નવસારીને સત્તાવાર રીતે મહાનગરપાલિકા નો દરજ્જો મળ્યા બાદ આજે નવસારીને પ્રથમ એના કમિશનર મળ્યા છે. અમદાવાદમાં નાયબ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા 2016 બેચ ના આઈએએસ અધિકારી દેવ ચૌધરીને નવસારી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
ત્યારે આજે નવસારી ના પહેલા કમિશનર તરીકે એમણે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. પ્રથમ દિવસે મીડિયા સાથેની વાત દરમિયાન એમણે નવસારીની જનતાને શુભેચ્છાઓ આપી અને શહેરને સ્વચ્છ રાખવા માટેની અપીલ કરી હતી.
સાથે જ નવા માળખા ગોઠવવા માટે ની તૈયારીઓ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે નવસારી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા જ્યારે બની છે ત્યારે નવા સીમાંકન નવા વોર્ડ અને શહેરની દશા અને દિશા બદલવાની તૈયારી શહેરના કમિશનર કરી રહ્યા છે