નવસારીમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે જનજાગૃતિ ફેલાવવા માટે ખાસ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. યુથ ફોર ગુજરાતના બેનર હેઠળ યોજાનારી આ દોડ લુન્સિકૂઇથી રહેશે. સી.આર. પાટિલના પુત્ર જીગ્નેશ પાટીલના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ મેરેથોનમાં 3, 5 અને 10 કિલોમીટરની દોડનો સમાવેશ છે.
આ અંગે શહેરની એનરિચ હોટલમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં મેરેથોનની વિગતો જાહેર કરવામાં આવી હતી. આ મેરેથોનમાં 6 વર્ષથી 60 વર્ષના લોકો ભાગ લઈ શકે છે, અને અત્યાર સુધીમાં 3,500થી વધુ લોકો રજીસ્ટ્રેશન કરી ચૂક્યા છે.
લુન્સિકૂઇ મેદાનમાં વિશાળ સ્ટેજ તૈયાર કરવાનું કાર્ય ચાલી રહ્યું છે, અને ટ્રાફિક વ્યવસ્થાના દ્રષ્ટિકોણે માર્ગમાં બેરિકેટીંગ કરવામાં આવી છે. શનિવારે સાંજે 7.30થી 9.00 વાગ્યા સુધી મંત્રીનું પર્ફોર્મન્સ થશે, જે બાદ મેરેથોનનો શુભારંભ મહાનુભાવો દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ટ્રાફિકને અસર ન થાય તે માટે પોલીસ અને સ્વયંસેવકો દ્વારા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે, સાથે આરોગ્ય ટીમ પણ હાજર રહેશે.
આ મેરેથોનનો મુખ્ય ઉદ્દેશ રેઇન વોટર હાર્વેસ્ટિંગ વિશે લોકોને માહિતી અને જાગૃતિ ફેલાવવાનો છે.”