નવસારીના વિજલપોર ખાતે રવિવારના દિવસે મોટી સંખ્યામાં મહિલાઓ કોંગ્રેસમાં જોડાઈ હોવાની ઘટના સામે આવી હતી. મહત્વનું છે કે આ દરમિયાન કોંગ્રેસના ખેસ પણ આ વિજલપોરની મહિલાઓએ ધારણ કર્યા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.
મોટી સંખ્યામાં જોડાઈ હતી મહિલા
મહત્વનું છે કે આ કાર્યક્રમ દરમિયાન વિજલપોરના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને આ દરેક લોકોની હાજરીમાં અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને નવસારી જિલ્લા મહિલા મોરચાના પ્રમુખની હાજરી અને આગેવાનીમાં મોટી સંખ્યામાં મહિલાઓ કોંગ્રેસમાં જોડાઈ હતી.
પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે રાતોરાત કઈ એવી ઘટના ઘટી કે જેને કારણે મહિલાઓ એવા નિવેદનો આપતી જોવા મળી હતી કે અમે ફક્ત ત્યાં જઈને બેઠા હતા અમને કોઈ જ બાબતની જાણકારી નથી. કારણ કે એક તરફ ત્યાં હાજર મહિલાઓ કોંગ્રેસ નેતા ના હાથેથી કોંગ્રેસનો ખેસ ધારણ કરતી જોવા મળે છે. અને આ તમામ દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા હતા.
કોંગ્રેસમાં જોડાવાની વાત નકારી
પરંતુ હવે સૌથી મોટો ચર્ચાનો વિષય એ બન્યો છે. કે કોના દબાણ થકી સોશિયલ મીડિયામા આ તમામ મહિલાઓ હવે કોંગ્રેસમાં જોડાવાની વાત નકારી રહી છે. શું વિજલપોર વિસ્તારમાં રાતોરાત કોઈ આટો મારી ગયું!
જનતા જનાર્દન દ્વારા પણ આ અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે કયા પ્રકારે વિજલપોરમા આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો અને મહિલાઓ એકત્ર થઈ હતી. પરંતુ અચાનક બીજા જ દિવસે આ મહિલાઓ એવું કહેતી જોવા મળી હતી કે અમને આ વાતની કોઈ જ ખબર નથી અમે કોંગ્રેસમાં નથી જોડાયા. ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કયા મહિલાઓ કોંગ્રેસના ખેસ ધારણ કરી રહી હતી. ભાજપના ન કરેલા કામો અંગે ચર્ચાઓ થઈ રહી હતી જેમાં સામા આ તમામ મહિલાઓ મિલાવી રહી હતી. શું ત્યાં સુધી આ લોકોને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે તેવી વાત ખબર જ નહીં હતી! સોશિયલ મીડિયામાં હાલમાં કેટલાક વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેમાં મહિલાઓ એવું કહી રહી છે કે તેઓ ફક્ત ગિફ્ટ લેવા માટે આવી હતી. ત્યારે આ સ્થિતિની વચ્ચે હવે નાગરિકના સ્વાભિમાન ની વાત વચ્ચે આવે છે. કોંગ્રેસના કાર્યક્રમમાં ગિફ્ટ લેવા આવેલી મહિલાઓ શું ભાજપના કાર્યક્રમમાં પણ આ જ રીતે જતી હશે એને લઈને ચર્ચાઓ ઊભી થઈ છે.
આ સમગ્ર ઘટનાક્રમને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી છે તેમના દ્વારા અંગે માહિતી આપવામાં આવી અને કહ્યું કે ભાજપના ડરથી આ પ્રકારના પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિજલપોર વિસ્તારમાં રાતોરાત બાકડા હટાવી લેવાની વાત ભાજપના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હતી. મહત્વનું છે કે આ વાતની હજી સુધી પૂછી નથી થઈ પરંતુ નાગરિકોને કોંગ્રેસમાં જોડાવાને લઈને ધમકાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કોંગ્રેસના આગ્રણીઓ કરી રહ્યા છે. ત્યારે નાગરિકોનું આ પ્રકારનું વલણ અને હવામાન અનુસાર થતા આ પક્ષ પલટા શહેર માટે કેટલા નુકસાનકારક છે તે હવે પ્રજાએ જ નક્કી કરવાની વાત છે.