નવસારીના શાંતાદેવી વિસ્તારમાં કડવા પટેલ સમાજને વસાવનાર પહેલા મોરબીના વ્યક્તિ તરીકે તેમનું નામ આજે પણ સ્વમાન ભેર ગર્વ ભરી રીતે લેવામાં આવે છે. નવસારી શહેરમાં ભારતીય જનતા પાર્ટી અને જનસંઘ સમયથી મજબૂત કરવામાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું હતું. નવસારી શહેરને ભાજપના રંગે રંગવામાં પણ તેમનું યોગદાન મહત્વનું રહ્યું છે. મોરબી થી ધારાસભ્ય બન્યા બાદ રાજ્ય સરકારમાં પ્રધાન મંડળ પણ સ્વભાવ્યું હતું. શાંતાદેવી રોડ વિસ્તારમાં આજે પણ તેમનું નામ કડવા પાટીદાર સમાજ ગર્વ અનુભવે છે.
સ્વર્ગીય મગનભાઈ કાસુન્દ્રાની 26મી પુણ્યતિથિએ તેમના પરિવાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજ ઉપયોગી કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમને શ્રદ્ધાંજલિના ભાગરૂપે સમાજમાં જરૂરિયાત મંદ લોકોને સેવા મદદની સાથે જરૂરી અને મન દુઃખ થઈ શકે એવા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. તેમના ત્રણેય દીકરાઓ પૈકી પરેશભાઈ કાસુન્દ્રા આજે પણ નવસારી શહેરમાં રાજકીય યોગદાન આપી રહ્યા છે અને તેમના પિતાશ્રીના સંગઠનાત્મક અને સેવાત્મક પ્રવૃત્તિનો ભાગ બનીને નવસારી શહેરના આજે પણ યોગદાન આપી રહ્યા છે.
નવસારી શહેરમાં કડવા પટેલ સમાજને મોરબી થી નવસારી વસાવનાર મગનભાઈ કાસુન્દ્રાને આજે પણ લોકો યાદ કરે છે…
શાંતાદેવી રોડ પર મોરબી થી આવીને વસેલા લોકોને વસાવવામાં અને મદદરૂપ થવામાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી ઉપરાંત તેમણે પોતાના વતનમાં પણ એવા જ પ્રકારનું સામાજિક યોગદાન આપ્યું હતું રાજકીય ક્ષેત્ર પણ તેમણે ખૂબ મહત્વનો યોગદાન આપ્યા હતા.
નવસારી શહેરમાં ભાજપને બેઠુ કરવામાં તેમનો મહત્વનો ફાળો
નવસારી શહેરમાં પહેલા ભારતીય જનતા પાર્ટીનું નામો નિશાન નહોતું ત્યારે મોરબી થી નવસારીમાં આવીને તેમણે જનસંઘ સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલી તે વાક્ય પ્રવૃત્તિ ની શરૂઆત કરી હતી અને આજે નવસારી શહેરમાં ભારતીય જનતા પાર્ટી અને શાંતાદેવી એક સિક્કાના બે બાજુ બનીને રહી ગયા છે અને શાંતાદેવી એટલે ભાજપ અને ભાજપ એટલે શાંતાદેવી જેવી સ્થિતિ નિર્માણ કરવામાં તેમના પરિવારનો અમૂલ્ય ફાળો રહ્યો છે અને આજે પણ તેમને માનભેર યાદ કરવામાં આવે છે
26 પુણ્યતિથિના કાર્યક્રમમાં નવસારી શહેર ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને વડીલોએ આપી હાજરી…
મગનભાઈ કાસુન્દ્રા એ પોતાની આગવી સૂઝભુજ અને વિચાર શક્તિના પગલે સંગઠનાત્મક ભૂમિકા ભજવવામાં મહત્વનું ફાળો આપ્યો હતો જેમાં નવસારી શહેરમાં તેમની યાદમાં તેમના પરિવાર દ્વારા 26 પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ભુરાલાલ શાહ અને ધારાસભ્ય તથા સહિત સંગઠનના હોદ્દેદારોએ હાજરી આપી હતી.