Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 2025

બીલીમોરામાં ગણેશ ઉત્સવમાં રક્તદાન કરનાર રક્તદાતા ને મુસ્લિમ NRI દાતા એ પ્રોત્સાહિત ભેટ આપી માનવતા મહેકાવી, એકતા યુવક મંડળ દ્વારા 239 બોટલ રક્ત એકત્ર કરાયું, જુઓ Video

August 31, 2025

નવસારી પૂર્ણા નદીના બ્રિજ પર ઉપર ગંભીર અકસ્માત, મોટો ટ્રાફિક જામ, જુઓ Video

August 30, 2025
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»જમ્મુ કાશ્મીર»નરેન્દ્ર મોદીનો ધમધમાટ… મોહબ્બતની દુકાનના નામ પર નફરતનો સામાન વેચવાનો કોંગ્રેસનો જુનો ઇતિહાસ !
જમ્મુ કાશ્મીર

નરેન્દ્ર મોદીનો ધમધમાટ… મોહબ્બતની દુકાનના નામ પર નફરતનો સામાન વેચવાનો કોંગ્રેસનો જુનો ઇતિહાસ !

જમ્મુ કાશ્મીરની ચૂંટણીનું પહેલું ચરણ પૂર્ણ થયું છે. બીજા અને ત્રીજા ચરણ માટે ચૂંટણી પ્રચારમાં ચાલી રહ્યો છે. જેમાં રાષ્ટ્રીય નેતાઓની યાત્રાઓ શરૂ થઈ છે. ભાજપ કોંગ્રેસ પીડીપી નેશનલ કોન્ફરન્સ આપના દલ અને અપક્ષો મેદાનમાં પડ્યા. વિવિધ મુદ્દાઓને લઈને જમ્મુ કાશ્મીરનું રાજકારણ ગરમાયુ છે.
Nilesh GamitBy Nilesh GamitSeptember 20, 2024No Comments4 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Jammu kashmir election
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના કટરાના વૈષ્ણોદેવી વિધાનસભા પર પ્રચાર માટે પહોંચ્યા હતા. માતા વૈષ્ણોદેવીના દર્શન કર્યા બાદ સ્પોર્ટ્સ સ્ટેડિયમ કટરા ખાતે જાહેર સભાને સંબોધી હતી.

“જયકારા શેરાવાલી દા” અને “બોલ સાચે દરબાર કી”

નારાથી પોતાનું વક્તવ્ય શરૂ કર્યું હતું. ઉધમપુર જિલ્લાના વૈષ્ણોદેવી વિધાનસભા બેઠક પર પ્રચાર પ્રસાર દરમિયાન તેમણે લોકો સાથે વાતચીત કરી હતી અને પોતાના વિકાસની હરમાળા ગણાવી હતી પોતાના વક્તવ્ય દરમિયાન કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ અને પીડીપી પર આંકરા પ્રહારો કર્યા હતા. જમ્મુ કાશ્મીર ના મુદ્દા અને 370 35a જેવા મુદ્દાઓના કારણે કાશ્મીરને ઓર માયુ વર્તન રાખીને ડેવલપમેન્ટ ન થવા દેવાની રાજકીય પક્ષોના કાવતરા બાબતે તેમણે લોકો સાથે વાતચીત કરી હતી.

“આસ્થાને સન્માન આપે સંસ્કૃતિને આગળ વધારે એવી સરકાર માટે અપીલ કરી હતી”

વૈષ્ણોદેવી વિધાનસભા બેઠક પર ઉમેદવાર માટે વોટ માંગતા તેમણે આસ્થા અને સન્માનની વાત કરીને લોકોને સેન્ટીમેન્ટ સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો સાથે સંસ્કૃતિને આગળ વધારે તેવી સરકાર લાવવા માટે આહવાન કર્યું હતું.

રાહુલ ગાંધીની વિદેશ યાત્રા દરમિયાન તેમણે ભાંગરો વાટ્યો હતો અને ભારત દેશના દેવી-દેવતાઓ વિશે તેમણે ટિપ્પણી કરી હતી જે મુદ્દાને લઈને તેમણે જાહેરમાં રાહુલ ગાંધી પર આંકરા પ્રહારો કર્યા હતા.

