નવસારી શહેરમાં છેલ્લા 150 વર્ષથી આદિવાસી સમાજ વસવાટ કરી રહ્યો છે. આદિવાસી સમાજના લોકો સરકારી જમીન, કબજાવાળી જમીન કે ભાડાની જગ્યામાં રહે છે. તાજેતરના અનુભવો દર્શાવે છે કે ટીપી સ્કીમ (ટાઉન પ્લાનિંગ સ્કીમ)ના અમલમાં આદિવાસી સમાજના હિતોની અવગણના થાય છે, જેનાથી તેઓને વિસ્થાપન અને કાયદાકીય લડાઈઓ ભોગવવી પડતી હોવાના આક્ષેપો નવસારી શહેરના વિવિધ વિસ્તારના લોકો કરી રહ્યા છે.
મુખ્ય પડકારો:
- ટીપી સ્કીમમાં આદિવાસી હિતોને અવગણવું: આદિવાસી સમાજના મકાનો અને વસવાટની જગ્યાને પૂરતું મહત્વ નથી અપાતું.
- જમીન માલિકીના પુરાવાની ગેરહાજરી: જમીનના કાયદાકીય દસ્તાવેજોની અભાવના કારણે આદિવાસી પરિવારોએ મુશ્કેલી વેઠવી પડે છે.
- વિસ્થાપનથી પરિચાર અને અસ્તિત્વ પર અસર: વસવાટ બદલાતા આદિવાસી પરિવારોની ઓળખ અને જીવનશૈલી ખતરામાં મુકાય છે.
આદિવાસી સમાજની માગ
નવસારી મહાનગરપાલિકા અને તંત્રને આદિવાસી સમાજ માટે નીચેના ન્યાયસંગત પગલાં લેવા અનુરોધ છે:
- ટીપી સ્કીમમાં આદિવાસી હિતનું રક્ષણ:
- ઓરિજનલ જનરલ પ્લોટ (ઓ.પી.), સરકારી જગ્યા અથવા ભાડાની જગ્યામાં રહેતા આદિવાસીઓને સુરક્ષિત રહેવાનું અધિકાર મળે.
- વિકાસ યોજના બનાવતી વખતે આદિવાસી મકાનોને અકબંધ રાખવા માટે ખાસ ધ્યેય બનાવવો
- વિસ્થાપન વિના વિકાસ:
- ટીપી સ્કીમની અમલવારીમાં આદિવાસીઓને તેમના મૂળ સ્થળેથી વિસ્થાપિત ન કરવા માટે તકેદારી રાખવી.
- “ઘરના સામે ઘર” ધોરણ હેઠળ પુનઃસ્થાપન સુનિશ્ચિત કરવું.
- તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા:
- જો વિસ્થાપન અનિવાર્ય બને, તો તેઓને નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં જ રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ કરવી.
- ભવિષ્ય માટે ખાતરી:
- આદિવાસી સમાજના હિતોને નિરંતર સુરક્ષિત કરવા માટે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે.
આદિવાસી સમાજનું યોગદાન
આદિવાસી સમાજે દેશ અને શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમના સાંસ્કૃતિક વારસાને સાચવવું અને વિકાસ સાથે તેમનું અસ્તિત્વ સંભાળવું, દરેક નાગરિક અને તંત્રની જવાબદારી છે.
રજુઆત અને અપેક્ષા
આ મુદ્દે અલીફ નગર થી રામજીખત્રી વિસ્તારના આદિવાસી સમાજ અને સંગઠનો તેમજ સ્થાનિકો દ્વારા તાત્કાલિક રજુઆત કરવામાં આવી છે.
હવે નવસારી મહાનગરપાલિકાના નિર્ણય અને અસરકારક કાર્યવાહી પર સૌની નજર છે.