નવસારી જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.26 સપ્ટેમ્બર-2024 ના રોજ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, કોન્ફરન્સ હોલ, પહેલો માળ, કાલિયાવાડી, નવસારી ખાતે સવારે 11-00 કલાકે યોજાશે. સપ્ટેમ્બર -2024ના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મહેસૂલી તંત્ર, પોલીસ વિભાગ, ગુજરાત વિદ્યુત બોર્ડ, એસ.ટી., પાણી પુરવઠા બોર્ડ, એસ.ટી., પાણી પુરવઠા બોર્ડને લગતા પ્રશ્નો સબંધિત ખાતાના અધિકારીશ્રી અને કલેકટરશ્રી સાંભળશે.
એક કરતાં વધુ શાખામાં પ્રશ્નો હોય તેવી, સુવાચ્ય ન હોય તેવી, નામ-સરનામા વગરની કે વ્યકિતગત, આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી તથા કોર્ટ મેટર, આંતરિક તકરાર, નોકરીને લગતી બાબતો, પેન્શન, રહેમરાહે, પ્રથમ વખતની અરજી અને આ કાર્યક્રમમાં રીપીટનાં પ્રશ્નો પર કોઇ કાર્યવાહી થઇ શકશે નહીં.
જિલ્લા સ્વાગતમાં અરજી કરતાં પહેલા કોઇપણ અરજદારે ગ્રામકક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને, તાલુકાકક્ષાનો હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં અરજી કરેલી હોવી જોઇએ અને તેનુ નિરાકરણ થયેલું નહિ હોઇ. અગાઉના સબંધિત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર તેમજ આપવામાં આવેલ જવાબ/પ્રત્યુત્તરની ઝેરોક્ષ નકલ સાથે રાખવી.
અરજદારે પ્રશ્નો અંગેની લેખિત અને ટાઇપ કરેલ અરજી (સંબંધિત વિભાગને કરેલી અરજીની નકલ સાથે) કલેકટર કચેરી, નવસારી ખાતે રજૂ કરવાની રહેશે. અરજી પર ‘ જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ એ મુજબ દર્શાવવાનું રહેશે. અરજદારે અલગ-અલગ વિષય દર્શાવતો પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાના રહેશે. અરજદારે અરજી તા.10/09 /2024 સુધીમાં મોકલી આપવાની રહેશે. સરકારી કર્મચારીઓના નોકરીને લગતા પ્રશ્નો રજૂ કરી શકાશે નહિ. તેમ નિવાસી અધિક કલેકટરશ્રી, નવસારી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.