“દેવતા ભગવાન નથી હોતા”

રાહુલ ગાંધીએ કરેલા નિવેદનને લઈને ભારતીય જનતા પાર્ટી આંદોલન આત્મક ભૂમિકા ભજવવાની શરૂઆત કરી હતી તેમણે પોતાના પ્રવાસ દરમિયાન વિદેશોમાં આવા વિધાનો કર્યા હતા જેને લઈને દેશની આસ્થા સાથે ખીલવાડ કર્યાનો આરોપ કર્યો હતો બીજા ધર્મો અને દેશથી ઈમ્પોર્ટ કરેલી વિચારધારાથી કોંગ્રેસ ચાલતી હોવાનો પણ તેમણે ગંભીર આરોપ કર્યો હતો,

“કોંગ્રેસ પરિવાર સૌથી ભ્રષ્ટાચારી પરિવાર હોવાનું નિવેદન કર્યું “

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના કટરા ખાતેના સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોને સંબોધન કર્યું હતું જેમાં કોંગ્રેસ પરિવાર તેમના નિશાના પર રહ્યું હતું કોંગ્રેસ પરિવારને સૌથી ભ્રષ્ટ પરિવાર અને તેમને સાચવનારા કહ્યા હતા.

“ડોગરા વિરાસત પર કોંગ્રેસ ઈરાદાપૂર્વક હુમલા કર્યાનું કર્યું નિવેદન..”

ડોઘરા વંશ એ જમ્મુ કાશ્મીર પર શાસન કરનારો મહત્વનો વંશ ગણાય છે જેમાં વારંવાર ઢોકળા વંશ પર કોંગ્રેસ એમસીપી અને પીડીપી દ્વારા હુમલાઓ કરવામાં આવતા હતા જેને લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડોકરા વંશજો પર કરવામાં આવેલા કોંગ્રેસના હુમલાઓ બાબતે ટીકા ટિપ્પણી કરી હતી. ડોઘરા વંશ દ્વારા જમ્મુ કાશ્મીરમાં શાસન બાબતે સારો એવો વહીવટ કર્યો હતો પરંતુ કોંગ્રેસ તેમના પર વારંવાર ઈરાદાપૂર્વક નિશાનો કરીને બદનામ કરવાનો પ્રયાસ કરે છે ડોઘરા વંશને તેમણે સારા શાસકો ગણાવ્યા હતા.

જમ્મુ કાશ્મીર સાથે ભેદભાવ કર્યો હોવાનું ગંભીર આરોપ કર્યો અને રાજા હરિસિંહના જન્મદિવસે રજા આપી જમ્મુ કાશ્મીર ને સન્માન આપ્યું હોવાનું નરેન્દ્ર ભાઈ મોદીએ દાવો કર્યો છે ..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જમુના પ્રવાસ દરમિયાન માતાજીના દર્શન કર્યા બાદ લોકો સાથે વાતચીત કરી હતી જાહેર સભાને સંબોધતા ઉમેદવારો માટે મતો માંગ્યા હતા અને પોતાની સંસ્કૃતિનું જતન કરે અને દેશની રક્ષા કરે તેવી સરકાર માટે લોકોના અપીલ કરી હતી સ્થાનિક રાજકીય પક્ષોને કાશ્મીર સાથે અન્યાય કરતા હોવાનું પણ ગંભીર આરોપ કર્યો હતો. જાહેર સભા દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોનો આભાર માન્યો હતો તેમની સાથે જમ્મુ કાશ્મીરના પ્રદેશ પ્રમુખ સાંસદો અને ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વૈષ્ણોદેવી વિધાનસભા બેઠક પર નરેન્દ્રભાઈ મોદીના પ્રવાસને લઈને અનેક તર્ક વીતર કો લગાવવામાં આવ્યા છે જેમાં ભારતીય જનતા પાર્ટીને સીધો ફાયદો થવાની અને વૈષ્ણોદેવી વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી મોટા માર્જીનથી જીતશે તેઓ દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

