નવસારી શહેરે ગુરુ જશકિરત સિંહજી તથા તેમના પરિવારનું ઉલ્લાસનગરથી પધારતા સમયે હર્ષ અને ઉમંગ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. તેઓ પોતાના ભાઈ ત્રિલોચન સિંહજી સહિત ડબલ ડેક્કર ટ્રેન દ્વારા સંજયકાલે નવસારી પહોંચ્યા હતા. રેલવે સ્ટેશન પર સમગ્ર સિંધી સમાજના આગેવાનો અને સભ્યો ભેગા થઈ ગુરુજીનું ઔપચારિક રીતે સ્વાગત કર્યું હતું.
સિંધી સમાજના આગેવાન પ્રેમચંદ લાલવાણી અને તેમના પરિવારે ગુરુજીનું વિશેષ સન્માન કર્યું હતું. આવનારી 2 અને 3 જૂનના રોજ સિંધી કેમ્પ હોલ ખાતે ગુરુ મહેરબાન સિંહજીના પાવન જન્મોત્સવ નિમિતે સત્સંગ અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
આ આયોજનમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ, નવસારી-જલાલપોરના ધારાસભ્ય તેમજ અન્ય જાણીતા ધાર્મિક આગેવાનોની ઉપસ્થિતિ રહેશે. આ અવસરે શહેરભરમાંથી મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકોએ જોડાવાનું નિશ્ચય કર્યું છે.