લાખાવાડી ગામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ “મન કી બાત” ના 121મા એપિસોડનું આયોજન થયું. 27 એપ્રિલના રોજ પ્રસારિત થયેલા આ એપિસોડમાં કાશ્મીરના તાજેતરના ઘટનાઓ અંગે પ્રધાનમંત્રીએ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો.
કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓ:
- કાશ્મીર હુમલાની નીંદા:
પ્રધાનમંત્રીએ 22 એપ્રિલના પહેલગામ આતંકવાદી હુમલાને પીડાદાયક ગણાવ્યો. તેમણે જણાવ્યું કે દેશના દુશ્મનોને ક્ષમા કરાશે નહીં, અને પીડિત પરિવારોને ન્યાય અપાવવામાં આવશે.
સાથે જ એમણે કહ્યું કે કાશ્મીરમાં શાંતિ અને લોકતંત્ર મજબૂત થવાના કારણે આતંકવાદીઓને આ ગમતું નથી, જેના કારણે આ પ્રકારના હુમલા ઘડાયા છે. - કસ્તુરીનંદનને શ્રદ્ધાંજલિ:
પ્રધાનમંત્રીએ દેશના પ્રખર વૈજ્ઞાનિક કસ્તુરીનંદનના નિધન પર શોક વ્યક્ત કર્યો અને તેમના યોગદાનને યાદ કર્યું. - રાષ્ટ્રીય આપત્તિ પ્રબંધન માટે નવી એપ:
પ્રધાનમંત્રીએ “સચિત” મોબાઇલ એપ્લિકેશન વિશે માહિતી આપી, જે રાષ્ટ્રીય આપત્તિ પ્રબંધન પ્રાધિકરણ દ્વારા વિકસિત કરવામાં આવી છે. આ એપ નાગરિકોને સતર્ક રહેવા અને સાર્વજનિક સુરક્ષા માટે મદદરૂપ થશે. - “ઝાડમાં ને નામ” અભિયાન:
ઝાડમાં ને નામ અભિયાનના એક વર્ષની સફળતા પર ભાર મૂકીને તેમણે આ અભિયાનના વિશ્વવ્યાપી લોકપ્રિયતાનો ઉલ્લેખ કર્યો.
મહાનુભાવોની હાજરી
આ કાર્યક્રમમાં ડૉ. લોચન શાસ્ત્રી, ભારતીય જનતા પાર્ટીના વાંસદા મંડળના મહામંત્રી શ્રી પ્રકાશભાઈ પટેલ, વાંસદા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મધુભાઈ પટેલ સહિત ગામના આદરણિય મહાનુભાવોએ ભાગ લીધો. કાર્યક્રમનું આયોજન ગ્રામજનોના સહકારથી પૂર્ણ થયું, જેમાં ગામના સર્વપક્ષીય સભ્યો હાજર રહ્યા હતા.
ચર્ચા અને નિકાલ
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગામના વિકાસ અને સમસ્યાઓ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી. ત્વરિત નિકાલ માટે સુચનો આપવામાં આવ્યા અને આગામી આયોજન માટે નીતિ ઘડવામાં આવી.