જમ્મુ કાશ્મીરમાં પહેલા ચરણનું મતદાન પૂર્ણ થયું છે જેમાં 24 વિધાનસભા બેઠકો પર ચૂંટણી પૂર્ણ થઈ છે અને હવે બીજું ચરણ 28મી સપ્ટેમ્બરના રોજ યોજાશે જેના માટેની પ્રચાર પડઘમની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જોરસોરમાં પ્રચાર પ્રક્રિયા ચાલી રહી છે. તમામ રાજકીય પક્ષોએ પોતાની તાકાત ઝોકી દીધી છે..

જમુવેલીમાં ભારતીય જનતા પાર્ટી 25 થી 30 સીટો લાવી શકે અને બીજી બેઠકો ઉપર નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પોતાનો દાવો કરી રહી છે સાથે ૪૭ બેઠકો કાશ્મીરમાં આવે છે એમાં અપક્ષનો દબદબો રહ્યો છે મહેબૂબા મુક્તિ અને ઉંમર અબ્દુલ્લા જેવા પૂર્વ મુખ્યમંત્રીઓની ગંભીર હારને પગલે નેશનલ કોન્ફરન્સ અને પીડીપી બંનેની પડતી આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે ખાસ કરીને રાશીદ એન્જિનિયર અને તેમના સહાયકો અપક્ષ ઉમેદવાર તરીકે પણ મેદાનમાં ઉતાર્યા છે પ્રોક્ષી ઉમેદવારોની બોલબાલા સમગ્ર જમ્મુ કાશ્મીરમાં ચર્ચામાં રહી છે

BJP jammu and kashmir Jammu Kashmir election pm modi Rahul Gandhi Vidhan Sabha Election
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Nilesh Gamit
  • Website

Related Posts

સરપંચની ચૂંટણી વખતે સમૂહોમાં ફૂટ પડે, ઝઘડા થાય અને પરિવારો તૂટે, પણ…જાણો નવસારી સરપંચ અભિવાદન સમારંભમાં C R પાટીલે શું શું કહ્યું?

July 13, 2025

નવસારી CR પાટીલનો ગઢ નથી, પેજ પ્રમુખ ભ્રમ ફેલાવવાનું કામ છે… AICC ના નિરીક્ષકે ભાજપની સ્ટ્રેટેજી પર કર્યા સીધો વાર, જુઓ VIDEO

April 29, 2025

વાંસદા લાખાવાડી ગામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની “મન કી બાત”, ડૉ. લોચન શાસ્ત્રી રહ્યા હાજર

April 28, 2025
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,587 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,219 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,817 Views

નવસારીના વિજલપોરમાં લિફ્ટ દુર્ઘટનામાં 5 વર્ષીય બાળકનું મૃત્યુ, જુઓ કેવી રીતે લિફ્ટ કાપી કાઢ્યું બહાર

August 25, 20253,718 Views
Don't Miss
નવસારી

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

By Atul RathodSeptember 2, 20250

નવસારી શહેરમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. ગઈકાલે નવસારીમાં બે નાનકડી બાળકી પૈકી એકનો…

બીલીમોરામાં ગણેશ ઉત્સવમાં રક્તદાન કરનાર રક્તદાતા ને મુસ્લિમ NRI દાતા એ પ્રોત્સાહિત ભેટ આપી માનવતા મહેકાવી, એકતા યુવક મંડળ દ્વારા 239 બોટલ રક્ત એકત્ર કરાયું, જુઓ Video

August 31, 2025

નવસારી પૂર્ણા નદીના બ્રિજ પર ઉપર ગંભીર અકસ્માત, મોટો ટ્રાફિક જામ, જુઓ Video

August 30, 2025

નવસારી: કરાડી ગામમાં હાઇટેંશન લાઈનનો કરંટ લાગતા બેના મોત અને પાંચ ગંભીર દાઝ્યા

August 26, 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2025 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.