનાતન સંસ્કૃતિ ની જાળવણી માટે ફંડનો ઉપયોગ થાય તેવા પ્રકારના સુધારા કરવામાં આવે તેવી માંગણી કરી છે. એન એમ સી ના નિર્ણયને પગલે નેશનલ કોન્ફરન્સ અને પીડીપી જેવા રાજકીય પક્ષોના માંધાતાઓની વર્ષો જૂની જો હુકની પણ આ નિર્ણયથી તૂટી છે. લાંબી લડત બાદ સંઘર્ષ સમિતિ નું આંદોલન ફળીભૂત થયું છે જેને લઈને લોકો આનંદોત્સવ મનાવી રહ્યા છે..
મેડિકલ કોલેજ રદ થતાં હવે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું શું ??
નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા માતા વૈષ્ણોદેવી એમબીબીએસ કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે વિવિધ અનિયમિતતાઓના મુદ્દાઓ ઉપસ્થિત છતાં કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે 50 જેટલા વિદ્યાર્થીઓ જમ્મુ કાશ્મીરના છે જેમાંથી 42 મુસ્લિમ અને આઠ હિન્દુ વિદ્યાર્થીઓના એડમિશન થયા હતા જેમને નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા નજીકની મેડિકલ કોલેજમાં પ્રવેશ ફાળવવામાં આવશે અને એની દેખરેખ નેશનલ મેડિકલ કાઉન્સિલ કરશે. જેનાથી વિદ્યાર્થીઓનું ભાવી અંધકારમય ન બને.
