નવસારીમાં કુતરા કરડવાના કિસ્સાઓમાં વધારો થતા શહેરીજનોમાં આક્રોશ ની લાગણીની સાથે ભયનો માહોલ ઉભો થયો છે મહાનગપાલિકા ને ધ્યાને આવ્યા કાર્યવાહી શરૂ કરી છે.
શહેરમાં રખડતા કૂતરાઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે જેના પરિણામ સ્વરૂપે રસ્તે ચાલતા લોકોને રખડતા કુતરા કરડવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. પાંચ દિવસમાં 50થી વધુ કુતરાઓ કરડવાના કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં લોકોએ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી છે. શહેરના વ્હોરા વાડ, ઝવેરી સડક, ભેંસદ ખાડા અને જુના થાણા વિસ્તારમાં કુતરાઓ કરડવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. કુતરાઓની વધેલી સંખ્યા અને કરડવાના કિસ્સાઓના કારણે લોકો ભયમાં મુકાયા છે.
હડકવાની રસી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવે છે એક મહિનામાં ચાર જેટલી રસીઓ દર્દીને આપવામાં આવે છે તેમ છતાં સિવિલના સર્જન લોકોને હડકાયા કુતરા બાબતે સાવચેતી રાખવા માટે જણાવી રહ્યા છે. કુતરુ હડકાયેલું છે કે કેમ એ જાણવું મુશ્કેલ છે જેના માટે રસી મુકાવી આવશ્યક છે. જેથી ભવિષ્યમાં મોટી મુશ્કેલી ઊભી ન થાય. સાથે મહાનગપાલિકા એ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવી બાંહેધરી આપી છે.
બદલાતા જમાના ની સાથે પાલતુ પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો છે એ જ રીતે નવસારી શહેરમાં રખડતા કૂતરાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. શહેરના રસ્તાઓ પર રખડતા કૂતરાઓ કરડવાના 50થી વધુ કિસ્સાઓ બન્યા છે જેનાથી લોકોમાં ક્રોસની લાગણી જન્મી છે અને રોકડતા કૂતરાઓને ડામવામાં આવે તેવી માંગ શહેરીજનો કરી રહ્યા છે.