14 વર્ષ બાદ નવસારીને મહાનગરપાલિકા નું માળખું મળ્યું છે. જેમાં વર્ષો જૂની માંગ સંતોષાતા શહેરી જનોમાં આનંદની લાગણી વ્યાપી છે. છેલ્લા ઘણા સમયથી નવસારીને મહાનગરપાલિકા બનાવવા માટેની માંગ કરવામાં આવી હતી. જેનાથી શહેરનો વિકાસ થઈ શકે. હવે અંતે મહાનગરપાલિકાનું માળખું મળી ચૂક્યું છે. ત્યારે મહાનગરપાલિકાના શાસકો અને વહીવટી તંત્ર માટે પડકારોના ઢગલાઓ બંધાયા છે.
નવસારી શહેરના સાકળા રસ્તાઓ અને ખૂટતી પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવા માટે મોટા ભંડોળ પણ જરૂર પડશે અને રાજ્ય ઈચ્છા શક્તિની સાથે વહીવટીતંત્રની આવડતની પણ જરૂર પડશે.
દાંતેજ, હાંસાપોર, ધારાગીરી અને એરુ ગામોનો સમાવેશ
નવસારી મહાનગરપાલિકા બનતાની સાથે નવા ચાર ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં દાંતે જ એરુ ધારાગીરી અને હાંસાપોર ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે નવા ગામોમાં પ્રાથમિક સુવિધા ઉભા કરવા માટે મોટા ભંડોળ અલગથી જોગવાઈઓ કરીને વેરામાં થોડા સમય માટે છૂટછાટ આપવી પડે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
નવસારીના હદ વિસ્તરણ ના નવા આઠ ગામો હજુ પણ સુવિધાઓથી વંચિત..
નવસારી મહાનગર પહેલા નવસારીનું હદ વિસ્તરણ કરવામાં આવ્યું હતું જેમાં આઠ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો એ આઠ ગામો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે એ વિસ્તારમાં સાફ-સફાઈ પાણી અને નળ ગટર રસ્તાઓની ઉણપ આજે પણ લોકોને સતાવી રહી છે ઊંચા વેરાઓ ભરવા છતાં તેમને હજુ સુવિધાઓ મળી શકી નથી જેના કારણે લોકોમાં અસંતોષની લાગણી છે હાલ મહાનગરપાલિકા બનતા વેરામાં હજુ પણ વધારો થશે જે એના કારણે લોકોમાં અસંતોષની લાગણી વધશે.
વીજલપોર વિસ્તાર હજુ પણ સાંકડી ગલીઓથી ભરપૂર…
નવસારી મહાનગરપાલિકામાં ભળી ગયેલું વીજલપોર શહેર હજુ પણ સાંકળી ગલીઓ અને ગંદકી તથા ખુલ્લી ગટરોથી કદ બધી રહ્યું છે ત્યારે નવસારી મહાનગરપાલિકાના શાસકોન વહીવટદારો સામે વિજલપોર વિસ્તાર પડકારરૂપ બની રહેવાનો છે એમાં પણ મીની ભારત જેવું વિજલપોર નો કાયા પલટ કરવો અગ્નિ પરીક્ષા સમાન બની રહેશે.
નવા કમિશનર દેવ ચૌધરી મહાનગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર બનશે.
અમદાવાદ મહાનગરપાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા દેવ ચૌધરી નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર બનીને નવસારી શહેરની કયા પ્લોટ માં તેમની ભૂમિકા ભજવશે અમદાવાદના અનુભવો અને તેમના સનદી અધિકારી તરીકે ના દ્રષ્ટીના લાભ નવસારીને કાયાપલટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.