ભારતીય જનતા પાર્ટી દેશ અને દુનિયામાં સૌથી મોટી રાજકીય પક્ષ તરીકે ઉભરીને આગળ આવ્યો છે. કાર્યકર્તાઓની લાંબી કતાર ભારતીય જનતા પાર્ટીમાં તાકાત બનીને આગળ આવી છે ગુજરાતમાં 30 વર્ષથી રાજ સંભાળે છે અને કેન્દ્રમાં 10 વર્ષથી સત્તાનું સુખાન સાંભળી રહ્યા છે અને ત્રીજી વખત કેન્દ્રમાં પણ પોતાનું સુખાન સંભાળીને ભારતીય જનતા પાર્ટીને આગળ લઈ જવા માટે મથામણ કરી રહ્યો છે. વિવિધ રાજ્યોમાં એક પછી એક જીત હાંસલ કરી રહ્યા છે અને કાર્યકર્તાઓમાં જોમ અને જુસ્સો વધારી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ સંગઠન પર્વની શરૂઆત કરી છે એમાં કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ ઊભો થયો છે.
ભારતીય જનતા પાર્ટી એક મહિના પહેલા સભ્યો નોંધણી કાર્યક્રમ શરૂ કર્યો હતો જેમાં તમામ લોકોને અલગ અલગ ટાર્ગેટ પણ આપવામાં આવ્યા હતા જેમાં સાંસદ સભ્યથી માંડીને ધારાસભ્યને સંગઠનના તમામ ચૂંટાયેલા હોદ્દેદારો માટે સભ્યો બનાવવા માટે અલગ અલગ લક્ષ્ય આપવામાં આવ્યો હતો. જેના આધાર પર કાર્યકર્તાઓનો આંકલન અને કામ કરવાની ક્ષમતા ની માપણી કરીને હવે સંગઠન શક્તિમાં તેમને લઈ જવા માટેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.
સંગઠન પર્વની શરૂઆત થઈ ચૂકી છે જેમાં નિરીક્ષકો અને પ્રભારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે જેના આધાર પર હવે ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે કાર્યકર્તાઓ પોતે દાવો કરીને સંગઠનમાં આગળ જવા માટે હોદ્દાની માંગણી કરી શકે તેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે સંગઠનમાં હોદ્દેદારોની નિમણૂક માટે 40 વર્ષ સુધીના યુવાનોની ફોજ મેદાનમાં ઉતારવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે એ જોતા નવસારી શહેરમાં વિવિધ દાવેદારો જેમાં સંગઠનના અનુભવીઓ અને પાલિકામાં ચૂંટાયેલા અનુભવી નેતાઓ પક્ષમાં મંડળ કક્ષાથી માંડીને જિલ્લા પ્રમુખ સુધીના હોદ્દાઓ માટે દાવાઓ કરી રહ્યા છે અને લોબિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે જેમાં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ કોણ તે મુદ્દાને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે.
60 વર્ષ સુધીની મર્યાદા અને ભારતીય જનતા પાર્ટીએ બનાવેલા ક્રાઈટેરિયામાં ફીટ ન થતા હોય તેવા લોકોને સાઈડ લાઈન કરવામાં આવશે કે પછી નવેસરથી વિચારણા કરવામાં આવે તેવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે ખાસ કરીને જૂનું તે સોનુ ની વાતો સંગઠનમાં મહત્વની ગણાતી હોય છે સંગઠન માટે જુના નેતાઓને કાર્યકર્તાઓએ પોતાનું લોહી રેડ્યું હોય છે જેના કારણે તેમને સાઇડલાઇન કરી શકાય નહીં પરંતુ તેમને ત્યાં ગોઠવવા નિગમવા લઈ જવા કે કોઈક જગ્યાએ શોમાં જળવાઈ શકે તેવા હોદ્દા ઉપર ગોઠવવા તે બાબતની ચર્ચા વિચારણા પણ ફરીથી થઈ શકે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
નવસારી જિલ્લામાં સંગઠન ટોળીમાં મહામંત્રી માંથી કોઈક જિલ્લા ભાજપ પ્રમુખ બની શકે તેવી ચર્ચાઓ ??
નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ કોણ રહેશે તેને લઈને વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે જેમાંની એક ચર્ચા એવી પણ છે કે સંગઠનમાં હાલ મહામંત્રી તરીકેના હોદ્દાઓ સ્વભાવતા નેતામાંથી પ્રમુખ બની શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે વહી મર્યાદા અને વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે જેમાં સૌથી વધુ ચર્ચાઓ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માટેની થઈ રહી છે એમાં તમામ કાર્યકર્તાઓમાં સાથે લઈને ચાલે અને સંગઠન કરી શકે તેવા હોનહાર નેતાની શોધ પણ થઈ રહી છે .
ભુરાલાલ શાહ રિપીટ કે પછી નિગમમાં કોઈક સ્થાને ગોઠવણી કે પછી મહાનગરપાલિકામાં ?
નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીને સંગઠનાત્મક રીતે મજબૂત માળખું આપનાર ભુરાલાલ શાહ નું યોગદાન નવસારી જિલ્લા માટે ખૂબ મહત્વનું રહ્યું છે તેમણે તન મન ધનથી ભારતીય જનતા પાર્ટીને એક જૂઠ કરીને સમગ્ર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરી છે માત્ર વાંચતા વિધાનસભા બેઠક જીતવા સિવાય તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને તેમણે મજબૂત કરી છે. તેમની વયમર્યાદા અને પાર્ટીએ નક્કી કરેલા ધારા ધોરણ મુજબ તેમને ફરીથી રીપીટ કરવામાં આવશે કે પછી નિગમમાં કોઈ જગ્યાએ ગોઠવવામાં આવશે કે પછી મહાનગરપાલિકામાં ચૂંટણી વખતે કોઈ જગ્યાએ ગોઠવણી કરવામાં આવે તેવી શક્યતાઓ પ્રબળ બની છે.
અશોકભાઈ ગજેરા બની શકે છે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ !
નવસારી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી શાંતાદેવી રોડ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા અશોકભાઈ ગજેરા નું મહત્વનું રાજકીય યોગદાન રહ્યું છે. જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ તરીકે તેમણે ખૂબ મહત્વના યોગદાન આપ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં નવસારી સહિત ગુજરાત પ્રદેશમાં પણ મોટા રાજકીય માથા તરીકે ઉભરીને આગળ આવ્યા છે. તેમનું નામ પણ આગળ આવી રહ્યું છે. ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીની તન મન ધન થી સેવા કરી રહ્યા છે જેને લઇને તેમનો પણ નામ ચર્ચાઈ રહ્યું છે.
નવસારીના ત્રણ ધારાસભ્ય માંથી પણ જિલ્લા ભાજપ પ્રમુખ બની શકે !
છેલ્લા ઘણા સમયથી નવસારી જિલ્લામાં જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કોણ તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે જેમાં ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચાઓ ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકેનું સુકાન કદાચ જલાલપુર નવસારી અને ગણદેવી માંથી ત્રણ ધારાસભ્યો માંથી કોઈ એક ધારાસભ્યને પણ જિલ્લા ભાજપ પ્રમુખ બનાવીને નવસારી જિલ્લાના સંગઠનના માળખાને મજબૂત કરાવવા માટે ભારતીય જનતા પાર્ટી વિચારણા કરી શકે તેવી ચર્ચાઓ ઉચ્ચ રાજ્ય કક્ષાએ ચર્ચાઓ ચાલી રહી છે.
જિલ્લામાં જાતીય સમીકરણને સમતોલ કરવા કોળી પટેલ ફેક્ટર શક્તિશાળી..
નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં નરેશભાઈ પટેલ આદિજાતી ચેહરા તરીકે બે ટર્મ સુધી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે તેમણે મહત્વનું યોગદાન આપ્યું છે ત્યારબાદ ભુરાલાલ શાહ ભારતીય જનતા પાર્ટીમાં મોટા રાજકીય માથા તરીકે સંગઠનાત્મક ભૂમિકા ભજવી ચૂક્યા છે હવે ફરીથી સંગઠન પર્વ ચાલી રહ્યું છે તેવા સમયે જાતીય સમીકરણને બેલેન્સ કરવા માટે કોળી પટેલ ચહેરો પણ આવી શકે તેવી શક્યતાઓ પ્રબળ બની છે નવસારી જિલ્લામાં રાજ્ય સમીકરણને આગળ ધપાવવા અને રાજકીય સોશિયલ મિકેનિઝમને બેલેન્સ કરવા માટે કોળી પટેલ ચહેરો પણ આવી શકે.