દર વર્ષે ચોમાસાની શરૂઆતની સાથે રખડતા ઢોર નો ત્રાસ વધી જતો હોય છે અને રાજ્ય સરકાર નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને ગાઈડલાઈન બહાર પાડીને ઢોર પકડીને લોકોને સુરક્ષિત અહેસાસ કરાવવા માટેની ગાઇડલાઇન જાહેર કરતી હોય છે. હાઇકોર્ટે પણ હવે તો કડક વલણ અપનાવીને મહાનગરપાલિકાઓ સામે કાર્યવાહી કરવાની ચીમકી આપી છે જેને લઇને ઢોર પકડવાની કામગીરી જોરસોરમાં ચાલી રહી છે.
નવસારી શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ 365 દિવસ લોકોને અનુભવ થાય છે. જેમાં પણ રખડતા સાંજના ઝઘડા ના કારણે મુખ્ય માર્ગો પર લોકોએ ભયનો સામનો કરવો પડતો હોય છે નવસારી શહેરમાં 9 1 2025 ના રોજ જમાલપુર ની રુકમણી સોસાયટી નજીક બે આંખના બાખડીયા હતા અને દોડધામ મચી હતી રોડ સાઈડમાં લારી પર ધંધો રોજગાર મેળવતી મહિલાની લારીને ઉંધી કરી દીધી હતી અને સમગ્ર સામાન વેરવિખેર થઈ ગયો હતો. એવા જ પ્રકારની ઘટનાઓ જમાલપુર વિસ્તારમાં વારંવાર બનતી રહે છે ઉપરાંત શહેરમાં પણ આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી રહે છે.
નવસારી શહેરમાં અગાઉ રખડતા ઢોરના કારણે અકસ્માતો અને મોત પણ થયા છે.
નવસારી શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ લોકો માટે અસહ્ય બની ગયો છે શહેરમાં વારંવાર અકસ્માત અને આખલા વચ્ચે લડાઈ ના દ્રશ્યો સામે આવતા હોય છે ભૂતકાળમાં નવસારી નગરપાલિકાના શાસકો ઉપર રખડતા ઢોર બાબતે કામગીરી ન કરવાને લઈને બેદરકારી દાખવતા પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ ચૂકી છે શહેરમાં રખડતા ઢોર માથાનો દુખાવો બની ચૂક્યા છે
નવસારી મહા નગરપાલિકાના એન્જિનિયરો રખડતા ઢોર પકડવા મેદાને.
નવસારી શહેર અને જિલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે જેને લઇને લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે તેવા સમયે નવસારી મહાનગરપાલિકાએ રખડતા પશુઓને પકડવા માટેની કામગીરી શરૂ કરી છે સવારથી જ વિવિધ ટીમો બનાવીને શહેરમાં આખલા પકડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરીજનોને રખડતા ઢોરોના ત્રાસથી બચાવવા માટે મહાનગરપાલિકાએ અભિયાન હાથ ધર્યું છે.
નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીએ સ્વચ્છતા બાબતે કડક વલણ અપનાવ્યું.
નવસારી શહેરમાં હવે મહાનગરપાલિકા નો અહેસાસ એકાદ મહિનાથી લોકોને થશે કારણ કે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનરે પોતાના અનુભવોના આધાર પર નવસારી શહેરની કાયાપલ કરવાની નેમ પહેલા દિવસથી જ વ્યક્ત કરી દીધી છે નવસારી શહેરને 30 દિવસમાં કચરો હટાવવા અને સ્વચ્છતા બાબતે પ્રથમ કામગીરીની શરૂઆત કરી છે સાથે રખડતા ઢોર માથાનો દુખાવો છે જેનાથી લોકોને સુરક્ષિત કરવા માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
મહાનગરપાલિકા રખડતા ઢોર તો પકડશે પણ શોખ છે કોને???
રખડતા ઢોરની પ્રકૃતિ લોકો દ્વારા ફેંકવામાં આવેલો ઘરનો હેલો ખોરાક ખાવા માટે ટેવાયેલા હોય છે અને તેવા સમયે રખડતા ઢોરને રાખવા માટે પાંજરાપોળમાં ચારાની વ્યવસ્થા હોય છે. છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરને પાંજરાપોળમાં મૂકવામાં આવે છે તેવા સમયે તેમને લીલો ચારો કે સૂકોચારો ખાવા માટે ટેવાયેલા હોતા નથી જેના કારણે પાંજરાપોળમાં સમસ્યા ઊભી થતી હોય છે અને ખોરાકની મુશ્કેલી ઊભી થતી હોય છે જેના કારણે શહેરમાં રખડતા ઢોર મોતને ભેટવાની શક્યતાઓ રહેલી છે અગાઉ પણ ભૂતકાળમાં આવી ઘટનાઓ ઘટી ચૂકી છે પાલિકાએ રખડતા ઢોર પકડવાની શરૂઆત તો કરી છે પણ શોખ છે કોને તે મહત્વનો મુદ્દો છે.
મહાનગરપાલિકા પાસે પોતાનું અલાયદૂ પાંજરાપોળ નથી…
નવસારી મહાનગરપાલિકા જ્યારે નગરપાલિકા તરીકેનું અસ્તિત્વ ધરાવતી હતી ત્યારે વારંવાર રાજ્ય સરકાર પાસે જમીનની માંગ કરવામાં આવી હતી પાંજરાપોળ બનાવવા માટેની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી હતી પરંતુ જમીન મળી શકી નહોતી જેને લઈને રખડતા ઢોરને રાખવા માટેની પાલિકાની પોતાની જગ્યા નથી તેવા સમયે રાખવી ક્યાંય મહત્વનો પ્રશ્ન બની રહેવાનો છે અને પાંજરાપોળમાં મૂકવા માટે પૈસા ચૂકવવા પડશે અને એ પણ દરેક રખડતા ઢોર દીઠ ચૂકવવાના રહેશે જે પાલિકા પર એક બોજ બની જશે.
મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરીએ ધર્મી કાયાપલટ માટે પાલિકાના અધિકારીઓના ક્લાસ લીધા..
નવસારી શહેર વિવિધ સમસ્યાઓથી ઘેરાયેલું છે હવે મહાનગરપાલિકા બની ગયું છે તેવા સમયે નવસારી શહેરની કાયાપલટ કરવી લોઢાના ચણા ચાવવા સમાન બની ગઈ છે ત્યારે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી એ ટ્રાફિક અને સ્વચ્છતા માટે કર્મચારીઓના ક્લાસ લીધા
નવસારી શહેરની કાયાપલટ કેવી રીતે કરી શકાય તેના માટેની ચર્ચાઓ આંતરિક રીતે કરવામાં આવી છે જેના કારણે ટ્રાફિકની સમસ્યાને હળવી કેવી રીતે કરી શકાય શહેરમાં સ્વચ્છતા કેવી રીતે કરી શકાય અને શહેરના મહત્વના પ્રોજેક્ટ કયા તેને લઈને ચર્ચાઓ કરવામાં આવી છે અને નજીકના સમયમાં મોટા પ્રોજેક્ટો પણ હાથ ધરવામાં આવશે.