નવસારી જીલ્લો તાપી જિલ્લાની જેમ ધર્માંતરણમાં આગળ ન વધે તેવી ચિંતા સંગઠન વ્યક્ત કરી છે. નવસારી જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે હિન્દુ સંગઠનના સભ્યો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા.
હિન્દુ સંગઠનો ભય છે કે નવસારી જીલ્લો તાપી જિલ્લાની જેમ ધર્મ પરિવર્તનની દિશામાં આગળ ન વધે, થોડા દિવસ અગાઉ નવસારી શહેરમાં આવેલી ખાનગી શાળાના શિક્ષક અને તેની પત્ની દ્વારા બારડોલીના બાબલા ગામ ખાતે યોજાયેલા ખ્રીસ્તી ધર્મના કાર્યક્રમમાં હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરી હતી જે મામલે બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ થયા બાદ ધરપકડ થઈ હતી,આ મુદ્દો હવે હિન્દુ સંગઠન માટે ચિંતાનો વિષય બનતો જાય છે.
નવસારી જિલ્લામાં આવેલા આદિવાસી પંથકમાં ધર્માંતરણ પ્રવૃત્તિ ઘર કરી ગઈ હોય તેમ હિંદુ સંગઠનો એ આ પ્રવૃત્તિ ઉપર રોક લગાવવા માટે જિલ્લા કલેકટરને આવેદન સ્વરૂપે માંગ કરી છે.
અત્યાર સુધી ધર્માંતરની પ્રવૃત્તિ ડાંગ વાંસદા,ખેરગામ સહિતના વિસ્તારમાં થતી હતી, પરંતુ હવે આ બધી શહેરી વિસ્તારમાં પણ પ્રવેશી ગઈ છે. જેને લઈને હિંદુ સંગઠનો એ ચિંતા વ્યક્ત કરી છે. હિન્દુ સંગઠનો એ આવેદનમાં આક્ષેપ કર્યો છે કે તાપી જિલ્લામાં ધર્માંતરણ પ્રોત્સાહન આપવાનું કાર્ય ભાજપના ધારાસભ્ય અને ભાજપના આગેવાનો જ કરાવી રહ્યા છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે.
સાથે જ હિન્દૂ આગેવાનોએ જણાવ્યું કે, સારું છે કે નવસારી ભાજપના ધારાસભ્યો આવા કાર્યને પ્રોત્સાહન આપતા નથી માટે સહકાર આપવા વિનંતી કરવામાં આવી હતી.