કોસ્ટગાર્ડના એર એન્ક્લેવ પર હેલિકોપ્ટર ક્રેશ થયુ હોવાની માહિતી સામે આવી છે. ગુજરાતના પોરબંદરમાં આવેલા કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થયું. મહત્વનું છે કે આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. આજે લગભગ 12:30 ના અરસામાં અચાનક જ પ્લેન હેલિકોપ્ટર ક્રેશ થયું હતુ. આ દરમ્યાન હેલિકોપ્ટરમાં સવાર લોકોને સારવાર આપવામાં આવી રહી હતું જે દરમ્યાન સારવાર દરમિયાન તેમનું મોત થયુ હોવાની માહિતી સિવિલ હોસ્પિટલમાંથી સામે આવી છે.
આ ઘટનામાં કેટલાક અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પણ માહિતી સામે આવી છે. આ તમામ ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. સમગ્ર ઘટના અંગે તપાસ પણ શરૂ કરવામાં આવી છે. હેલિકોપટર ક્રેશ થવા પાછળ ટેકનિકલ ખામી છે કે અન્ય કોઈ તેની વિગત તપાસ બાદ જ સામે આવે છે.
હાલમાં આ સમગ્ર બાબતે ઇજાગ્રસ્ત લોકોને સારવાર સહિતની રાહત કામગીરી કરવામાં આવી રહી છે. આ હેલિકોપ્ટરમાં 5 લોકો સવાર હોવાની માહિત પણ સામે આવી હતી. જેમાં બે પાયલટ અને અન્ય ત્રણ લોકોનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ હેલેકોપ્ટર લેન્ડ થતાંની સાથે જ સ્થળ પર જ સળગી ગયું હતું. આ સમગ્ર ઘટનાને પગલે પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી છે. આ સાથે તમામ સુરક્ષા એજન્સીઓ એરપોર્ટ પર પહોંચી છે. અને અંદર સંપૂર્ણપણે ઇન્વેસ્ટિગેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે. SP સહિતનો કાફલો એરપોર્ટ પર પહોંચી ગયો છે.